SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ [ શ્રી વિજ્યપઘસરિકૃતજાગૃત થાય છે, તેમની ઓળખાણ પડે છે. તે પ્રભુની દેશના સાંભળીને તે પ્રમાણે વર્તન રાખતાં મુક્તિનાં સુખ પામી શકાય છે. જે તે મુસાફરે ગાયને આકાર જે ન હેત તે તે સાચી ગાયને જેવા છતાં તેને ઓળખત ખરો કે? ન જ ઓળખત. સાબીત થાય છે કે–જેમ તે મુસાફરને ગાયની આકૃતિ સાચી ગાયને ઓળખવામાં કારણ થઈ, તેમ પ્રભુ દેવની પ્રતિમા પણ પૂજાદિ ભક્તિ કરનારા ભવ્ય જીવોને સાચા શ્રીતીર્થકર દેવને ઓળખવાનું કારણ બને છે. હવે પ્રભુ પૂજા કઈ રીતે કરવી? તથા તે કરતી વખતે કેવી ભાવના ભાવવી? વગેરે બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી– છે દેવપૂજાની રીત ગુણાધિક પુરૂષને પૂજ્ય માનીને જે બહુ માન સહિત તેમની સેવા કરવી તે પૂજા કહેવાય. તેના બે ભેદ છે તે આ પ્રમાણે-(૧) દ્રવ્યપૂજા અને (૨) ભાવપૂજા. તેમાં જલ, ચંદન, ફલ, ફૂલ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્યથી જે પૂજા કરવી તે દ્રવ્યપૂજા કહેવાય. ભવ્ય જીએ આને ક્રમ સમજવાને માટે નીચે જણાવેલ નિયમે યાદ રાખવા જોઈએ. ૧ પરિમિત જલથી સ્નાન કરવું. અશુચિ અવસ્થામાં પૂજા કરવાથી આશાતના દોષ લાગે. આ મુદ્દાથી એટલે અશુચિને દૂર કરવા માટે સ્નાન કરવું. સ્નાન કરવાના પ્રસંગે શરૂઆતમાં નિજીવ સ્થાનની તપાસ કરવી. ત્યાર બાદ ખપ પૂરતા પાણીથી પરનાળવાળા બાજોઠ ઉપર બેસીને સ્નાન કરવું. પરનાળની નીચે રહેલી કુંડીમાં સ્નાનનું પાણી પડે તે સ્નાન કરીને જયણા પૂર્વક તડકે નિજીવ સ્થલે છુટું છુટું નાંખવું. ૨ પૂજાનાં વસ્ત્રો ફાટેલાં ન હોય, તેમજ અશુદ્ધ પણ ન હોવાં જોઈએ. એટલે ન્હાઈને અખંડ ચોખાં વસ્ત્ર પહેરીને દહેરે જવું. રસ્તામાં અશુદ્ધિ જણાતી હોય તે જલથી પગને શુદ્ધ કરીને મંદિરમાં નિસહી કહી દાખલ થવું. જિનમંદિરના જરૂરી કાર્ય તરફ લક્ષ્ય દઈને તેની યોગ્ય વ્યવસ્થા કરીને બીજી નિસીહી કહીને ગભારામાં દાખલ થાય, અને દ્રવ્યપૂજા શરૂ કરે. મોર પીંછીથી નિર્માલ્ય પુષ્પ વિગેરેને દૂર કરીને વિધિપૂર્વક અભિપેક કરે, ત્યારે જન્માવસ્થાની વિચારણા કરે. પછી અખંડ શુદ્ધ અંગભૂતણાથી પ્રભુના શરીરને સાફ કરીને નવ અંગ પૂજાના દુહા બોલીને અનુક્રમે (૧) જમણે અંગુઠે, ડાબો અંગુઠો (૨) એ પ્રમાણે બને ઢીંચણે (૩) કાંડે (૪) ખભે (૫) મસ્તકે (૬) કપાલે (૭) ગળે (૮) હદયે (૯) નાભિએ પૂજા કરવી. એમ કમસર પૂર્વે જણાવ્યા મુજબ અષ્ટપ્રકારી પૂજા વગેરે કરીને ત્રીજી નિસીહી કહીને ચિત્યવંદન કરવા રૂપ ભાવપૂજા કરવી. અહીં દશત્રિક વગેરેની બીના ખાસ યાદ રાખવી જોઈએ. તે શ્રીચેત્યવન્દન ભાષ્ય વગેરેમાંથી જેઈ લેવી. આ પૂજાના જેવી રીતે (૧) દ્રવ્યપૂજા (૨) ભાવપૂજા એમ બે ભેદ છે, તેમ અપેક્ષાએ (૧) અંગપૂજા (૨) અગ્રપૂજા (૩) ભાવપૂજા એમ ત્રણ ભેદ પણ શ્રી ધર્મસંગ્રહ વગેરે ગ્રંથમાં જણાવ્યા છે. તેમાં પ્રભુદેવની પ્રતિમાની ઉપર જે પુષ્પ ચઢાવવા, ધૂપ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy