SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ( શ્રી વિજ્યપઘસુરિકૃત“આ વાદળાંઓની જેમ યૌવન, ધન, સૌન્દર્ય વિગેરે અનિત્ય છે.” એમ નિશ્ચય કરીને ગુરુ પાસે જઈ તેણે દીક્ષા લીધી. અનુક્રમે અવધિજ્ઞાન પામી પૃથ્વી પર વિહાર લાગ્યા. તેજ વિદેહ ક્ષેત્રમાં વીતશેક નામના પુરમાં ભવદેવને જીવ સૌધર્મ દેવલોકમાંથી ચવીને શિવકુમાર નામે રાજપુત્ર થયો. તે એકદા પોતાના મહેલના ગવાક્ષમાં બેઠે હતું, તેવામાં તે મુનિ કે જે પોતાના પૂર્વભવના ભાઈ હતા તે ત્યાંથી નીકળ્યા. તેને જોઈને શિવકુમાર અતિ હર્ષ પામ્યો. પછી મુનિ પાસે જઈ વંદના કરીને તેણે પિતાના નેહનું કારણ પૂછયું, ત્યારે તે જ્ઞાની મુનિએ પૂર્વની સર્વ વાત કહી સંભળાવી. તે સાંભળીને તે દીક્ષા લેવા ઉત્સુક થયે; પરંતુ માતાપિતાની આજ્ઞા નહીં મળવાથી તે ખેદ પામીને પૌષધશાળામાં જઈ નિરંતર છઠ્ઠ તપ કરી પારણાને દિવસે આચાર્મ્સ વ્રત કરવા લાગે. એ પ્રમાણે બાર વર્ષ સુધી તપ કરી ભાવયતિપણું સ્વીકારી ત્યાંથી કાલ કરીને બા દેવલેકમાં આ વિદ્યુમ્ભાલી નામે દેવ થયો છે.” તે સાંભળીને શ્રેણિક રાજાએ તેનું ભાવિ વૃત્તાંત પૂછયું, ત્યારે શ્રી જિનેશ્વર બોલ્યા કે “આજથી સાતમે દિવસે આ દેવ ચવીને આજ નગરીમાં ઋષભ નામના શ્રેષ્ઠીની ધારિણી નામની સ્ત્રીના ગર્ભથી જંબૂ નામે પુત્ર થશે. તે આ અવસર્પિણીમાં છેલ્લા કેવલી થશે.” આ પ્રમાણે ભગવાનની દેશના સાંભળી સર્વ જને સ્વસ્થાને ગયા. પછી સાતમે દિવસે તે દેવ સ્વર્ગથી ચ્યવી ધારિણીની કુક્ષિથી પુત્રરુપે ઉત્પન્ન થયો. તેનું માતાપિતાએ જંબૂ નામ પાડયું. તે અનુક્રમે યુવાવસ્થા પામ્યા. એકદા વૈભારગિરિ ઉપર શ્રીસુધર્મા સ્વામી સમયસર્યો. તેને નમવા માટે જંબૂકુમાર ગયા. સુધર્મા સ્વામીને વાંદીને ગ્ય સ્થાને બેસી અમૃત જેવી ઉજવલ દેશના સાંભળીને તે પોતાના ઘર તરફ પાછા વળ્યા. ગામના દરવાજા પાસે આવતાં તે દરવાજે શત્રુને મારવા માટે ચક્ર વિગેરે ગોઠવેલાં હતાં તે જોઈ જંબૂકુમારે વિચાર્યું કે “કદાચ આ મારણચકાદિક મારા ઉપર પડે, તો હું ધર્મ કર્યા વિના કેવી ગતિ પામું ? માટે હું પાછો વળીને ગણધર પાસે જઈ જીવન પર્યંત બ્રહ્મચર્યનું પચ્ચખાણ તે લઈ આવું.” એમ વિચારી ગણધર પાસે જઈ બ્રહ્મચર્યનું પચ્ચખાણ લઈને તે ઘેર આવ્યા. પછી માતપિતાને તેણે કહ્યું કે “હું આપની આજ્ઞાથી શ્રીસુધર્મા સ્વામી પાસે દીક્ષા લેવા ઈચ્છું છું.” આ પ્રમાણેનું કાલકૂટના જેવું તેનું વચન સાંભળીને માતાપિતાએ પુત્ર પરના નેહથી મેહ પામીને સંયમની દુષ્કરતા વિગેરેનું વર્ણન કર્યું. તેના અનેક ઉત્તર આપીને જંબુકુમારે માતાપિતાને નિરુત્તર કર્યા; એટલે ફરીથી તે બોલ્યા કે “હે વત્સ ! તારે માટે પ્રથમથી નક્કી કરી રાખેલી આઠ કન્યાઓને પરણીને અમારા મને રથ પૂર્ણ કર, પછી તારે ગમે તે કરજે.” આ પ્રમાણે કહેવામાં તેના માતાપિતાએ “સ્ત્રીઓના પ્રેમમાં પડવાથી પછી એ જઈ શકશે નહી” એ નિશ્ચય કરીને તેને પરણવાને આગ્રહ કર્યો. પછી મોટા ઉત્સવથી અંબૂકુમારે આઠ કન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું. જંબુકમારે પરણ્યા પહેલાં તે આને પિતાને મનેરથ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy