SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ નાચિંતામણિ ] ૧૨૧ બીજી રીતે પણ બહુ જ તફાવત જણાશે. એક સાદા કાગળમાં અને સરકારી નેટનાં કાગળમાં કાગળપણું સરખું છતાં સાદા કાગળની કંઈ પણ કીંમત ઉપજતી નથી, અને સરકારી છાપવાળા નોટના કાગળની હજાર કે તેથી પણ વધુ રૂપિયા જેટલી કીંમત ઉપજે છે. એ પ્રમાણે હીરા માણેક વગેરે ઝવેરાતમાં પણ સમજી લેવું. તેમજ માતામાં અને પિતાની પરણેલી સ્ત્રીમાં સ્ત્રીપણું સરખું છતાં દરેકના પ્રત્યે જુદી જુદી ભાવના ગર્ભિત પ્રવૃત્તિ થાય છે. એટલે માતામાં પૂજ્યપણાની અને બેનમાં કે પુત્રીમાં અનુક્રમે બેનપણાની તથા પુત્રી તરીકેની લાગણી હોય છે. સ્ત્રીમાં પ્રેમવૃત્તિને અનુસરતી લાગણી વગેરે હોય છે. આ બીને ધ્યાનમાં રાખનાર સમજુ ભવ્ય છે પત્થર અને મૂર્તિને એક કહેશે જ નહિ. આ પ્રસંગે યાદ રાખવા જેવું પત્થરની ગાયનું દૃષ્ટાંત એ છે કે–એક માણસ જંગલમાં ચાલ્યો જતો હતો. રસ્તામાં ચાલતાં ચાલતાં તેણે જોયું કે એક ખેડૂતને જમીન ખોદતાં ખોદતાં પત્થરની ગાય મળી. તે જોઈને એ મુસાફરે પૂછયું “આ શું છે?ત્યારે પેલા ખેડુતે કહ્યું “આ પત્થરની ગાય છે. જેમ આ ગાયને ચાર પગ, આંચળ, બે શિગડાં વગેરે હોય છે, તેમ સાચી ગાયને પણ એ બધું હોય છે. આંચળમાંથી દૂધ નીકળે, તે પીવાથી ભૂખ અને તરસ મટે છે. આ પ્રમાણે કહેલી બીના યાદ રાખીને તે મુસાફર ત્યાંથી આગળ ચાલ્યા. બહુ દૂર જતાં જતાં રસ્તામાં તેને ભૂખ અને તરસ લાગી. આજુબાજુ તપાસ કરતાં તેને ભાગ્યને સાચી ગાય મળી. આ મુસાફરે પહેલાં પત્થરની ગાય જોઈ હતી તેથી તેણે સાચી ગાયને તરત ઓળખી લીધી. અને દેહીને દૂધ પી લીધું. જેથી ભૂખ અને તરસને મટાડી દીધી. અને તે ઈષ્ટ નગરે જલદી પહોંચી ગયો અહીં દષ્ટાંત પૂરું થયું. તેની ઘટના (સમજૂતી) ટૂંકામાં આ પ્રમાણે જાણવી–પૂજક ભવ્ય જીવો મુસાફરની જેવા જાણવા અને પત્થરની ગાય જેવી જિનપ્રતિમા જાણવી. મુસાફર જેમ જંગલમાં ફરે છે તેમ સંસારી છે સંસારમાં રખડે છે. જેમાં મુસાફરનું ધ્યેય ઈષ્ટ નગરે જવાનું છે તેમ ભવ્ય જીવોનું ધ્યેય મેક્ષ નગરે પહોંચવાનું હોય છે. જેમ જંગલમાં ફરનાર માણસને ભૂખ તરસની પીડા હતી અને તેણે દૂધ પીને શમાવી દીધી, એટલે તે મુસાફર પત્થરની ગાયને જોઈને સાચી ગાયને પારખીને ભૂખ તરસની પીડાને શમાવનારા દૂધને પામે, એ પ્રમાણે સંસારી જીને કર્મની પીડા રહેલી છે. અને ભવ્ય છે ( દૂધ જેવી ) ભાવ તીર્થંકર પ્રભુની દેશનાને સાંભળીને પીડાને દૂર કરી (ઈષ્ટ નગરના જેવા) મેક્ષ રૂપી ઈષ્ટ સ્થાનને પામે છે. આમ કહેવાનું તાત્પર્ય એ છે કે–જંગલમાં ફરનાર મુસાફરને પત્થરની ગાય ( ગાયની આકૃતિ ) જેવાથી સાચી ગાયનું જ્ઞાન થયું, તેમ દ્રવ્યથી અને ભાવથી પ્રભુ દેવની પ્રતિમાની પૂજા કરવાથી અને ત્રિકાલ દર્શન કરવાથી સારા સંસ્કારની જમાવટ થાય છે. જેથી ભવાંતરમાં પણુ ( સાચા ) તીર્થંકરનું દર્શન થતાં તરતજ પૂર્વને સંસ્કાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy