SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ શના ચિંતામણિ ] હું વિદ્યા માટે અહીં આવે, ઘર તજીને પરદેશમાં પરઘેર આવે. ઈંદ્રદત્ત અને ધર્માર્થે જ વિદ્યા આપે છે, અને શાલિભદ્ર શેઠ ભોજન આપે છે, તે પણ અલ્પ બુદ્ધિવાળા મેં યૌવનના મદથી દાસી સાથે ગમન કર્યું. મારા નિર્મળ કુળને કલંક લગાડયું. માટે વિષયોનેજ ધિક્કાર છે કે જેથી જીવે આવી રીતે વિડંબના પામે છે.” ઈત્યાદિ વિચાર કરતાં કરતાં તે વિષયે થકી વિરક્ત થયે. તેને જાતિસ્મરણ જ્ઞાન થયું, તેથી તે સ્વયંબુદ્ધ થયે. એટલે મસ્તક પરના કેશ પિતાને હાથે ઉખેડીને દેવતાએ આપેલા રજોહરણ, મુખવશ્રીકા વિગેરે મુનિશને તેણે ગ્રહણ કર્યો. પછી કપિલ મુનિ પ્રસેનજિત રાજાની પાસે ગયા. રાજાએ પૂછ્યું કે-“આ શું કર્યું?” તેણે “જહા લાહે તવા લેહેએ ગાથા કહીને પિતાના વિચાર જણાવ્યા. રાજાએ કહ્યું કે-“મારી આજ્ઞા છે, તું સુખેથી સાંસારિક બેગ ભોગવ અને દુષ્કર વ્રત મૂકી દે.” કપિલ મુનિએ કહ્યું કે “ગ્રહણ કરેલું વત પ્રાણુતે પણ હું મૂકીશ નહી. હું હવે નિગ્રંથ થયો છું. તેથી હે રાજા! તમને ધર્મલાભ હે.” આ પ્રમાણે કહી કપિલમુનિ ત્યાંથી નીકળીને મમતા રહિત, અહંકાર રહિત અને ઈચ્છા રહિતપણે પૃથ્વીપર વિહાર કરવા લાગ્યા. આ પ્રમાણે વ્રતનું પાલન કરતાં કપિલ મુનિને છ માસ વ્યતીત થયા એટલે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. રાજગૃહી નગરીની પાસે અઢાર જન વિસ્તારવાળી અતિ ભયંકર અટવી છે. તેમાં બલભદ્ર વિગેરે પાંચસો ચોર વસે છે. તેઓ બેધને યોગ્ય છે એમ જાણીને કપિલ મુનિ તે અટવીમાં ગયા. એટલે પેલા ચોર તેમની પાસે આવ્યા. પશ્વિપતિએ મુનિને કહ્યું કે-“તમને નૃત્ય આવડે છે?” લાભ ધારીને મુનિ બોલ્યા કે “વાજીંત્ર વગાડનાર વિના નૃત્ય થાય નહી.” ચોરે બેલ્યા કે—“અમે હાથની તાળીઓ વગાડશું, તમે નાચ કરો.” એટલે કપિલ મુનિ જતનાપૂર્વક નૃત્ય કરવા લાગ્યા. અને ચોરે ચારે બાજુ ફરતાં ફરતાં તાળીઓ પાડવા લાગ્યા. પછી નાચ કરતાં કરતાં મુનિ પ્રાકૃત ભાષામાં આ પ્રમાણેની ગાથા બોલવા લાગ્યા અધુવે અસાસયંમિ, સંસારંમિ ય દુખપઉરશ્મિ | કિં નામ હુક્યું તે કમ્મ, જેણાહું દુગઈ ન ગડેજા ૧ છે ભાવાર્થ–“અધ્રુવ, અશાશ્વત અને દુઃખથી પૂર્ણ એવા સંસારમાં એવું કહ્યું કર્મ છે કે જેથી જીવ દુર્ગતિમાં ન જાય?” આ વિગેરે પાંચસો ગાથા કપિલ મુનિએ કહી. તે સાંભળીને તે પાંચસો ચોર પ્રતિબંધ પામ્યા. તેઓને ગુરુએ ચારિત્ર આપ્યું અને દેવતાએ મુનિશ આપે. તે ધારણ કરીને તેઓ મહર્ષિ થયા. પછી તે સર્વે મુનિ ગુરુની સાથે પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. કેટલાક વર્ષ સુધી વિહાર કરીને કપિલ કેવળી મેક્ષે પધાર્યા. આ પ્રમાણે જેમ કપિલ મુનિ ઉત્તમ વિવેકથી કેવળજ્ઞાન પામ્યા, અને બલભદ્ર આદિ ચોરેને પ્રતિબંધ પમાડીને સિદ્ધિપદને પ્રાપ્ત થયા.” તેમ ભવ્ય છે એ પણ વિવેકી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy