SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ નાચંતામણિ ] ૧૨૫ ઘણું પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કર્યું. તે પુણ્યના તાત્કાલિક ઉદયથી તેના ઘરમાં અનેક પ્રકારની લક્ષ્મી પ્રગટ થઈ, એટલે વિશેષ કરીને જિનભક્તિ કરતા એવા તે શ્રેષ્ટીએ જિનચૈત્ય, જિનબિંબ, પુસ્તક અને ચતુર્વિધ સંઘ એ સાતે ક્ષેત્રમાં ઘણું ધન ખરચ્યું. એ પ્રમાણે હંમેશાં દ્રવ્યપૂજા તથા ભાવપૂજા કરતાં શ્રેષ્ઠી સમકિત પામી, દેવ ભવનું આયુષ્ય બાંધી મનુષ્ય ભવનું આયુષ્ય પૂર્ણ થતાં પ્રથમ સૌધર્મ સ્વર્ગમાં દેવતા થયા. ત્યાંથી ઍવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ કુળને વિષે ઉત્પન્ન થઈ સદ્દગુરુ સમીપે દીક્ષા લઈ મુક્તિસુખને પામશે. આ શ્રાવક ધનસાર શ્રેષ્ઠીએ જિનેશ્વરની પૂજાનું ફળ શીધ્રપણે આ ભવમાંજ મેળવ્યું, અને પછીના ભાવમાં ચારિત્ર લઈને ભાવપૂજાની વિશુદ્ધિવડે તે મુક્તિ પામ્યો. તેનું દષ્ટાંત સાંભળીને બીજા ભવ્ય જીએ પણ દ્રવ્ય તથા ભાવ એ બન્ને પ્રકારની પૂજા કરીને બાંધેલા પુણ્યાનુબંધી પુણ્યના ઉત્કૃષ્ટ ફલરૂપે મુક્તિના સુખ મેળવવા જોઈએ. એ જ પ્રમાણે શ્રીઆચાર્ય ભગવંત વગેરે ગુરૂઓની સાત્વિક ભક્તિ કરવાથી પણ પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. ૪ પુણ્યાનુબંધી પુણ્યના પાંચમા કારણને જણાવતાં કહ્યું કે જે જીવો બીજાને લગાર પણ દુઃખ થાય તેવું કામ કરવાને વિચાર પણ કરે નહી તે જ પુણ્યાનુબંધી પુણ્યને બાંધે છે. ૫ અને પુણ્યાનુબંધી પુણ્યના છઠ્ઠા કારણે પોપકારને અંગે જરૂરી બીન આ રીતે જાણવી– પોપકાર સંબંધી ઉપમા, ઉભેક્ષા તથા અન્યોક્તિએ. ૧. બુદ્ધિમાન પુરૂષ સન્માગને સાધવાને માટે અને બીજા ને બેધ પમાડવા માટે શાસ્ત્રને, અને દાન દેવા માટે ધનને તથા ધર્મની સાધના કરવા માટે જીવિતને તેમજ પરોપકાર કરવાને માટે શરીરને ધારણ કરે છે. ૨. જેઓનું મન ઉદારતા ગુણ રૂપી કમલની સુવાસથી ભરેલું છે, તેમને પરોપકારને માટે પાંચ હજાર, લાખ, કરોડ પ્રમાણ ધનનું કે રત્નોથી ભરેલું પૃથ્વીનું દાન દેતાં લગાર પણ સંકેચ થતો નથી. ૩. ચંચા (ક્ષેત્રને સાચવવા માટે ખેતરમાં ઉભે કરેલો ચાડીયો) ખેતરનું, ફરકતી ધજા મહેલનું, રાખ અનાજનું અને દાંતમાં ગ્રહણ કરેલું ઘાસ શત્રુના પ્રાણનું રક્ષણ કરે છે. આ વાતને ધ્યાનમાં રાખીને ઉત્તમ મનુષ્યએ જરૂર પપકાર કરે જ જોઈએ. કારણ કે પરોપકાર ગુણ વગરને માનવ તદ્દન નકામે જ કહેવાય છે. ૪. જો કે સમુદ્ર મેટો છે, પણ તે શા કામન? કારણ કે તેનું પાણી ખારું છે. તે તો મીઠા પાણીને પણ ખારું કરી નાંખે છે. એના કરતાં તે ભલેને કુ ના હોય, છતાં પણ તે સારે ગણાય. કારણ કે ત્યાં જઈને તરસ્યા છે ધરાઈને પાણી પીએ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy