SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ શિનાચિંતામણિ ] ૧૧૯ નહિ, એમ પ્રભુ દેવની પૂજા કરવામાં પણ વિધિ જાળવવી જ જોઈએ. આ બાબતમાં સૌથી પહેલાં પ્રતિમાની જરૂરિયાત ખાસ કરીને જણાવવી જોઈએ, એટલે તે બીન ટૂંકામાં આ પ્રમાણે જાણવી : પન–પ્રતિમા શું ચીજ છે? ઉત્તર–તીર્થકર દેવને ઓળખવાનું અપૂર્વ સાધન પ્રભુદેવની પ્રતિમા છે. એટલે જે તીર્થંકર પ્રભુની પ્રતિમા હોય, તેમણે સાધેલા મોક્ષમાર્ગની અને તેમના આદર્શ જીવનની વિચારણા કરવામાં પ્રભુદેવની પ્રતિમા એ પ્રશસ્ત આલંબન ગણાય છે. પૂજા કર્યા પહેલાં પણ પ્રભુ પ્રતિમાના દર્શન કરનાર ભવ્ય જીને હૃદયમાં વીતરાગની ભાવના જાગે છે, અને પરમ સાત્વિક આનંદનો અનુભવ થાય છે. એટલું જ નહિ પણ તેઓ અંતરંગ શત્રુઓને જીતવામાં પણ અમુક અંશે સફલ થાય છે. એટલું જરૂર યાદ રાખવું કે વિતરાગની પૂજા કરાય છે, પણ આરસના પથ્થર તરફ કે તેની કારીગરી તરફ લક્ષ્ય રાખીને પૂજા કરવામાં આવતી નથી. પ્રશ્ન–પ્રતિમાની જરૂરિયાત માનવામાં વિશિષ્ટ કારણે કયા કયા છે? ઉત્તર–સમજણની કેટીમાં રહેલા આત્મહિતેચ્છુ દરેક મનુષ્યની ફરજ છે કે માનવ જંદગીના ધ્યેય તરફ લક્ષ્ય રાખીને શુભ પ્રવૃત્તિ કરવી. માનવ જીંદગીનું ધ્યેય એ છે કે મોક્ષમાર્ગની સાધના કરીને પિતાના આત્માને નિજ ગુણ રમણતામય બનાવ. જો કે સ્વર્ગમાં રહેનારા દેવે વ્યાવહારિક દષ્ટિએ વિશિષ્ટ શક્તિને ધારણ કરે છે, છતાં તેઓ માનવ જીંદગીનું ધ્યેય સાધી શકતા નથી. પણ મનુષ્ય ધારે તે તે અવશ્ય સાધી શકે છે. આવા આવા અનેક મુદ્દાઓથી માનવ જીદગી ઉત્તમમાં ઉત્તમ ગણાય એમાં નવાઈ શી? તે ધ્યેય ધ્યાન (આત્મતત્ત્વની વિચારણા)ને આધીન છે. ધ્યાનમાં ટકવા માટે પ્રશસ્ત (કર્મ નિર્જરાના સાધનરૂપ) આલંબનની સેવના કરવી જોઈએ. શ્રીવીતરાગ શાસનમાં ઘણા પ્રકારનાં પ્રશસ્ત આલંબને જણાવ્યાં છે, તેમાં પ્રભુ પ્રતિમાની પૂજાને પણ જણાવી છે. આમ કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યાં સુધી જીવ નિરાલંબન સ્થિતિને ગ્ય થયે નથી, ત્યાં સુધી પ્રભુ પ્રતિમાની પૂજા વગેરે ઉત્તમ આલંબનની સેવા કરવી જ પડે છે. આમાંથી એમ પણ સમજવાનું મળે છે કે-નિરાલંબન સ્થિતિને પમાડનારી પ્રતિમા છે. અને ઉત્તમ સંસ્કારની જમાવટ કરવાને માટે પ્રતિમાની જરૂરિયાત બહુ જ છે. કારણ કે ઉત્તમ સંસ્કાર અહીં જે પડ્યા હોય તે તેવા સંસ્કાર આવતા ભવમાં ઉદય આવે છે. એમ થતાં અનુક્રમે આન્નતિના માર્ગે ચાલીને નિર્મળ સાધ્ય સિદ્ધિ કરી શકાય છે. સૂફમબિંદુ [ Pint ] અને બાદબાકીનાં દષ્ટાંતે પણ ચાલુ પ્રસંગને બહુ જ ટેકે આપે છે. સૂમબિંદુ [ Point ની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે–તેને લંબાઈ પહોળાઈ ન હોય છતાં સૂહમદર્શક યંત્રથી તે મોટા સ્વરૂપે પણ દેખી શકાય છે. એ પ્રમાણે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy