SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ [ શ્રી વિજયપઘારિકત૧૬. જે અગરૂ (સુગંધી દ્રવ્ય વિશેષ) બીજાને ખૂશ કરવાને બળી મરે છે, તે અગરૂને વિવેકી એવા વિધાતાએ અગુરૂ કર્યો એટલે નાને બનાવ્યો. અહીં અગુરૂને બીજો અર્થ ગુરૂ (મે) નહિ એટલે નાને એમ અર્થ કરે. જે પાપકાર કરે એને માટે બનાવવું જોઈએ એટલે “ગુરૂ” એમ કહીને બોલાવવા જોઈએ. અગરૂ (અગુરૂ) પણ તેવું જ કામ કરે છે, છતાં વિધાતાએ એનું “ગુરૂ એવું નામ નહિ પાડતાં “અગુરૂ એવું નામ પાડયું, એ આશ્ચર્યની વાત છે. ૧૭. નદીઓ પાણીથી ભરેલી હોય છે. ઝાડ ફલેથી ભરેલાં હોય છે. તથા મેઘ પાણીથી ભરેલું હોય છે, છતાં તે ત્રણે પિતાની વસ્તુ પર પકારને માટે આપે છે. વ્યાજબી જ છે કે સત્પરૂની વિભૂતિ પરોપકારમાં જ વપરાય. ૧૮. ચંદ્રમા પિતાના પ્રકાશથી તમામ જીવલોકને ધવલ (સફેદ) બનાવે છે. પણ પિતાનું કલંક ભૂંસતો નથી. આનું કારણ એ કે પરોપકાર કરવામાં આદરભાવ રાખવાવાળા ઉત્તમ અને બીજાનું કામ બજાવવાના પ્રસંગે પોતાના કાર્યની લગાર પણ પરવા હોતી નથી, તેઓ એમ સમજે છે કે પરનું કાર્ય બજાવવામાં જ અમારું કાર્ય સમાએલું છે. અથવા પરોપકારના પ્રતાપે જ અવસરે અમારું કામ પણ જરૂર થઈ જશે. ૧૯. તમે કહે તે ખરા કે સૂર્ય ના હુકમથી અંધકારને દૂર કરે છે? છાંયડે કરવાને માટે ઝાડની આગળ વિનંતિ કરવા કે હાથ જોડયાં? મેઘની આગળ વરસાદને માટે કેણે પ્રાર્થના કરી? આમાં કહેવાનું એ છે કે સૂર્યને કેઈએ હુકમ કર્યો નથી, ઝાડની આગળ કેઈએ હાથ જોડયા નથી અને મેઘની પાસે કેઈએ માગણી કરી નથી, પણ સૂર્યાદિની એ પ્રવૃતિ જગતના જીવોને એ બધપાઠ શીખવે છે કે અમારા જેવા સાધુ પુરૂષ સ્વભાવેજ સામાનું ભલું કરવામાં નિરંતર તત્પર રહે છે. ૨૦. એક કવિ શેષનાગને ઉદ્દેશીને પરોપકારને બંધ આ પ્રમાણે આપે છે. હે શેષનાગ ! આખી પૃથ્વીના ભારથી અકળાઈને તું ડોક વાંકી કરીશ નહિ! કારણ કે તું જે આટલું દુઃખ સહન કરીશ તે તેથી જગતના તમામ જીવે સુખમાં રહેશે. (શેષનાગ પૃથ્વીને ધારણ કરે છે આવી લૌકિક માન્યતાને અનુસારે ઉપરની બીના કહી છે. તેમાંથી પણ સમજવાનું એ મલે છે કે-જે લગાર દુઃખ સહન કરવામાં ઘણાં છાનું હિત જળવાય, તેવા દુઃખને પરોપકાર રસિક જો જરૂર આનંદથી સહન કરે છે.) ૨૧. પરોપકારના પ્રભાવને સમજીને પરોપકાર કરવાની ઈચ્છાવાળા ભવ્ય એ એ વાત જરૂર યાદ રાખવી જ જોઈએ કે જ્યાં સુધી સારી સ્થિતિ ટકે, તેટલામાં પરોપકારને કાર્યો જલદી કરી લેવાં, કારણકે વિપત્તિના અવસરે પરેપકાર પ્રાયઃ મુશ્કેલ છે. ૨૨. જેમ પારે મારનારનું પણ કલ્યાણ કરે છે એટલે સોનું આપે છે, એમ ઉદાર દિલના માણસો સામાએ કરેલા ગુના તરફ લક્ષ્ય રાખ્યા વગર ગુનેગારનું પણ ભલું કરે છે. Jain Education Intemational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy