SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજ્યપઘસરિતથઈને મોક્ષમાર્ગને આરાધી સિદ્ધિના સુખ મેળવવા, એમાંજ માનવ જન્મની ખરી સફલતા છે. ૧૩૨ ધર્મની આરાધના અને મમતાને ત્યાગ કરવાનું જણાવે છે – જે રાત દિવસે જાય કરતાં ધર્મની આરાધના, તેહીજ સફલા જાણજો ના રાખજે તેમાં મણું સ્ત્રી કુટુંબ ધનાદિમાંથી એક પણ પરભવ જતાં, આવે નહી સાથે તમારી કિમ કરે? મમતા છતાં ૧૩૩ સ્પષ્ટાર્થ –હે ભવ્ય જી! આ કાલમાં મનુષ્યના ઉત્કૃષ્ટ ગણાતા સો વર્ષના આયુષ્યમાંથી જે દિવસો અને રાતે ધર્મની આરાધના કરતાં જાય છે તેજ દિવસ રાત્રિઓ સફળ છે એમ નિશ્ચયે જાણજે. બાકીના ધર્મકરણ વિનાના પ્રમાદમાં ગએલા રાત દિવસો ફેગટ ગએલા જાણવા. માટે ધર્મ કરણું કરવામાં કઈ જાતની કચાશ રાખશે નહિ. જેના ઉપરની મમતાને લીધે તમે જીંદગી ધર્મ કાર્ય કર્યા સિવાય ફગટ ગુમાવી દે છે તે સ્ત્રી, કુટુંબ, ધન, બંગલા, મેરે વગેરેમાંથી કેઈ એક પણ મરણ પછી પરભવમાં જતાં કેઈની સાથે જતું નથી તે પ્રત્યક્ષ જુએ છે, છતાં તમે તે પદાર્થોની ઉપર ફોગટ મમત્વ (મારાપણું) કેમ રાખે છે? તે મમત્વજ તમને દુર્ગતિમાં લઈ જાય છે. માટે જે વસ્તુ તમારી નથી તે વસ્તુ પરના ખોટા મમત્વ ભાવને દૂર કરીને આત્મગુણે જે પરભવમાં સાથે આવનાર છે તે ગુણોની આરાધના કરવામાંજ મમતાભાવ રાખ વ્યાજબી છે. આવી ભાવનાથી ભૂત કાલમાં અનંતા જી પરમ ઉલ્લાસથી મેક્ષ માર્ગને આરાધીને સિદ્ધિપદને પામ્યા છે. હાલ અહીં તથા મહાવિદેહમાં મેક્ષને પામે છે અને ભવિષ્યમાં પણ અનંતા જીવ મોક્ષને પામશે. ૧૩૩ સંસારના પદાર્થો નાશવંત છે તે જણાવે છે – સંસારમાં સઘળા પદાર્થ અનિત્ય દુખના કારણે, ધન શરીર નારી સગાં સૌ ક્ષણિક મેળે પંખીને; એ બધી પર વસ્તુઓ છે તેના સાગથી, હાય દુઃખ પરંપરા તિણ અલગ રહે તેહથી. ૧૩૪ સ્પદાર્થ –આ સંસારની અંદર સઘળા પદાર્થો અનિત્ય એટલે નાશવંત છે. વળી ધન, શરીર, સ્ત્રી તથા સગાં સબંધીઓ એ બધાંએ દુઃખનાં કારણે છે. આ સ્ત્રી, પુત્ર, પરિવાર વગેરે સંગ (મેળા૫) પક્ષીઓને મેળા જેવું છે. જેમ કે ઝાડની ઉપર સંધ્યા સમયે દિશાઓમાંથી અનેક પક્ષીઓ આવીને એકઠા થાય છે. રાત્રીવાસો રહીને સવારમાં પાછાં બધા વીખરાઈ જાય છે. તેવી રીતે પોતે માનેલાં સગાંઓને મેળો પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy