SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ રાના ચિંતામણિ ] જીએ પણ આ વૈરાગ્યાદિને પિષનારા નિર્મલ (ચારિત્રાદિ) ગેને આરાધીને સિદ્ધિના સુખ મેળવવા, એમાંજ માનવ જન્મની ખરી સફલતા છે. ૨ પુણ્યાનુબંધી પુણ્યને બાંધવાનું ત્રીજું કારણ “નિર્મલ શીલવૃત્તિ જણાવ્યું. તેનું યથાર્થ સ્વરૂપ સમજવાને માટે પૂર્વભવાદિની બીના સાથે શ્રીજબૂસવામીનું દષ્ટાંત બહુજ ઉપયેગી છે. તે ટૂંકામાં આ પ્રમાણે જાણવું-(૧) ભવદેવ, (૨) સૌધર્મ દેવલોકે દેવ, (૩) શિવકુમાર (૪) વિદ્યુમ્માલી દેવ, (૫) જંબૂકુમાર–આ કેમે કરીને પાછલા ચાર ભવેની બીના સહિત શ્રી જબૂસ્વામીનું ચરિત્ર જણાવીશ. તેમાં ભવદેવનું વર્ણન ટૂંકામાં આ પ્રમાણે– કેટલાક લજજાથી પણ ગ્રહણ કરેલા વ્રતને તજતા નથી તે વિષે – લજાતો ગ્રહતાં દીક્ષાં, નિર્વહતિ યદા ના તદ્દા સર્વેષ યોગ્યાત્મા, લક્ષ્મતે ભવદેવવતુ ના ભાવાર્થ–“જ્યારે માણસ લજજાથી પણ ગ્રહણ કરેલી દીક્ષાનું પાલન કરે છે, ત્યારે તે ભવદેવની જેમ પૈર્યવાન પુરુષોમાં યોગ્ય આત્મા જણાય છે.” આ અર્થનું સમર્થન કરવા માટે સંપ્રદાયાગત ભવદેવને સંબંધ કહેવામાં આવે છે. ભવદેવની કથા. સુગ્રામ નામના ગામમાં રાઠોડવંશી આર્યવાન નામનો એક કૌટુંબિક (કણબી) રહેતે હતો. તેને રેવતી નામે સ્ત્રી હતી, અને ભવદત્ત તથા ભવદેવ નામે બે પુત્રો હતા. તેમાંના ભવદત્ત સંસારથી વિરક્ત થઈને વૈરાગ્યથી સુસ્થિત નામના આચાર્ય પાસે દીક્ષા લીધી. ગુરુની સાથે વિહાર કરતાં તે ભવદત્ત મુનિ ગીતાર્થ થયા. એકદા કેઈ સાધુ ગુરુની રજા લઈને પિતાને ગામ પિતાના નાના ભાઈને પ્રતિબંધ આપવા માટે ગયા, પણ ત્યાં તેનો ભાઈ તો વિવાહના કાર્યમાં વ્યગ્ર હતું, તેથી તેણે પિતાના મોટા ભાઈ મુનિને આવેલા પણ જાણ્યા નહી; એટલે ખેદયુક્ત થઈને તે મુનિએ ગુરુ પાસે પાછા આવીને સર્વ વૃત્તાંત કહ્યું. તે સાંભળીને ભવદત્ત મુનિ બોલ્યા કે અહો ! તમારા ભાઈનું હદય તો બહુ કઠણ લાગે છે કે જેથી તમારે સત્કાર પણ તેણે કર્યો નહી.” ત્યારે તે મુનિ બોલ્યા કે “ત્યારે તમારા નાના ભાઈને દીક્ષા અપાવે.” તે સાંભળી ભવદત્ત બેલ્યા કે “જ્યારે ગુરુ તે દેશ તરફ વિહાર કરશે ત્યારે તે કૌતુક તમને બતાવીશ.” અન્યદા ગુરુ મહારાજ વિહાર કરતાં કરતાં ભવદત્તના ગામ તરફ ગયા; ત્યારે ગુરુની આજ્ઞા લઈને ભવદત્ત પિતાને ઘેર ગયા. તે વખતે ભવદેવ નાગદત્તની નાગિલા નામની કન્યાને તરતમાં જ પરણ્યો હતો. ભવદત્ત મુનિએ ઘેર જઈ ધર્મલાભ આપે ત્યારે તેના સ્વજનોએ તેમને પ્રાસુક અન્નથી પ્રતિલાલ્યા. તે સમયે કુલાચારને લીધે ભવદેવ પિતાની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy