SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજ્યપધચરિકૃતદ્રવ્ય દયા કહેવાય. અને સ્મારણાદિ સાધનથી કેઈને ધર્મના રસ્તે દેર એ ભાવ દયા કહેવાય. એમ સંક્ષેપથી જાણવું. વિસ્તારથી અહીંજ આગળ જણાવીશ. દયા ગુણના સંબંધમાં વિક્રમ રાજાની બિના જાણવા જેવી છે, તે ટૂંકામાં આ પ્રમાણે જાણવીઃ-વિક્રમ રાજાને બે સુવર્ણ પુરુષ સિદ્ધ થયા હતા. તેના પ્રતાપે તેણે પ્રજાને દેવાથી મુક્ત કરી, આથી તેના નામને સંવત્સર પ્રવર્તે. રાજા વિક્રમ એક વખત રજવાડીએ નીક ન્યા ત્યારે તેમણે જમીન ઉપર પડેલા ડાંગરના દાણા જોયા. આ જોઈને રાજા એકદમ હાથીના સ્કંધ ઉપરથી નીચે ઉતર્યા, અને તેમણે તે દાણ મસ્તકની ઉપર ધારણ કર્યા. આ અવસરે અનાજની અધિષ્ઠાયિકા લકમી દેવીએ પ્રસન્ન થઈને રાજાને કહ્યું કે હે રાજન ! તારે જે જોઈએ તે વરદાન માગી લે.” દેવીનું આ વચન સાંભળીને દયાળુ રાજાએ વરદાન માંગતા જણાવ્યું કે-“હે માતાજી! જે આપ મારી ઉપર પ્રસન્ન થયા હો, તે હું આપની પાસે એ જ માગું છું કે–આપના પસાયથી મારા માલવ દેશમાં કદાપિ દુકાળ પડે નહિ.” દેવીએ કહ્યું “હે રાજન ! એ પ્રમાણે થશે.” ત્યારથી માંડીને આ વરદાનના પ્રભાવે માલવ દેશમાં દુકાળ પડતું નથી અને જ્યારે બીજા દેશમાં દુકાળ હોય ત્યારે ત્યાંના લોકે માલવ દેશને આશરે લઈને સ્વસ્થ જીવન ગુજારે છે. આ પ્રસંગે એ બિના ન ભૂલવી જોઈએ કે-દરેક દર્શનના નેતાઓએ, પિતે પ્રવર્તાવેલા દર્શનને વધારવા માટે જુદા જુદા સ્વરૂપે દયાને માન આપ્યું જ છે. એટલે તેઓ મr fશાન વૈમૂતાનિ (કેઈ પણ જીવને હણવા નહિ), મFAઘાર્વભૂતાન (બધા જીવને પિતાની જેવા ગણવા) વગેરે વચને જણાવીને પિતાના મતના અનુયાયીઓને દયા ધર્મને સાધવાને ફરમાવે છે. પરંતુ તેઓ સંપૂર્ણ રીતે દયાને અમલમાં મૂકી શકતા નથી, એમ નીચેના લૈક ઉપરથી જાણી શકાય છે. એડ્વર્યષ પશુન હિંસન, વેદતત્વાર્થવિદ્ દ્વિજા છે આત્માનં ચ પશું ચૈવ, ગમયત્યુત્તમાં ગતિ ૧ અર્થ–મધુપર્ક વગેરે જણાવેલા પ્રસંગમાં વેદના રહસ્યને જાણનાર બ્રાહ્મણ પશુઓને હણતા પિતાના આત્માને અને તે બ્રાહ્મણ દ્વારા જે હણાય તે) પશુઓને ઉત્તમ ગતિ પમાડે છે, એટલે સદ્ગતિમાં લઈ જાય છે. પ્રશ્ન–કદાચ કઈ એમ પૂછે કે તે વખતે માંસાહાર પૂરજોશમાં વધતો હતો, તેને અટકાવવાને ઉપરને શ્લોક જણાવ્યો છે. આ ઉપરથી એમ મનાવવામાં શું કારણ છે કે–આ શ્લોકમાં હિંસાનું વિધાન કર્યું છે? ઉત્તર–એ પ્રમાણે કહેવું એ સાચું નથી, એ નીચેના શ્લેક ઉપરથી સાબીત થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy