SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ નાચિંતામણિ ] વધારે છે, દીનતાને દૂર કરીને ચિત્તની ઉદારતામાં વધારો કરે છે, પેટ ભરવા રૂપ દુર્ગણનો નાશ કરે છે, મનને નિર્મલ બનાવે છે, પ્રભુતાને પ્રકટ કરે છે, આત્મિક વિકલ્લાસને વધારે છે. મહિનો નાશ કરવામાં પણ સારામાં સારી મદદ કરે છે. પરે૫કારી પુરૂષે આ ભવમાં ઉત્તમ સુખનાં સાધનો પામે, એમાં નવાઈ શી? પણ તેઓ એ કરતાં પણ સારી સ્થિતિને ભવાંતરમાં પણ પામીને મુક્તિના સુખે અ૫ કાલમાં મેળવે છે. પરોપકારને અંગે જણાવેલી બીના યાદ રાખી જે ભવ્ય જીવો પરોપકારના પંથે ઉલ્લાસથી પ્રયાણ કરશે, તે જરૂરી કાયાનો સાર મેલવશે અને માનવ દેહને સફલ કરશે. એ પ્રમાણે દેહનો સાર-પરોપકાર” આ પાંચમા (સાર)ની બીના ટૂંકામાં જણાવી. આવા પરોપકાર ગુણને ધારણ કરનારા છ પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે. અને પરિણામે મોક્ષમાર્ગને આરાધીને જરૂર મોક્ષના સુખ પામે છે. ૭ પુણ્યાનુબંધી પુણ્યને બંધ કરાવનારા સાત કારણોમાં મનને વશ કરવા રૂપ છેલલા કારણનું રહસ્ય એ છે કે દાનાદિ ધર્મની કે મોક્ષમાર્ગની આરાધના કરવામાં અસાધારણ કારણ શુભ મન છે. એટલે શુભ ભાવનાથી કરેલી ધર્મની આરાધના પરિણામે મોક્ષના સુખને પણ જરૂર પમાડે છે. જેટલે અંશે મનની સ્થિરતા હોય, તેટલે અંશે શુભ ભાવના ટકે છે. અને જિનવચનના શ્રવણમનન નિદિધ્યાસનાદિ ને પરમાત્મ સ્વરૂપની ચિતવનાથી મનને જરૂર સ્થિર કરી શકાય છે. આ વાતને લક્ષ્યમાં રાખીને અશુભ વિચારે દૂર કરીને શુભ ભાવનાને ભાવવામાં મનને લીન બનાવનારા ભવ્ય જ જરૂર મનને વશ કરી શકે છે. ને તે નિમિત્તે બાંધેલા પુણ્યાનુબંધી પુણ્યના વિશિષ્ટ ફલરૂપ મોક્ષના અવ્યાબાધ સુખ પણ જરૂર મેળવે છે. સૌ કોઈએ સમજવું જોઈએ કે અત્યાર સુધીમાં ભોગવેલા જે ચાર ગતિના દુઃખ વગેરે વિચિત્રતા એ મનને વશ નહિ કરવાના જ પરિણામ (ફ) છે. આ રીતે પુણ્યાનુબંધી પુણ્યના સાત કારણેની બીના સમજીને નિર્મલ ધાર્મિક જીવન ગુજારનારા પુણ્યશાલી ભવ્ય જીવ ઉદારતાથી લક્ષ્મીને સાતે ક્ષેત્રોમાં વાપરે છે, છતાં ખૂટતી જ નથી. કારણ કે જેમ કુવામાંથી પાણી વપરાતું જાય, તેમ નવું પાણી ભરાતું જાય છે, તેમ તેમની લહમી પણ જેમ જેમ વપરાય, તેમ તેમ વધતી જ જાય છે. ૧૪૧-૧૪૨ પુણ્યાનુબંધી પુણ્યવાળા ધનને કેવું ગણે છે અને તેને કે ઉપયોગ કરે છે તે જણાવે છે – તેહ ધનિકે તેહ ધનને ક્ષણિક મલ સમ માનતા, તેમ તુચ્છ પિછાણતાં શુભ સ્થાનમાં પણ જતા; નિજ કાર્યમાં પણ વાપરે મૂછ ન ધનની રાખતા, પુણ્ય બુદ્ધિધરા સ્વધન શુભ હેતુ એમ બનાવતા. ૧૪૩ સ્પષ્ટાથ –વળી પુણ્યાનુબંધી પુણ્યવાળા તે ધનવાન પુરૂ ધનને નાશવંત તેમજ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy