SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] ૧૦૫ વિધિગે ગુરૂપૂજન અવરપિતાવિરતિ ધરીએ, પરતણે ઉપકારે નિજમનદમન હેતુ વિચારીએ પુણ્યાનુબંધી પુણ્ય બાંધે કઈ પૂર્વ ભવે અહીં, તેમનું ધન સ્થિર જ હો મેરૂ શિખર પરે સહી. ૧૪૨ સ્પષ્ટાર્થ –કેટલાક વિરલ (ગણત્રીના ગણ્યા ગાંઠયા) આત્માઓ પુણ્યાનુબંધી પુણ્યના તેજથી એટલે પુણ્યાનુબંધી પુણ્યના પ્રભાવથી ધનમાં વૃદ્ધિ કરે છે એટલે જે ધન હયાત હોય, તેમાં પણ વધારે થાય છે. તેમજ ધનને સ્થિર કરે છે એટલે પુણ્યવંત જીવનેજ લહમીમાં વૃદ્ધિ અને લક્ષમીનું સ્થિરપણું પ્રાપ્ત થાય છે. આવા શુભવિપાકી એટલે પુણ્યના ઉદયવાળા જીવોને તેનાથી (ઉત્તમ ફલદાયક ધનથી) કલ્યાણ માલા એટલે કલ્યાણની અથવા સુખની પરંપરા વિસ્તાર પામે છે. આ પુણ્યાનુબંધી પુણ્યને બાંધવાનાં સાત કારણો આ પ્રમાણે જાણવા–૧ કરૂણ એટલે દુઃખી અને ધર્મ કરવામાં પ્રમાદી જીની ઉપર બે પ્રકારે દયાભાવને અનુકૂલ પ્રવૃત્તિ કરવી. ૨ વૈરાગ્ય એટલે સંસારના પદાર્થોમાં રાગરહિતપણું. ૩ નિર્મલ શીલવૃત્તિ એટલે શુદ્ધ બ્રહ્મચર્યનું પાળવું અથવા દોષ રહિત સદાચાર (મેક્ષ માર્ગની આરાધના) ૪ વિધિગ એટલે વિધિપૂર્વક ગુરૂપૂજન એટલે શ્રી અરિહંત પ્રભુની પૂજા અને પાંચ મહાવ્રતધારી ગુરૂ મહારાજની ભક્તિ કરવી. ૫ અવર ઉપતાપ વિરતિ એટલે બીજા જીવને પિતાપ એટલે દુઃખ દેવું નહી. ૬ બીજા જીવે ઉપર ઉપકાર કરે તથા ૭ નિજ મન દમન એટલે પિતાના મનને ખરાબ વિચારે કરતાં અટકાવીને કાબૂમાં રાખવું, વિષય વાસના તથા આ રૌદ્ર ધ્યાનમાંથી રેકવું. એમ સાત પ્રકારના હેતુ વડે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. જેણે પૂર્વ ભવમાં આવું પુણ્યાનુબંધી પુણ્ય બાંધ્યું હોય તેવા જીનું ધન મેરૂ પર્વતના શિખરની જેમ સ્થિર રહે છે. એટલે તેવા જીને “ પુણ્યશાલી જીવેને પગલે પગલે નિધાન” આ કહેવત પ્રમાણે જેમ જેમ લક્ષમી વપરાય, તેમ તેમ નિરંતર લક્ષમી વધતી જ જાય છે. કારણ કે દાનાદિ સત્ક કરીને બાંધેલા નવા નવા પુણ્યાનુબંધી પુણ્ય કર્મોને પણ ક્રમસર ઉદય થાય છે તેથી તેમના ઘરમાં લક્ષ્મી ખૂટતી જ નથી. આ બે શ્લોકમાં જણાવેલા પુણ્યાનુબંધી પુણ્યને બાંધવાના સાત કારણોમાં કહેલા પહેલા દયા ૫ કારણ ને અંગે ખાસ સમજવા જેવીને સમજીને નિરંતર યાદ રાખવા જેવી બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી–દુનિયામાં સર્વ જીવને પિતાના પ્રાણ વહાલા હેય છે, કેઈને પણ મરણ ગમતું નથી. એક માંકડ જેવા જતુને પકડવા જતાં તે જલદી ભાગી જાય છે. હિંસાનો ત્યાગ કરે એ જીવ દયા કહેવાય. તેના બે ભેદ છે. (૧) દ્રવ્ય દયા અને (૨) ભાવ દયા. તેમાં દ્રવ્યના ભેગે પણ સામા દુખી જીના પ્રાણ બચાવવા એ ૧૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy