SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજયપારિકૃત પાર્થ-જ્યારે ભર ઉનાળો હોય છે એટલે સખત તાપ પડતું હોય છે ત્યારે સિંહની જીભ ચંચળ જણાય છે એટલે સિંહ જીભને હલાવ્યા કરે છે અથવા તાપને લીધે તેની જીભ હાલ્યા કરે છે. સ્થિર રહી શકતી નથી. તેમજ તાપને લીધે પક્ષીનું ગળું હાલ્યા કરે છે એટલે તે પણ ચંચળ જણાય છે. તેવી રીતે ધનનું સ્વરૂપ પણ ચંચળ જાણવું. એટલે ધન વગેરે જે પદાર્થો છે તે પણ નાશવંત હોવાથી ચંચળ જણાય છે. ઈન્દ્રજાળ કરનાર મનુષ્ય અનેક પ્રકારનાં સ્વરૂપ દેખાડે છે પણ તેમાં કાંઈ ખરૂં સ્વરૂપ તે હોતું નથી. બેટી ભ્રમણ માત્ર હોય છે તેવી જ રીતે ધન પણ અનેક પ્રકારનાં આશ્ચર્ય દેખાડે છે અને મારા જે કોઈ સુખી નથી વગેરે બ્રમણું જીવમાં ઉત્પન્ન કરે છે. જેવી રીતે પાણીમાં ક્ષણે ક્ષણે પરપોટા ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, તેની પેઠે ધનને લીધે પણ સંસારી જીવને અનેક પ્રકારના અનેરા ઉત્પન્ન થાય છે, અને નાશ પામે છે. આવા નાશવંત ધનને મેહ તજીને શ્રી જિનધર્મની આરાધના કરવામાંજ માનવ જન્મની ખરી સફલતા છે એ તમે ભૂલશો નહી. ૧૩૬ આ ક્ષણે ક્ષણમાં વિનાશે ધન નિબંધન ભયતણું, અગ્નિ નૃપ તસ્કર પ્રમુખથી નષ્ટ હોવે ધન ઘણું ધર્મ અગ્નિ ભૂપ તસ્કર ચાર બાંધવ ધન તણ, ગુરૂ ભાઈના અપમાનથી ત્રણ બંધુ કપાએ ઘણાં. ૧૩૭ - સ્પષ્ટા–આ સંસારી જીવને પુણ્યને ઉદય થાય, ત્યારે ક્ષણવારમાં લક્ષમી આવે છે એટલે ઘણું ધન મળે છે. તેવી જ રીતે પાપને ઉદય જાગવાથી ક્ષણવારમાં એટલે જોત જોતામાં તે લક્ષમી ચાલી જાય છે. વળી ધન તે ભયનું કારણ છે. કારણ કે જેની પાસે ધન હોય છે તેને તે ધન બીજે કઈ લઈ લેશે તે ભય રહ્યા કરે છે. આવું ધન અનેક રીતે નાશ પામે છે. કારણ કે અગ્નિ તેને બાળી નાખે છે. રાજા તેને હરી લે છે. અથવા ચારે તેને ચોરી જાય છે. પાણીની રેલ આવે, તે તેને ખેંચી જાય છે ને ઘરબાર વગરને કરી મૂકે છે. આ બધું પાપને ઉદય જાગે ત્યારે થાય છે. ધનના ચાર બાંધવે કહ્યા છે. ૧ ધર્મ, ૨ અગ્નિ, ૩ રાજા અને ચોથે ચાર. તેમાં સૌથી મોટે બાંધવ જે ધર્મ છે તેનું જે અપમાન કરે એટલે લક્ષ્મીને ધર્મકાર્યમાં વાપરે નહિ તે બાકીના અગ્નિ રાજા અને ચોર રૂપ ત્રણ નાના બંધુઓ તેને ઉપર કોપાયમાન થાય છે. તેથી તેઓ તેની લમીને નાશ કરે છે. ૧૩૭ ધનની ત્રણ અવસ્થાનું સ્વરૂપ કહે છે – દાન ભેગ વિનાશ ગતિ ત્રણ ધનતણ અવધારીએ, નષ્ટ હોવે તેનું ધન જે દીએ ના ભગવે; ધનથી જ દુખ ત્રણ કાલમાં બહુ દુઃખ તેહ ઉપાર્જતા, રક્ષતા ચાલ્યું જતાં તેને તજી માલીક જતાં, ૧૩૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy