SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ શ્રી વિજ્યપઘસરિતધર્મ મેળવવા અને (૫) શરીરથી પરેપકાર કરે. આ રીતે કરીને અસારમાં પણ સાર ગ્રહણ કરે જોઈએ. (૧) ધનને સારઃ દાન. શ્રી તીર્થકર ભગવંતે કહ્યું છે કે લક્ષમીને સાર દાન જ છે. પાછલા ભવની પુણ્યાઈથી જે જ લક્ષમી પામ્યા હોય તેમણે સાવચેત થઈને યથાશક્તિ શ્રી જિન મંદિર વગેરે સાત ક્ષેત્રમાં તેને જરૂર વાપરવી જોઈએ. આ પ્રમાણે કરનારા ભવ્ય જી લક્ષ્મીને સાર (લ્હા) લઈ શકે છે. લક્ષ્મીની અનિત્યતાને લક્ષ્યમાં રાખીને ક્યા કયા ધનિક ભવ્ય જીએ (૧) શ્રી જિનમંદિર, (૨) જિનપ્રતિમા, (૩) જ્ઞાનભંડાર, (૪) સાધુ (૫) સાધ્વી (૬) શ્રાવક, (૭) શ્રાવિકા, આ સાત ક્ષેત્રોમાં કઈ રીતે ઉદારતાથી ધનને સદુપયોગ કર્યો તે બીના મેં “શ્રી ભાવના કલ્પલતા' નામના ગ્રંથમાં વિસ્તારથી જણાવી છે, તે ત્યાંથી જોઈ લેવી. જેઓ ધનવંત છતાં કંજૂસાઈને લીધે ધર્મ માગે લક્ષમીને ન વાપરે તેઓની લક્ષમી નિષ્ફલ સમજવી. આ પ્રસંગે ભેજ રાજાની બીના જાણવા જેવી છે, તે ટૂંકામાં આ પ્રમાણે છે-એક વખત ભેજરાજા રવાડીએ નીકળ્યા. તે વખતે રાજશેખર નામના મહા ધુરંધર કવિ દુકાળના કારણે ચૌટામાં જમીન ઉપર પડેલા અનાજના દાણા વીણી રહ્યા હતા. આ બનાવ જોઈને રાજા ભોજે અડધી ગાથામાં કહ્યું કે જેઓ એક પિતાનું પણ પેટ ભરી શકતા નથી તેઓને જન્મારે નકામે સમજ. નિગાજૂળsવિદુ અનાથા તેf હિંદવિ કાર્દિ. આ સાંભળીને કવિરાજે ગાથાના છેલ્લા બે પાદ પૂરા કરીને કહ્યું કેસુરમા ને ન ઘરાવળેિ તેવિ ન fu nશા જેઓ ધનવડે પારકાનું દુઃખ દૂર કરવાને સમર્થ છે, છતાં તે પરોપકાર કરતા નથી, તેઓને. પણ જન્મારે શા કામનો છે? કવિનાં આ વચન સાંભળીને સામું ભોજરાજાએ પણ કહ્યું કે–પરથrinavi મા સાજ | જ્ઞતિ હં દુત્તા હે માતા ! જે બીજાની આગળ માગતો ફરતો હોય, તેવા પુત્રને તું જણીશ નહિ. આ સાંભળી કવિએ કહ્યું કે- મા ૩ કિન્નg | afuત્રમ થાય તે રા હે માતા ! સામો માણસ માગે છતાં જે ન આપે તેવા પુત્રને તું ઉદરમાં પણ રાખીશ નહિ. કવિનાં આ વચન સાંભળીને દાનવીર ભેજ રાજા મૌન રહ્યો અને કવિને સો ગામ અને કરોડ સોનૈયાનું દાન દીધું. આ દષ્ટાંતમાંથી એ બોધ લેવો કે તે જેમ દાનેશ્વરી હતા, તેથી તેને પ્રજા ચાહતી હતી, તેમ ધનિક ભવ્ય છે પણ તે પ્રમાણે જે ધાર્મિક ક્ષેત્રોમાં લક્ષમી વાપરે, તો તેઓને પણ બીજા જી જરૂર ચાહે છે. અને પરભવમાં તેઓ આત્મહિતના સાધનો જરૂર પામી શકે છે. દુનિયામાં પણ દેખાય છે કે દાનગુણને લઈને જ લોકે મેઘને ચાહે છે, પણ સમુદ્રને કેઈ ચાહતું નથી. કારણ કે સમુદ્રને સંઘરવાની ટેવ પડી છે. કુદરત પણ એમ જ બોધ આપે છે કે જ્યાં મધ હોય, ત્યાં માખી જાય છે. એમ દાની તરફ લોકેની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy