SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ [ શ્રી વિજ્યપધરિકાઅસર થાય છે તે જણાવી તે જે ખરૂં ધન છે તે તે અજ્ઞાની-મૂઢ જીવને શું ન કરે ? અથવા તેનાથી અજ્ઞાની અને મહી જીવને ઘણા પ્રકારનાં દુઃખ થાય જ છે. ધનને નાશ થાય ત્યારે તેનું સ્વામીપણું રહેતું નથી. ધનને નાશ થવાથી મુંઝાયેલો તે જીવ કુલ કમાદિક પદ્ધતિ એટલે પિતાના કુલના આચાર વિચારને ગણતું નથી. એટલે ધનને નાશ થવાથી તે ધન મેળવવાને અનેક પ્રકારનાં કૂડ કપટ કરે છે. વળી જેની પાસે ધન હોય છે તે ધનિકે ધનને લીધે અભિમાની બની જાય છે અને તે ધન તે ધનિકમાં વ્યસન વગેરે કરેડે વિકારે ઉત્પન્ન કરે છે. ધન જેમ વધતું જાય છે તેમ લોભ પણ વધતો જાય છે તેથી વધારે ધન મેળવવાને માટે નવા નવા વિચારે કર્યા કરે છે. ધનને લીધે બુદ્ધિને પણ નાશ થાય છે. ધનના મદથી અંધ બનેલા છેને સારી બુદ્ધિ સુઝતી નથી. આ પ્રમાણે વર્તમાન કાળમાં ધન દુઃખદાયી થાય છે તે જણાવ્યું. ૧૩૯ પરલેકમાં પણ આજ ધનથી હોય દુઃખપરંપરા, આર્ત રૌદ્ર ધ્યાન કારણ ધન તણું હે નર; વર્તમાને ધર્મ ચૂકી દુર્ગતિને પામતા, પુણ્યાનુબંધિ પુણ્યથી ધનવર્ધનાદિક સાધતા. સ્પાર્થ–આ ધનને લીધે પરલેકમાં પણ દુઃખની પરંપરા પ્રાપ્ત થાય છે કારણ કે આ લોકમાં જ્યારે ધન હોય છે ત્યારે તેના રક્ષણ વગેરેના મહિના પરિણામથી જીવને આર્તધ્યાન રૌદ્રધ્યાન નામના બે અશુભ ધ્યાન થયા કરે છે અને તેથી ધર્મ કાર્યો કર્યા સિવાય અથવા ધર્મ ચૂદીને મનુષ્યો નરકાદિ દુર્ગતિ પામે છે. માટે પરભવમાં પણ ધન દુઃખ આપનારૂં કહ્યું. પરંતુ જે છે તે ધનને દાનાદિક શુભ કાર્યોમાં વાપરે છે તેઓ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી ધનવર્ધનાદિક એટલે ધનની વૃદ્ધિ સદુપયોગ વગેરેને કરી શકે છે. કારણ કે જેઓ પ્રબેલ પુણ્યોદયવાળા છે તેઓ લાભાન્તરાયાદિ કર્મોના ક્ષયોપશમથી ધન પામે છે અને તે ધનને સુપાત્ર દાનાદિક સારા કાર્યોમાં ઉપયોગ કરે છે, તેથી નવાં પુણ્યાનુબંધી પુણ્યાદિ શુભ કર્મો બાંધે છે. આવા પુણ્યાનુબંધી પુણ્યવંત આત્માઓને ત્યાં લક્ષમી દિન પ્રતિદિન વધ્યાજ કરે છે. માટે જે ધન સુપાત્રદાન વગેરેમાં વપરાય, તેજ સાચું ધન સદ્દગતિનું કારણ પણ નીવડે છે, આ બીના ધનિક ભવ્ય છાએ નિરંતર જરૂર વિચારવી જોઈએ. ૧૪૦ હવે બે શ્લોકમાં પુણ્યને બાંધવાના સાત હેતુઓને જણાવે છે – વિરલ જીવો તેજ પુયે ધન વધારે સ્થિર કરે, શુભવિપાકી તેહથી કલ્યાણમાલા વિસ્તરે પુણ્યાનુબંધિ પુણ્ય કેરા સાત કારણ જાણીએ, કરૂણા તથા વૈરાગ્ય નિર્મલ શીલ વૃત્તિ માનીએ. ૧૪૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy