SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર [ શ્રી વિજયપઘસરિતપછાર્થ—આ સંસારી જીવની પાછળ ત્રણ રાક્ષસો પડેલા છે. તેથી જીવને તે ત્રણેને હમેશનો ય રહેલો છે. તે છતાં પણ તે પામર મનુષ્ય પાપ કરે છે. કારણ કે આ જીવને સંસારમાં રખડપટ્ટી કરતાં ઘણે કાળ ચાલ્યું ગયું છે. તે રખડપટ્ટીમાં જીવને જે પાપ કરવાના ખરાબ સંસ્કાર પડેલા છે તેથી તે પાપ કાર્યો કરે છે. આવી પરિસ્થિતિમાં તે પા૫ના કામથી બચવું એ મેટું દુષ્કર કાર્ય છે. આવા પાપના કાર્યો કરતાં અટકવાનું કામ મુશ્કેલ છે. ૧૫૭ જન્મ તેમ જરા મરણ ત્રણ રાક્ષસે કેડે પડ્યા, | સર્વ સંસારી જનેની ચેતનાર તરી ગયા, જાગવાને આ સમય ઉઘતા જ ડૂબી ગયા, જિન વચનના આલંબને જન સાધ્યને સાધી ગયા. ૧૫૮ સ્પષ્ટાર્થ – દરેક સંસારી જીવની પાછળ ત્રણ રાક્ષસો પડ્યા છે એમ જે ૧૫૭ મા માં જણાવ્યું તે ત્રણ રાક્ષસો આ પ્રમાણે જાણવા–૧ જન્મ (રાક્ષસ, જ્યાં સુધી આ જીવના આયુષ્ય કર્મને નાશ થતો નથી ત્યાં સુધી દરેક જીવને તે ભોગવવાને માટે નવા નવા જન્મ લેવા પડે છે. ૨ બીજો રાક્ષસ જરા એટલે ઘડપણ નામને જાણ. કારણ કે દરેક જન્મેલા જીવને ઘડપણને ભય પણ રહેલો છે. તથા ૩ ત્રીજે મરણ નામને રાક્ષસ જાણ. દરેક જન્મેલા જીવને મરણ અવશ્ય આવવાનું છે જ, માટે આ મરણને ત્રીજો રાક્ષસ કહ્યો છે. જેઓ આ ત્રણ રાક્ષસોથી ચેતી ગયા તેઓ આ સંસારને તરી ગયા છે. હે ભવ્ય જી! તમે યાદ રાખજો કે આ સમય જાગવાને છે એટલે પોતે કેણ છે (હું કેણ છું) તે સમજીને ધર્મની સાધના કરનારા જીવ જાગેલા જાણવા. અને ઉંઘનારા જે ડૂબી ગયા છે એટલે જેઓ આળસુ થઈને ધર્મને કરતા નથી તેઓ સંસારમાં રખડે છે માટે તે ડૂખ્યા જાણવા. આ રીતે કહેવાનું રહસ્ય એ છે કે જે છેએ જિનેશ્વર ભગવંતે કહેલાં વચનનું આલંબન લીધું છે તેઓ સાધ્ય એટલે મેક્ષને સાધી ગયા છે અથવા આ સંસાર સમુદ્રને તર્યા છે. ૧૫૮ જન્મેલા અવશ્ય મરે છે તે જણાવે છેવયમાં વધેલાને પ્રથમ ઘડપણ કનડગત બહુ કરે, તે પછી યમરાજ તેને કાજ ઉતાવળ કરે; ભાવાર્થ આને એજ જે જમ્યા જરૂર તેઓ મરે, દીર્ધ જીવનવંત કઈ વૃદ્ધ થઈને પણ મરે. ૧૫૯ સ્પાર્થ –જે છ વય (ઉંમર)માં વધેલા છે એટલે જુવાની જોગવી રહ્યા છે તેવા જીને ઘડપણ એટલે વૃદ્ધ અવસ્થા અનેક પ્રકારે સતાવે છે, એટલે તેને મરણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy