SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ શ્રી વિજ્યપદ્વરિતએટલે ડહાપણુ અથવા કયા પ્રસંગે કેવી રીતે વર્તવું તેની સમજણ રહેતી નથી. તથા લોભને લીધે સરલપણું પણ રહેતું નથી, કારણ કે તેને લીધે અનેક જાતના છળ પ્રપંચ કરવાની ભાવના થાય છે તેથી તે માણસમાં સરળતા રહી શકતી નથી. લોભી માણસ ધનનજ તત્ત્વ એટલે સાર રૂપ માને છે. તેમજ તેને લીધે સંતેષ ગુણ ટકતો નથી. કારણ કે લોભને થોભ નથી એટલે લોભી માણસને ગમે તેટલું ધન મળે તે પણ તેને તેથી વધારે વધારે ધન મેળવવાની ઈચ્છા રહ્યા કરે છે. લોભને લીધે તે ધાન્ય વગેરેને સંગ્રહ કરે છે. નફાખેરી કરે છે. અને ન્યાયની બુદ્ધિ પણ નાશ પામે છે. બીજાઓને પિતાની આવી સંગ્રહખેરીથી તથા નફાખેરીથી કેટલું દુઃખ ખમવું પડે છે તેને તેને વિચાર પણ આપતું નથી. ૧૪૮. લાલા ગળી તલ આદિના સાવઘ વ્યાપાર કરે, અંગારકર્માદિક કરે ભોળા જનેને છેતરે જૂઠ બોલે તિમ ઠગે વિશ્વાસને લોભી ખરે, કૂટ માપાં માનથી વ્યાપાર ઉંધા પણ કરે. ૧૪૯ સ્પાથ –ધનના લોભી જીવો ધન મેળવવાને લાખને વ્યાપાર, ગળીને વ્યાપાર, તલને વ્યાપાર વગેરે સાવદ્ય એટલે પાપવાળા વેપાર કરે છે. તેમાં કેટલી જીવ હિંસા થાય છે અને તેથી પિતાને કેવા પાપ કર્મો બંધાય છે તેને તેને વિચાર આવતો નથી. અંગારકર્મ એટલે કોલસા પાડીને વેચવા વગેરે મહા આરંભના કાર્યો કે જેમાં ઘણી જીવહિંસા થાય છે અને જે અનર્થદંડ તરીકે ઓળખાય છે તેવા ધંધા કરતાં પણ તે અચકાતો નથી. અને તે લોભિયા છે જે લોકો ભેળા એટલે સરલતાથી સીધે માર્ગે ચાલનારા છે તેવા મનુષ્યોને છેતરે છે. એટલે ભેળા લેકોને ઠગીને તેમની પાસેથી વધારે પૈસા પડાવે છે. વળી આ લેભી માણસો જૂઠું પણ બેલે છે અને તેમને વિશ્વાસ કરનારને પણ ઠગે છે. વળી તે લોભી માણસે કૂટ માપાં માન એટલે ખોટાં માપાં-માપવાના સાધનો રાખે છે તથા તલ એટલે કાટલાં તેમજ માન એટલે ગજ વાર વગેરે બેટાં રાખે છે. આ રીતે તેઓ અનેક પ્રકારના ખોટા ધંધાઓ કરે છે. ૧૪૯ સંતેષી જન ધન મળે કે ન મળે છતાં કેવી રીતે વર્તે છે તે બે શ્લોકમાં જણાવે છે – ધન લોભ એવાં જાણનારા ધર્મિ જન નિર્ધન છતાં, સંતેષ ગુણને ધારતાં જિન ધર્મથી સુખિયા થતાં પુણ્યગે ધન લહંતા ના કદી માની બને, સાવધાન બની વિચારી શાંતિથી દ્રવ્યાદિને. ૧૫૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy