SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ શનચિંતામણિ ] કરી બતાવે છે.” જંબૂએ કહ્યું કે “હે ગીર અંગવાળી પ્રિયા ! ભેગે હાથમાં આવ્યા છતાં પણ નાશ પામી જાય છે, તેથી તેમાં મનુષ્યનું સ્વાધીનપણું છે જ નહી; છતાં તેને હાથમાં આવેલા માને છે તેઓને ભૂતની જે ભ્રમ થયેલ છે એમ સમજવું. વિવેકી પુરુષો પિતેજ ભેગના સંગને ત્યાગ કરે છે, અને જે અવિવેકી પુરુષે તેને ત્યાગ કરતા નથી તેનો તે ભોગે જ ત્યાગ કરે છે.” પછી છેલ્લી ( આઠમી ) જયશ્રી બલી કે “હે સ્વામી ! તમે સત્ય કહે છે, પરંતુ તમે પપકાર રૂપ ઉત્તમ ધર્મ અંગીકાર કરનારા છે, માટે ભેગને ઈચ્છયા વિના પણ અમારા પર ઉપકાર કરવા માટે અમને સે. વૃક્ષો મનુષ્યના તાપને દૂર કરવા રૂપ ઉપકારને માટે પિતે તાપને સહન કરે છે. વળી ખારા સમુદ્રનું પાણી પણ મેઘના સંયોગથી અમૃત સમાન થાય છે, તેવી રીતે તમારા સંગથી પ્રાપ્ત થયેલા ભેગ પણ અમને સુખને માટે થશે.” કુમારે કહ્યું કે “હે પ્રિયા ! ભોગોથી ક્ષણ માત્ર સુખ થાય છે, પણ ચિરકાળ સુધી દુઃખ થાય છે” એવા પરમાત્માના વચનથી મારું મન તેનાથી નિવૃત્તિ પામ્યું છે, અને તેમાં તમારું પણ કાંઈ કલ્યાણ હોય એમ મને ભાસતું નથી. માટે હે કમળના જેવા નેત્રવાળી પ્રિયા ! તેવા પ્રાંત અહિતકારી ભેગમાં આગ્રહ કરે તે કલ્યાણ માટે નથી. કુમનુષ્યોમાં, કુદેવામાં તિર્યમાં અને નરકમાં ભેગી જને જે દુઃખ પામે છે તે સર્વે જ્ઞાની જ જાણે છે.” આ પ્રમાણેથી કુમારની વાણી સાંભળીને તે આઠે સ્ત્રીઓ વૈરાગ્ય પામી, એટલે તત્કાળ હાથ જોડીને બેલી કે “હે પ્રાણનાથ ! તમે જે માર્ગને આશ્રય કરે તે જ માર્ગ અમારે પણ સેવ્ય છે.” તે વખતે પ્રભવ વિચાર કરવા લાગ્યા કે “અહો ! આ મહાત્માનું વિવેકીપણું તથા પરોપકારીપણું કેવું છે? અને મારું પાપિષ્ટપણું તથા મૂખપણું કેવું છે? આ મહાત્મા પિતાને આધીન એવી પણ લક્ષ્મીને ત્યાગ કરે છે અને નિર્લજજ એ હું તેજ લક્ષમીની અભિલાષા કરું છું પણ તે પ્રાપ્ત થતી નથી. માટે હું અત્યંત નિદ્ય છું. મને અધમીને ધિક્કાર છે!” આવા વિચારથી પરિવાર સહિત વૈરાગ્ય પામેલો પ્રભાવ બે કે “હે મહાત્મા ! મને આજ્ઞા આપે. મારે શું કરવું ?” જંબૂ કુમારે જવાબ આપે કે “જે હું કરું તે તું પણ કર.” પછી પ્રાતઃકાળે સંઘ તથા ચિત્યનું પૂજન કરીને સ્વજનેનું સન્માન કરીને કુમારે સ્નાન કરી ચંદનનું વિલેપન કર્યું. પછી વેત વસ્ત્રો તથા સર્વ અંગે અલંકારો ધારણ કરીને હજાર પુરૂષોએ વહન કરાતી શિબિકામાં આરુઢ થયા. માર્ગમાં દીન પુરુષને દાન આપી રંજન કરતા હતા, વાજીથી આકાશ શબ્દિત થતું હતું, અને અનાદત દેવતાએ તેને નિષ્કમણત્સવ કર્યો હતો. એવી રીતે પિતાની આઠ પત્નીઓ, તેમના મા બાપ, પિતાના માબાપ અને પાંચસે ચેર સહિત પ્રભવ રાજપુત્ર–એ સર્વની સાથે જ બૂકુમાર સુધર્માસ્વામીએ પવિત્ર કરેલા ઉપવનમાં આવ્યા. ત્યાં શિબિકાથી ઉતરીને ગુરુને નમસ્કાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy