SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ _શ્રી વિજયપધરિકૃત ૫. એક કવિએ સમુદ્રની હાંસી કરતાં જણાવ્યું છે કે-હે સમુદ્ર ! હું તારા વધારે વખાણ શું કરું? ટુંકામાં કહું છું કે બીજાનું ભલું કરવામાં તારા જેવી લાગણી બીજા કેઈની પણ દેખાતી નથી. મરૂ (મારવાડ ) દેશમાં પાણીની ખેંચ હોવાને લીધે એવી પ્રસિદ્ધિ છે કે મારવાડમાં ગયેલા માણસની તરસ છીપે નહિ. આવો અપજશને પિટલે ઉપાડીને મરૂદેશ થાકી જતો હતો. આ જોઈને હે સમુદ્ર ! તે દયાની લાગણીથી તેને ભાર ઓછો કર્યો. માટે તારા જેવી પરનું હિત કરનાર બીજે કેણ છે? કહેવાનું તાત્પર્ય એ છે કે–તરસ છીપાવાની બાબતમાં મરૂદેશ જેવો અપજશ ધારણ કરે છે, તે અપજશ તું પણ ધારણ કરે છે. (આ તે પ્રાચીન કાલની બીના ધ્યાનમાં લઈને કવિએ કહ્યું છે. પણ મરૂદેશમાં બધે સ્થલે હાલ તેવું છે નહિ.) ૬. મેરૂ પર્વતની ઉપર કલ્પવૃક્ષે ઘણાં છે, પણ તે શા કામનાં? કારણ કે તેને લાભ અહીંના કેઈને મત નથી. આના કરતાં તો મારવાડમાં રસ્તા ઉપર ઊગેલાં કેરડાનાં ઝાડ સારાં, કે જેની છાયામાં બેસીને મુસાફરે વિસામે લઈ શકે છે અને સ્વસ્થ બને છે. ૭. હે અર્ક (આકડા)નાં વૃક્ષે ! તમારાં ફળો અને નવાં ફૂલો વગેરે શા કામનાં છે? અને બીજો અર્થ સૂર્ય પણ થાય છે. આવું ઉત્તમ નામ તારું છે. પણ નામ પ્રમાણે ગુણે તે દેખાતા જ નથી. જે વૃક્ષમાંથી એક પણ વૃક્ષ એવું હોય કે જેની છાયામાં બેસીને તેના ફલો ખાઈને મુસાફરો તૃપ્તિ પામે, તેવાં જ વૃક્ષે ખરી રીતે ઉત્તમ ગણાય. હે આકડા! તારી જાતિમાં એવું એક પણ ઝાડ દેખાતું નથી. માટે તમે પરોપકાર ગુણ વિનાના હોવાથી શા કામના ? અહીં અન્યક્તિદ્વારા કવિએ પોપકાર કરવામાં બેદરકારી રાખનારા જીવને શીખામણ આપી છે કે-હે પરોપકાર ગુણ વિનાના ધનિક જીવો ! ફૂલાદિના જેવી તમારી પાસે લક્ષમી વગેરે સુખ સામગ્રી હોય પણ તે બીજા જીના કામમાં આવતી નથી, માટે તે તદ્દન નકામી છે. ભલેને તમને દુનિયા મોટામાં મોટાં ઉપનામ આપીને બોલાવતી હોય પણ પપકાર વિનાનું જીવતર સાવ નકામું છે. ૮. વિદ્વાને, ગીઓ, પપકાર વિદ્યા સિવાયના ગુણેને ધારણ કરનારા ભવ્ય જીવે અને મદેન્મત્ત હાથીઓના કુંભસ્થલને ભેદવાનું પરાક્રમ ધરાવનારા વીર પુરૂષ તથા સુંદર આકૃતિવાળા પુરૂષ તેમજ ઉત્તમ આચાર ધર્મને પાલનારા અને ઘણી યશ કીર્તિને ધારણ કરનારા છ દુનિયામાં ઘણાં મલી શકે છે. પણ જેઓ હંમેશાં પરોપકારમય જીવન ગુજારતા હોય એવા છે તે વિરલા જ હોય છે. ૯વિવિધ પ્રકૃતિવાળા પુરૂષમાં જેઓ પિતાના સ્વાર્થને એક બાજુ રાખીને પરેપકાર કરે, તે ડાહ્યા સમજુ ઉત્તમ પુરૂષ કહેવાય છે. અને જેઓ સ્વાર્થને અને પરાર્થને એમ બંનેને સાધે, તેઓ મધ્યમ પુરૂષની કેટીમાં ગણાય. તથા જેઓ સ્વાર્થને જાળ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy