SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ દશના ચિંતામણિ ] ધન તેજ જગમાં સાર સુખની ખાણ પણ ધન એજ છે, ગુણાધિક જનલાય વંદનીય તત્વ ઉત્તમ તેજ છે; લેભિ જન પરમાતમાં પણ તેજ ધનને માનતા, ધનમાં રહ્યું છે. સર્વ નિર્ધન ભસ્મ જેવા ધારતા. ૧૪૬ સ્પણથી –લેભી મનુષ્ય ધનને કેવું માને છે તે જણાવતાં કહે છે કે તેઓ જગતમાં એક ધનને જ સાર રૂપ માને છે. ધનને જ સુખની ખાણ એટલે ભંડાર રૂપ માને છે. ધનવાનને તે ગુણ વિનાને હોય છતાં અધિક ગુણવાળો માને છે. વળી જેની પાસે ધન છે તેજ જનકલાધ્ય એટલે મનુષ્યમાં વખાણવા લાયક તેમજ વંદનીય એટલે વાંદવા લાયક ગણે છે. જગતમાં ધન એજ ઉત્તમ તત્ત્વ છે. તેથી મનુષ્ય ધનને જ પરમાત્મા એટલે ઈશ્વર માને છે. તેઓ ધનમાં જ સઘળું રહેલું છે એમ માને છે. તેમજ તેઓ સઘળા નિર્ધન એટલે ધન વિનાના જીવોને ભસ્મ એટલે રાખ જેવા માને છે.૧૪૬. અન્યથી અધિક જણાએ એહથી હરિ નરપતિ, નરપણું સરખું છતા છે એક સેવક શ્રીપતિ, એક દાતા તેમ અથી ધનપ્રભાવે ભેદ એ, લેશિયાના ભાવ એ પરમાર્થ ધનના માનીએ. ૧૪૭ સ્પદાર્થ –વળી હે ભવ્ય જીવે ! આ ધનને લીધે હરિ એટલે વાસુદેવ તથા નરપતિ એટલે રાજા બીજા સામાન્ય મનુષ્ય કરતાં ચઢિયાતા ગણાય છે. મનુષ્યપણું બંનેમાં સરખું હોવા છતાં તેમને એક સેવક કહેવાય છે અને બીજો ધનપતિ એટલે પિસાદાર કહેવાય છે તે પણ ધનને લીધે જ જાણવું. વળી એક દાતા એટલે ધનને આપનારે કહેવાય છે અને બીજે અથી એટલે ધનને માગનાર ગણાય છે આ ભેદ પણ ધનના પ્રભાવથી છે. જો કે લેભી જીવોની ભાવના એવી હોય છે, તે પણ તમે “ધન તેજ પરમાર્થ છે” એમ માનશે નહી. કારણ કે સત્ય પરમાર્થ મેક્ષ માર્ગ જ છે. ૧૪૭ મારથ કલ્લોલ વાધે ધર્મબુદ્ધિ પણ ટળે, લોભથી કરૂણા ખસે દાક્ષિણ્ય સરલપણું ટળે; ધનને જ માને તત્વ તિમ સંતિષ પણ લોભે ટળે, ધાન્યાદિને પણ સંગ્રહ મતિ ન્યાય કરી પણ ટળે. . ૧૪૮ સ્પાર્થ –ધનને લીધે મને રથ કલ્લોલ એટલે મનની અંદર આવતા વિચાર રૂપી તરંગે વધે છે. એટલે ધનવાળો મનુષ્ય તે ધનને કેમ સાચવવું, કેમ વધારવું, તેનું શું કરવું વગેરે બાબતના વિચાર કર્યા કરે છે. ધનના લેભે ધર્મ બુદ્ધિ પણ ટળે એટલે ચાલી જાય છે. વળી તેભને લીધે કરણ એટલે દયા ભાવ જતો રહે છે. અને દાક્ષિણ્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy