SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણી ] ૧૨૩ ઉખેવ, ચંદનાદિ પદાર્થોનું વિલેપન કરવું, આભરણ પહેરાવી આંગી રચવી, એ અંગપૂજા કહેવાય, અને પ્રભુની આગળ સાથિયો કરે, નૈવેદ્ય ફલ વગેરે મૂકવાં, એ અચપૂજા કહેવાય. તથા પ્રભુગુણોની સ્તુતિ કરવી, સ્મરણ ચિંતવના કરવી, એ ભાવપૂજા કહેવાય. આ સંબંધી વધુ બીના શ્રી શ્રાદ્ધવિધિ ઉપદેશતરંગિણી વગેરે ગ્રંથમાંથી જોઈ લેવી. છે પૂજાનું ફલ છે પ્રભુની પૂજા કરવાથી પાપનો નાશ થાય છે, દુર્ગતિનાં દુઃખ ભેગવવા પડતાં નથી, આપત્તિને નાશ અને પુણ્યને વધારે થાય છે, લકમી વધે છે, આરોગ્ય મળે છે, લોકમાં જશકીર્તિ પ્રશંસા વધે છે, અને દેવગતિના અને મેક્ષનાં સુખ પણ મળે છે. આ વાત ધ્યાનમાં રાખીને ભવ્ય જીએ ત્રિકાલ પૂજા કરી માનવ ભવ સફલ કરે. હવે બીજી રીતે પૂજાનું સ્વરૂપ ધનસાર શેઠના દષ્ટાંત સાથે ટૂંકામાં આ રીતે જાણવું– દ્રવ્યપૂજા–ભાવપૂજા. સ્યાદે પાસનારૂપા, દ્રવ્યા ગૃહમેધિનામ્ | અભેદોપાસના રૂપા, સાધનાં ભાવપૂજના છે ૧ છે ભાવાર્થ –“ગૃહસ્થીઓને ભેદઉપાસના રૂપ દ્રવ્યપૂજા હોય છે, અને સાધુઓને અભેદઉપાસનારૂપ ભાવપૂજા હોય છે.” ભેદઉપાસના રૂપ એટલે મારા આત્માથી અહમ્ પરમેશ્વર જુદા છે. પ્રાપ્ત થયેલા આત્માનંદના વિલાસી છે. તેની ઉપાસના એટલે નિમિત્ત આલંબન રૂપ સેવા તે રૂપ દ્રવ્યપૂજા ગૃહસ્થીઓને કરવા યોગ્ય છે, અને સાધુઓને તે અભેદ ઉપાસના એટલે પરમાત્માથકી પિતાને આત્મા અભિન્ન છે એવા પ્રકારની ભાવપૂજા જ કરવા ગ્ય છે. જે કે અહંન ભગવાનના ગુણનું સ્મરણ કરવું, તેમનું બહુમાન કરવું, એવા ઉપગરૂપ સવિકલ્પ ભાવપૂજા ગૃહસ્થીઓને પણ કરવા યોગ્ય છે, તે પણ ઉપયોગવાળી આત્મસ્વરૂપના એકત્વરૂપ ભાવપૂજા તે મુનિઓને જગ્યા છે. આ પ્રસંગને યથાર્થ સમજાવનાર ધનસારનું દૃષ્ટાંત ટૂંકામાં આ રીતે જાણવું– શ્રીપુર નગરમાં જિતારી નામે રાજા રાજ્ય કરતો હતો. તે નગરમાં ધનસાર નામને એક વાણિયો રહેતો હતો. તે અંત્યત દરિદ્રી હોવાથી કોઈ પણ સ્થાને આદર પામતો નહી, પરંતુ તે સ્વભાવે સરળ હતું, અને હમેશાં સદગુરુની પાસે ધર્મોપદેશ સાંભળતા હતે. એક વખતે તેણે વિનયપૂર્વક દીન વાણીથી ગુરુને પૂછયું કે “હે સ્વામી! હું દરિદ્રી, દુઃખી અને નિર્ધન કેમ થયે?ગુરુએ કહ્યું કે “તે પૂર્વ ભવે શ્રીજિનેશ્વરની પૂજા કરી નથી, તેથી તું દુઃખી થયે છું. હવે આ જન્મમાં તું દ્રવ્યપૂજા તથા ભાવપૂજા કર, જેથી તારા દુઃખને ક્ષય થાય. તેમાં ભાવપૂજાનું સ્વરૂપ પૂર્વાચાર્યોએ એવું કહ્યું છે કે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy