SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ શચંતામણિ ] ૧૩૧ લાગણી વધારે ખેંચાય છે. ખરેખર દાન એવી ઉત્તમ ચીજ છે કે જે આપનાર, લેનાર અને અનુમોદના કરનાર એ ત્રણેને તારે છે. વર્તમાન આબાદીને ટકાવવા માટે અને ભવિષ્યમાં તેવી આબાદી મેળવવા માટે દરેક સમજુ જીવોએ યથાશક્તિ દાન દઈને જ ભેજન વગેરે કિયા કરવી જોઈએ. કાકડીનું પતીકું કાપીને દૂર કરીએ તો તે ખાનારને મીઠી લાગે છે, એમ પેદાશની મીઠાશ જાળવવાને માટે તેમાંથી અમુક ભાગ ધાર્મિક કાર્યોમાં જરૂર વાપરવું જોઈએ. એ પ્રમાણે “ધનનો સાર દાન” આ પહેલા સારની બીના જણાવી. (૨) વાણીને સારા સત્ય. વાણીનો સાર સત્ય (સાચું બોલવું) એ છે. જીવને જીભની પ્રાપ્તિ મહાપુણ્યોદયે થાય છે. સત્ય વચન બોલીએ તે જ જીભની પવિત્રતા જળવાય છે. જૂઠું બોલવાથી એ અપવિત્ર બને છે. આ પ્રસંગે શિક્ષા શાસ્ત્રમાં પણ શીખામણ દીધી છે કે – સત્યપૂત વદે વાક્ય, વસ્ત્રપૂતં પિબેન્જઉં દૃષ્ટિપૂત ન્યસેતુ પાદ, મનઃપૂત સમાચરેતુ યા ૧ - સાચું બોલવું, પાણી ગાળીને પીવું, જોઈને ચાલવું તથા ભાવના રાખીને નિર્દોષ પ્રવૃત્તિ કરવી. જે માણસ સાચું વચન બોલે છે, તેની આગળ અગ્નિ જલ જે, સમુદ્ર સ્થલ જે, શત્રુઓ મિત્ર જેવા અને દેવે દાસ જેવા બની જાય છે. આ બાબતમાં શેઠ મુહણસિંહની બીન જરૂર યાદ રાખવા જેવી છે. તે ટૂંકામાં આ પ્રમાણે જાણવીડ–દીલ્હી શહેરમાં મુહણસિંહ નામે એક શેઠ રહેતા હતા, તે સત્યવાદી હતા. આથી લોક વ્યવહારમાં તેમની આબરૂ પણ સારી ફેલાઈ હતી. તેમના પિતાનું નામ જગસિંહ હતું. એક વખત બાદશાહ પિજની આગળ કઈ ચાડીયાએ કહ્યું કે “આ મુહણસિંહની પાસે ૫૦ લાખ પ્રમાણ ધન છે. તે મહા ધનવાન હોવાથી તેને ગુનામાં લેવા જેવો છે” આથી બાદશાહે શેઠ મુહણસિંહને બોલાવ્યા, અને પૂછ્યું કે તમારી પાસે કેટલું ધન છે? જવાબમાં શેઠે નમ્રતાથી જણાવ્યું કે હું તપાસીને આવતી કાલે જવાબ આપીશ. પછી શેઠે ઘેર જઈને તમામ ધનની ગણત્રી કરી અને તેની કાગળ ઉપર નોંધ લઈને બીજે દિવસ બાદશાહની પાસે આવીને સત્ય બીના જાહેર કરી કે–હે સ્વામી! મારી પાસે ૮૪ લાખ જીર્ણટાંક પ્રમાણ મીલ્કત છે. આવી સત્ય બીને સાંભળીને ખુશી થયેલા બાદશાહે બીજા ૧૬ લાખ ટાંક આપીને તેને કોટીશ્વર (કોઠાધિપતિ) બનાવ્યું. શેઠ મુહણસિંહે પોતાની ખ્યાતિ પ્રમાણે દાનાદિ ધાર્મિક કાર્યોમાં ઉલ્લાસથી લદ્દમીને વાપરીને પિતાનું (કેટીશ્વર) નામ સાર્થક કર્યું. આમાંથી બેધ એ લે કે સત્ય વચન બોલવાથી અનેક જાતનો લાભ મળે છે અને પુરૂષની લક્ષ્મી જગતભરના છાના કામમાં આવે છે. કહ્યું છે કે મેહાણ જલં ચંદાણ ચંદિમા તરૂવરણ ફલનિવહો છે સુપુરિસાણ વિઢાં સામણું સયલલોયસ ૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy