SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ | શ્રી વિજ્યપદ્વરિત કહેવાને ભાવાર્થ એ છે કે આ નાશવંત શરીરને સાચવીને અથવા તપશ્ચર્યાદિક ધર્મકાર્ય કરવાથી શરીરને નુકશાન થશે એવા વિચારથી ધર્મની આરાધના ચૂકશે નહિ. એ પ્રમાણે આ સંસારના પદાર્થો ક્ષણિક એટલે નાશવંત છે તેમજ પરિણામે દુઃખ આપનારા છે એમ નક્કી માનજો. આ લક્ષ્મી શરીરે વગેરેથી કદાપિ પણ સાચું સુખ મળવાનું નથી એમ તમે નિશ્ચયે સમજજે. કારણ કે ધન કે શરીરથી મળતાં સુખો કાયમ રહેતાં નથી. તે દુઃખદાયી હોવા છતાં તેમાં સુખનો આભાસ થાય છે માટે જ તેથી સત્ય એટલે સાચું સુખ મળતું નથી એમ જણાવ્યું એ વ્યાજબી છે. ઉપર સંસારના સુખમાં આસક્તિ રાખનાર જીવોને આપત્તિઓ આવે છે તે બે શ્લોકોમાં જણાવે છે– મમતા અને અજ્ઞાનથી સંસારના સુખ લેશમાં, મૂઢ જન મૂછ કરે રાગી થશે ના તેહમાં ચારે તરફથી જેમને નિજ પર નિમિત્તે આપદા, આવ્યાજ કરતી જીવનક્ષયને ભય રહ્યો છે સર્વદા. ૧૫૩ વાત દુઃખની એહ કે તેવા જનો નિર્ભયપણે, પાપમાં મશગુલ બનીને આચરે ના ધર્મને વજ જેવા દેહમાં પણ જે જણાય અનિત્યતા, કેળ ગર્ભ સમા શરીરે તે વિશેષ અનિત્યતા. ૧૫૪ સ્પષ્ટાર્થ–સંસારના સુખલેશ એટલે જેમાં પિતે માનેલું સુખ ઘણું થોડું છે ને દુઃખ બહુજ છતાં સુખ માનવામાં આવે છે તેમાં મૂઢ મનુષ્યો એટલે અણસમજુ જીવે મમતાને લીધે તથા અજ્ઞાનને લીધે મૂછ કરે છે અથવા તેવા ક્ષણિક સુખમાં આસક્તિ રાખે છે. પરંતુ તે સાચું સુખ નથી એમ સમજીને તમે તેમાં રાગ કરશે નહિ. કારણ કે આ સુખમાં રાગ કરનારા જીવને પોતાના કારણે અથવા પરના કારણે ચારે બાજુથી આપદા એટલે આફત આવ્યા કરે છે અને તેથી તેઓને હંમેશાં જીવન ક્ષયને એટલે આયુષ્યના નાશનો ભય રહેલો છે, તે છતાં દુઃખની વાત એ છે કે આ અણુસમજુ જીવ બાહ્ય સુખને માટે પાપ કર્મોને કરવામાં મશગુલ બને છે એટલે પાપનાં કાર્યો કરતાં પાછું વાળીને જોતા નથી અને ધર્મની આરાધના કરતા નથી. જેઓનાં વા જેવાં મજબૂત એટલે પ્રથમ વા ઋષભ નારા સંઘયણવાળા શરીર હોય છે તેમના શરીરની પણ અનિત્યતા જણાય છે એટલે આવા મજબૂત શરીરે પણ નાશ પામી જાય છે તે પછી કેળના ગર્ભ જેવા અત્યંત કમળ જેમનાં શરીર હોય તેમાં વિશેષ અનિત્યતા એટલે જલદી નાશ પામવાપણું હોય તેમાં નવાઈ શી? ૧૫૩–૧૫૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy