SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ નાચિંતામણિ ] વવાની ખાતર સામાના હિતને બગાડે તેઓ મનુષ્ય જાતિમાં રાક્ષસ જેવા કહેવાય. તેમજ જેઓ નાહક (કંઈપણ સ્વાર્થ ન હોય છતાં) સામાનું હિત બગાડે તેઓને ક્યા નામથી બોલાવવા? આ બાબતમાં કવિએ કહે છે કે અમે તેવું નામ જાણતા નથી. એટલે તેઓ અધમમાં પણ અધમ કહી શકાય. ૧૦. પુરૂષે બીજાનું ભલું કરે એમાં નવાઈ શી? કારણ કે ચંદનનાં વૃક્ષે પોતાના દેહની શાંતિને માટે ઊગતા નથી. એટલે ચંદન જેમ સ્વભાવે કરીને બીજાને સુગંધી વગેરેને લાભ આપે છે, તેમ સહુરૂષને એ સ્વભાવ જ હોય છે કેતેઓ નિરંતર પપકાર કરીને રાજી થાય. ૧૧. જે કે ચંદનના ઝાડને પુષ્પાદિ દેતા નથી તે પણ તે પિતાના દેહ (લાકડા) થી જ (સુખડ) બીજાના તાપને દૂર કરે છે. (આમાંથી બેધ એ મળે છે કે-દેહના ભોગે પણ ચંદનની જેમ પપકાર કરે જોઈએ.) ૧૨. કુમુદ એ ચંદ્ર વિકાસી કમલ વિશેષ છે. ચંદ્ર “એ મને બદલે આપશે !” આ ઈચ્છાથી કુમુદને વિકસ્વર કરતો નથી. એને તો એ સ્વભાવ જ છે કે પ્રત્યુપકાર તરફ લક્ષ્ય રાખ્યા વિના પોપકાર કરે જ. એ પ્રમાણે ઉદાર દિલ ધનિકે પરોપકાર કરતી વખતે બદલાની ઈચ્છા તલભાર પણ રાખતા નથી. બીજા અજ્ઞાની જીવનું જીવન વ્યસન મય હોય છે, પણ આ ઉદાર દિલના ધનિકના જીવનનું ધ્યેય એક જ હોય છે, કે કઈ પણ હિસાબે પપકાર કરે જ એટલે તેમનું પરોપકાર રૂ૫ વ્યસનમય જીવન હોય છે. ૧૩. એક કવિ વિચાર કરે છે કે–આ ચંદ્રમા તો દૂર રહ્યો છે. છતાં પણ એણે સમુદ્રની ઉપર શે ઉપકાર કર્યો ? કે જેથી ચંદ્રની કલા વધે ત્યારે તે વધે છે, અને ઘટે ત્યારે તે ઘટે છે? આ પ્રશ્નને વિચાર કરતાં છેવટે કવિ કહે છે કે–અહે! જાણ્યું કે–પરોપકાર રસિક જીને એ એક અલૌકિક સ્વભાવ જ હોય છે કે જેથી સામાને દુખી જેઈને પોતે ક્ષીણ (પાતળા) બને. અહીં પરદુઃખભંજન સત્પષે ચંદ્રની જેવા કહ્યા એમ સમજવું. ૧૪. આ દાંત અનાજ વગેરે પદાર્થોને ચાવે, અને તેઓને સ્વાદ જીભ ભેગવે છે. આમાંથી સમજવાનું મળે છે કે-દાંતની જેવા ધવલ પુરૂષે મુશ્કેલી વેઠીને પણ બીજાનું કામ બજાવવામાં તીવ્ર ઉત્સાહ રાખે છે. “આ મારો અને આ બીજાને” એવી ભાવના તુચ્છ હૃદયવાળા જેને જ હોય છે. પણ ઉદાર દિલના માણસે તે આખી પૃથ્વીને પિતાના કુટુંબ જેવી ગણે છે. ૧૫. બીજા લોકના ભલાને માટે મેઘ પાણીને ભાર સહન કરે છે, ભુવનને ઉલંઘે છે, અને સમુદ્રની મધ્યે પ્રવેશ કરે છે. આ મેઘના દષ્ટાંતે પર હિત બુદ્ધિવાળા બીજાના ભલાને માટે શું કરતા નથી ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy