SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ રાના ચિંતામણિ ] વૃદ્ધા બોલી કે “હે પુત્ર! શ્વાનથી પણ અધિક જુગુપ્સા કરવા લાયક આ કાર્ય કરવું તે તને ગ્ય નથી.” ભવદેવ પણ બોલ્યા કે “હે બાળક ! વમન કરેલા અનાજને ખાવાની ઈચ્છા કરવાથી તું શ્વાનથી હલકે ગણાઈશ.” ત્યારે નાગિલા બોલી કે “હે મહાત્મા ! તમે એવું જાણે છે, છતાં પ્રથમ વમન ત્યાગ) કરેલી એવી જે હું તેને હવે પાછા તમે કેમ ચાહો છો ? લાજતા નથી ? દુર્ગધી એવા મારા દેહમાં સારું શું જુઓ છે?” ઈત્યાદિ નાગિલાની યુક્તિયુક્ત વાણીથી પ્રતિબોધ પામેલ ભવદેવ ફરીથી ગુરુ પાસે ગયે, અને ફરીથી ચારિત્ર ગ્રહણ કરી ગુરુએ કહેલા તપને સ્વીકાર કરી છેવટે અનશનથી કાળ કરીને સૌધર્મ દેવલોકમાં દેવતા થયે. શ્રીજબૂસ્વામીની કથા. ગણાધિપેથ સંપ્રાપ્ત, પંચમે પંચમીગતિમ જબૂર્વિકાસયામાસ, શાસનં પાપનાશનમ્ ૧ ભાવાર્થ–“પાંચમા ગણધર સુધર્માસ્વામી પાંચમી ગતિ (મોક્ષ) પામે છતે શ્રીજબૂસ્વામીએ પાપને નાશ કરનારા જૈનશાસનને વિકાસ કર્યો.” શ્રીજંબૂસ્વામીની કથા એકદા વૈભારગિરિ ઉપર શ્રી મહાવીર સ્વામી સમવસર્યા. તે સાંભળીને શ્રેણિક રાજા સર્વ સમૃદ્ધિથી ત્યાં જઈ પ્રભુને વાંદી દેશના સાંભળવા બેઠા. તે સભામાં ચાર દેવીઓ સહિત બેઠેલા કેઈ અતિ દેદીપ્યમાન કાંતિવાળા દેવને જોઈને રાજાએ પ્રભુને પૂછયું કે હે સ્વામી ! સર્વ દેવામાં આ દેવ અતિ કાંતિમાન છે તેનું શું કારણ?” ત્યારે પ્રભુ બોલ્યા કે “પૂર્વે તમારા જ દેશમાં ભવદત્ત અને ભવદેવ નામના બે ભાઈઓ હતા. તેમાં મોટા ભાઈ ભવદત્ત ચારિત્ર ગ્રહણ કર્યું હતું. પછી કેટલેક કાળે ભવદત્તના આગ્રહથી ભવદેવે પણ અધ શણગારેલી નાગિલા નામની પત્નીનો ત્યાગ કરીને ચારિત્ર ગ્રહણ કર્યું. કેટલેક વર્ષે ભવદત્ત મુનિ સ્વર્ગે ગયા પછી ભવદેવ ચારિત્રથી ભગ્ન પરિણામવાળો થયે, તેને ફરીથી નાગિલાએજ સ્થિર કર્યો. તે ભવદેવ મૃત્યુ પામીને સૌધર્મ દેવલોકમાં દેવતા થયે. ભવદત્તને જીવ સ્વર્ગથી ઍવીને મહાવિદેહ ક્ષેત્રમાં પુંડરીકિણ નામની પુરીમાં વાદત્ત નામના ચક્રીની યશોધરા નામની રાણીથી પુત્રપણે ઉત્પન્ન થયે. તે કુમાર અનુક્રમે યુવાવસ્થા પામ્યો, ત્યારે પિતાએ તેને ઘણી કન્યાઓ પરણાવી. એકદા તે રાજકુમાર પિતાની સ્ત્રીઓ સહિત મહેલની અગાશીમાં બેઠે હતો તે વખતે આકાશમાં વિચિત્ર વર્ણન વાળાં વાદળાંઓ તથા મેઘ જોઈને આનંદ પામે. ક્ષણવારમાં પ્રચંડ વાયુ વાવા લાગ્યો, એટલે સર્વ વાદળાંઓ અને મેઘ વીખરાઈને જતાં રહ્યાં. તે જોઈને રાજકુમારે વિચાર્યું કે ૧૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy