SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] ૧૫૩ કાલ નજીક આવે છે. આ રીતે કહેવાનો ભાવાર્થ એ છે કે જેઓ જન્મેલા છે તેઓ જરૂર મરે છે. જો કે જેટલા જન્મે છે તે બધા લાંબું આયુષ્ય ભેગવતા નથી, પરંતુ તેમાંના કેટલાક લાંબું આયુષ્ય ભોગવીને પણ મરે છે. આ રીતે કહેવાને સાર એ છે કે જે જમ્યા છે તેઓ લાંબું અગર ટૂંકું આયુષ્ય ભગવાને અવશ્ય મરણ પામે છે. ૧૫૯ હવે ક્યાં જ આયુષ્ય પૂરું ભેળવીને મરે ને કયા જી વહેલા મરે તે વાત જણાવે છેનિરૂપક્રમાયુ જેમનું તેઓ જીવન પૂરું કરી, મરણ પામે શેષ જીવો છેજ બે ભેદે કરી? કેઈ આયુ પૂર્ણ કરતા જેમને ઉપક્રમ નહી, કે આયુ પૂર્ણ કરે ન ઉપક્રમ યેગથી જાણ સહી. ૧૬૦ સ્પષ્ટાથે –જે જનું નિરૂપકમાયુ હોય છે એટલે જેમને કઈ પણ જાતના ઉપકામે લાગતા નથી, અને તેથી જેમનું આયુષ્ય કેઈ પણ રીતે તૂટતું નથી, તેવા છે તેમનું સંપૂર્ણ આયુષ્ય ભેગવીને મરણ પામે છે. આવા આયુષ્યવાળા જી નિરૂપકમી કહેવાય છે. બાકીના સોપકમ આયુષ્યવાળા જી સેપકમાયુષ્ક કહેવાય છે. એટલે આ આયુષ્યવાળા જીવેને ઉપક્રમ લાગે તે તેઓનું આયુષ્ય ઘટે છે. તેથી આ સેપકમી આયુષ્યવાળા જીના બે ભેદ છે. જે સેપક્રમી આયુષ્યવાળા ને ઉપકેમ લાગતું નથી તેઓ આયુષ્ય પૂરેપૂરું ભેળવીને મરે છે, એ પ્રથમ ભેદ જાણો. અને જે સેપક્રમી જીને ઉપકમ લાગે છે તે જ પિતાનું આયુષ્ય જલદી ભોગવી લેતા હોવાથી તેઓ આયુષ્ય પૂર્ણ કર્યા પહેલાં મરે છે. દરેક જી આયુષ્ય કર્મનાં દળીયાં તે સંપૂર્ણ ભેળવીને જ મરે છે. ફેર એટલો છે કે કેટલાક જીવે તે આયુષ્યનાં દળીયાં ઉપક્રમ લાગવાથી જલદી જોગવી લે છે માટે જલદી મરણ પામે છે અને જે જીને ઉપકમ લાગતું નથી તે છે તે આયુષ્ય કર્મનાં દલિયાં સ્વભાવિક રીતે કમસર ભેગવે છે, તેથી તેઓ પિતાનું આયુષ્ય પૂરેપૂરું ભેગવે છે. જેમ એક દેરડીને લાંબી રાખીને તેને એક છેડાથી સળગાવીએ તે તે ધીમે ધીમે બળતી હોવાથી પૂરેપૂરી બળી રહેતાં વાર લાગે છે અને તેજ દેરડીનું શું છળું વાળીને સળગાવીએ તે થોડા વખતમાં બળી જાય છે. બંને પ્રકારે તે દેરડી બળે છે, ફક્ત બળવાના ટાઈમમાં ફેર પડે છે. તે પ્રમાણે આયુષ્ય કર્મને ભેગવવાની બાબતમાં પણ સમજવું. ૧૬૦. નાશવંત શરીરાદિને માટે પાપ કરવું જોઈએ તે વાત બે શ્લોકમાં જણાવે છે – યમરાજને વશ દેહ આ છે જે બરાબર જાણતા, ભાવે ન ખાવું લેશથી પણ તે રહસ્ય વિચારતા ૨૦ Jain Education Intemational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy