SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ શનાચિંતામણિ ] ૧૦૩ સ્પષ્ટાથ –ધનની ત્રણ અવસ્થા કહેલી છે. તેમાં પ્રથમ દાન છે એટલે ધન વડે દાનાદિક અનેક શુભ કાર્યો કરી શકાય છે અને તે પ્રમાણે ધનને ઉપયોગ કરનારા ભવ્ય જીવ સાતવેદનીયાદિ પુણ્ય કર્મોને બાંધીને પરિણામે બહુજ સુખી થાય છે. તેથી જ દાનને ધનને સદુપયોગ કહેવામાં આવે છે. ધનની બીજી અવસ્થા ભેગ છે એટલે તે દ્રવ્ય જીવ અનેક પ્રકારનાં ભેગોમાં વાપરી શકે છે. અથવા તે ધન પિતાના અનેક પ્રકારના ઘરકાર્યોમાં અને ભેગાદિના સાધને મેળવવામાં પણ વાપરી શકાય છે. આ રીતે જે આત્મા પિતાની પાસે ધન હોવા છતાં દાન કરતા નથી અથવા પોતાના કાર્યોમાં તેને ઉપયોગ નથી કરતો (વાપરતો નથી) તેના ધનની ત્રીજી અવસ્થા એટલે નાશ થાય છે. કારણ કે તે ભેગું કરેલું ધન પાપને ઉદય થાય ત્યારે અગ્નિ, ચોર વગેરેથી નાશ પામે છે. વળી ધનના નિમિત્તે ત્રણે કાળમાં ચિંતા રહ્યા કરે છે. કારણ કે તે ધન–પૈસો પેદા કરતાં જીવ અનેક પ્રકારનાં દુઃખ ભોગવે છે. એટલે દુઃખ ભોગવ્યા વિના ધન પેદા થતું નથી. અને ધન કમાયા પછી તેનું રક્ષણ કરવામાં એટલે તેને કેવી રીતે સાચવવું તેની ચિંતાથી અથવા તે ધન ચાલ્યું જાય તેથી પણ જીવ દુઃખી થાય છે, અથવા મરણ વખત આવે ત્યારે ધનને મૂકીને જવું પડે તેથી પણ જીવને દુઃખ થાય છે. ૧૩૮ ધન કેવી રીતે દુઃખ આપે છે તે બે શ્લોકમાં જણાવે છે – સ્વપ્નમાં પણ આવતાં ધન પ્રશ્રવણ ઝાડે અરે, ઝટ કરાવે તે ખરૂં ધન સ્વામીને શું ના કરે? ધન નાશથી સ્વામી ગણે ના કલ ક્રમાદિક પદ્ધતિ.. - ધનમદે ધનિકે કરોડ વિકાર કરત હરી મતિ. ૧૩૯ સ્પષ્ટાથ–મની અંદર ધન મેળવનાર માણસને તે ધન ઝાડો તથા પેશાબ કરાવે છે. એક માણસને ઉંઘતાં એવું સ્વપ્ન આવ્યું કે—હું એક તળાવની પાળ ઉપર લોટે (કળશે) ગયો છું. ત્યાં જમીન ખેતરતાં તરતાં અખૂટ ધનથી ભરેલો ચરૂ નીકળે. તે જોઈને તે બહુજ રાજીરાજી થઈ ગયા. તે ચરૂને જમીનમાંથી બહાર કાઢીને સાફ કરવાને તળાવની પાસે ગયો, નજીકના બીજા સિપાઈઓ તે જોઈ ગયા. તેથી તેમણે તેની પાસે થોડું ધન માગ્યું, પણ જ્યારે તેણે તેમને ધન આપ્યું નહી, ને રંગઝક કરવા માંડી, ત્યારે તે સિપાઈઓએ તેને માર મારવા માંડયે, તેથી પથારીમાં ઝાડે, પેશાબ થઈ ગયો. ને ચરૂ તળાવમાં “એ ગઈ એ ગઈ” એમ બોલતાં બોલતાં તેની આંખ ઉઘડી ગઈ (જાગી ગયે) ત્યારે તેણે પથારીમાં ઝાડો પેશાબ જોયો. એ ગઈએ ગઈ એમ વારંવાર બોલતાં બોલતાં તે ગાંડા જે થઈ ગયે. ને સ્વમમાં જોયેલું ધન જાગ્યા પછી સ્વપ્નાની માફક જોવામાં પણ આવ્યું નહી. આ ટૂંકા દૃષ્ટાંતથી સાબીત થાય છે કે સ્વપ્નમાં જોયેલું કે મેળવેલું ધન ઝાડો પેશાબ કરાવે છે, ને જીવને ભયભીત બનાવે છે. તથા તાડના તર્જનાદિ પણ કરાવે છે. આ તે સ્વમમાં મેળવેલા ખેટા ધનને લીધે જીવ ઉપર જે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy