SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ નાચિંતામણિ ] ૧૫ આ શરીર કઈ રીતે સ્થિર રાખી શકાતું નથી તે જણાવે છે – ક્ષેત્રમાં રાખેલ ચંચપુરૂષ થીર કરાય ના, તેમ કોઈ ઉપાયથી પણ દેહ થીર કરાય ના જે વિનશ્વર તેહ વિશે પ્રકૃતિ તેવી તેહની, સમજે ન ઈમ અજ્ઞાનથી ઉપયોગિતા તિણ જ્ઞાનની. ૧૫૫ સ્પષ્ટ – ખેતરમાં પક્ષીઓથી પાકેલા અનાજનું રક્ષણ કરવા માટે લેકે જેને ચાડી” | નામે લખે છે–ને તેનો મનુષ્યના આકાર જે દેખાવ કરીને ખેતરની વચ્ચે મૂકે છે તે ચંચા પુરૂષ જેમ સ્થિર રહેતો નથી તેવી રીતે ગમે તેટલા ઉપાય કરવાથી પણ આ શરીર સ્થિર બનાવી શકાતું નથી. કારણ કે જે પદાર્થ વિનશ્વર એટલે નાશવંત છે તેને નાશ થવાને જ છે. તેની પ્રકૃતિ એટલે સ્વભાવ નાશવંત છે તેથી તે અવશ્ય નાશ પામે છે. તે છતાં અજ્ઞાની જીવ અજ્ઞાનને લીધે આ હકીકત સમજી શકતો નથી. માટેજ મોક્ષમાર્ગની આરાધના વિગેરે કાર્યોમાં પણ સત્ય જ્ઞાનની જરૂરિયાત જણાવી છે. ૧૫૫ હવે કેનું મરણ કયારે થશે તે છઘસ્થ જીવથી જાણી શકાતું નથી તે વાત જણાવે છે વાઘના મુખ રૂપ ગુફા સમ મરણ ત્યાં વસનારને, મંત્રાદિ પણ તેથી બચાવી ના શકે આ વચનને ચિત્તમાં વધારો કેનું મરણ ક્યારે કિહાં, હશે કયા કારણથકી જાણી શકે ન તમે ઈહિ. ૧૫૬ સ્પાર્થ –આ સંસારમાં રહેલા જીવનું મરણ અવશ્ય થાય છે. તે મરણ વાઘના મુખરૂપી ગુફાની જેવું છે. તેમજ આ મરણ આવે ત્યારે મંત્ર, દાતર વગેરે કઈ પણ બચાવી શકતું નથી. માટે જ કહીએ છીએ કે તમો આ હિત શિક્ષાના વચનને તમારા દિલમાં અવશ્ય ધારી રાખજે. કેનું મરણ કયારે એટલે ક્યા ટાઈમે, ક્યાં એટલે કયા સ્થળે, અને ક્યા કારણથી થશે? તે તમે અહીં જાણી શકતા નથી. માટે અમુક વખતે ધર્મ કરીશું એવો વિચાર કરીને ધર્મની આરાધના કરવામાં ઢીલ (વિલંબ) કરશે નહી. ૧૫૬ સંસારી જીવની પાછળ ત્રણ રાક્ષસો પડેલા છે તે બે કલાકમાં જણાવે છે – સંસારીની પાછળ પડયા ત્રણ રાક્ષસે ભય તેહને, તેને નિરંતર તેય કરતા પાપને પામર જને; પાપના સંસ્કાર લાગ્યા જીવને બહુ કાલથી, તેથી કરે તે તેજ દુષ્કર જેહ બચવું પાપથી. ૧૫૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy