SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ રાનાચિંતામણિ ] ૧૪૯ સ્પષ્ટાર્થ –ઉપરના શ્લોકમાં જેનું સ્વરૂપ જણાવ્યું તે ધનના લોભને હેય (ત્યાગ કરવા લાયક) તરીકે સમજનારા ધમી મનુષ્ય કદાચ નિધન એટલે ધન વગરના હોય, તે છતાં પણ સંતોષ ગુણને ધારણ કરે છે. અથવા જેટલું દ્રવ્ય મળે તેટલા દ્રવ્યથી સંતોષ માને છે અને શ્રી જિન ધર્મનું યથાર્થ પાલન કરીને સુખી થાય છે. આ સંતોષી જીવો ભાગ્યના શુભ ઉદયથી ધનને મેળવે તો પણ તેને અભિમાન કરતા નથી. કારણ કે તેઓ જાણે છે કે ધન ચંચળ છે. એક ઠેકાણે સ્થિર થઈને રહેતું નથી. પુણ્યાનુસારે દ્રવ્યની પ્રાપ્તિ થાય છે માટે તેને ગર્વ કરે તે તો મૂર્ખાઈ છે એ વાત તેઓ સારી રીતે સમજે છે. આ રીતે સાવધાન બનીને શાંતિથી તેઓ વિચાર કરે છે. ૧૫૦ સફલતા જેમાં જણાએ ત્યાંજ ધનને વાપરે, નિયાણની ભાવનાને અંશથી પણ પરિહરે, અધિક ધનને જોઈને તે પુણ્ય ફલને માનતા, ઈષ્ય તજીને ગુણ લહે ગુણવંત જનને દેખતા. ૧૫૧ સ્પષ્ટાર્થ વળી આ સંતોષી ભવ્ય જીવો જે કાર્યમાં પોતાના ધનની સફળતા જુએ છે તે કાર્યોમાં ધનને વાપરે છે અથવા તેઓ પિતાના ધનને જેમ તેમ વેડફી નાખતા નથી, પરંતુ જેમાં વાપરવાથી તે ધનની સાર્થકતા જણાય તેમાં તેને ઉપયોગ કરે છે. વળી નિયાણની ભાવના એટલે મેં કરેલા આ દાનાદિકનું આવતા ભવમાં અમુક ફળ મળશે એવી જરા પણ ભાવના તેઓ રાખતા નથી. એટલે ફળની ઈચ્છા કર્યા વિના જ તેઓની સાધના કરે છે. અને પિતાના કરતાં વધારે ધનવાળા જેને જે ધનની અધિકતા, એ પુણ્યનું ફળ છે અથવા પિતાના કરતાં અધિક પુણ્યવાળો તે જીવ છે એમ માને છે. પરંતુ તેના ઉપર ઈર્ષ્યા રાખતા નથી. વળી પિતાથી અધિક ગુણોવાળા જેને જોઈને તેમના ગુણોને ગ્રહણ કરે છે પરંતુ તેમની ઉપર ઈર્ષ્યા ભાવ રાખતા નથી. ૧૫૧. હવે શરીરની અનિત્યતા જણાવે છે – ધનની પરે આ દેહને પણ અનિત્ય જરૂર વિચાર, તાસ મેહે ધર્મ કેરી સાધના ના હાર; એમ સાંસારિક પદાર્થો ક્ષણિક દુઃખકર માનજો, સત્ય સુખ પ્રત્યેકથી પણ ના કદી અવધારજે. ૧૫ર સ્પષ્ટાર્થ – હે ભવ્ય જી! તમે જેવી રીતે ઉપર ધનનું અનિત્યપણું જણાવ્યું તેવી રીતે આ શરીર પણ અનિત્ય છે એટલે અવશ્ય નાશ પામવાનું છે, એવું વિચારજો. કારણ કે “શીયતે તત્ શરીરમ” જેને નાશ પામવાને સ્વભાવ છે તે શરીર કહેવાય છે. માટે નાશવંત શરીરના મોહને લીધે ધર્મની સાધના હારી જશે નહિ. આ રીતે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy