SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ( શ્રી વિજ્યપઘસકૃિત દાસીએ કપિલને કહ્યું કે-“મારા સ્વામી તરીકે તે તમે જ છે. પરંતુ તમે ધનરહિત છે, તેથી મારા નિર્વાહ માટે હું બીજા પુરુષને સેવું? પતિબુદ્ધિથી નહી.” કપિલે તે વાત અંગીકાર કરી નહી, ત્યાર પછી એક દિવસ તે નગરમાં સર્વ દાસીઓને કાંઈક ઉત્સવ હતું, ત્યારે તે દાસી પુષ્પની માળા વગેરે લેવા માટે કોઈ પણ દ્રવ્ય નહી હોવાથી ઉદાસ થઈ ગઈ. તેને ઉદાસ જોઈને કપિલે પૂછયું કે-“હે પ્રિયા ! તું આજ ઉદાસ કેમ જણાય છે?” તે બોલી કે–“આજે સર્વ દાસીઓને ઉત્સવ છે તેથી પુષ્પ પત્ર વિગેરેની જરૂર છે. જે મારી પાસે પુષ્પમાલાદિ ન હોય તે બીજી દાસીઓમાં મારી મશ્કરી થાય.” આ પ્રમાણે તેનું વચન સાંભળીને તેના દુઃખે દુઃખી થયેલે કપિલ પણ ઉદાસ થઈ ગયો, અને કાંઈ પણ બોલી શક્યો નહી, તેને તેવી રીતે ખેદ પામેલો જોઈને દાસી બેલી કે –“હે સ્વામી! તમે ખેદ ન કરો. આ નગરમાં ધને કરીને એક શ્રેણી રહે છે. તેને પ્રાતઃકાળે જે જાગૃત કરે તેને તે શ્રેષ્ઠી બે માસા સુવર્ણ આપે છે, માટે તમે ત્યાં જઈને તેને પ્રથમ જગાડશે તે તે તમને બે માસા સોનું આપશે. તે મને આપજે, જેથી મારું અને તમારું કાર્ય થઈ રહેશે.” કપિલે તે અંગીકાર કર્યું. પછી કપિલ તે દિવસની રાત્રે “બીજે કઈ જઈને જગાડશે” એવા ભયથી મધ્યરાત્રિએ જાગે. રાત્રિ ચંદ્રવતી હોવાથી કેટલી રાત્રિ બાકી છે તે જાણ્યા વિના જ તે ચા. રસ્તામાં જતાં કેટવાળે પકડે, અને ચોર ધારીને બાંધે. કેમકે “ચોરના આચરણ તેવાં જ હોય છે.” પછી સવારે સિપાઈઓ તેને પ્રસેનજિત રાજા પાસે લઈ ગયા. રાજાએ તેને પૂછયું કે “હે બ્રાહ્મણ ! તું કોણ છે? ક્યાં રહે છે ? અને શા માટે આ નગરીમાં આવ્યો છે ?” ત્યારે કપિલે પાછલી સર્વ વાત કહી બતાવી. તે સાંભળીને રાજાને દયા આવવાથી તેને કહ્યું કે –“હે મહાત્મા ! તારી જે ઈચ્છા હોય તે માગ, હું તારી ઈચ્છા પ્રમાણે તને આપીશ.” કપિલ બેલ્યો કે–“હે રાજા! હું વિચાર કરીને પછી માડું.” એમ કહીને તે અશોક વનમાં જઈ વિચાર કરવા લાગ્યો કે બે માસા સુવર્ણ માગવાથી તે વસ્ત્ર વિગેરે કાંઈ આવે નહી, માટે સે મહેર માગું. સો મહોરથી પણ ઘર ઘરેણાં વિગેરે થાય નહી. ત્યારે હજાર માગું? હજારથી પણ પુત્રના વિવાહ વિગેરે ઉસે થાય નહી, ત્યારે એક લાખ મહોર માગું ? લાખથી પણ દાન, માન પૂર્વક મિત્ર, બાંધવ, ગરીબ વિગેરેને ઉદ્ધાર થઈ શકે નહી, માટે કરોડ માગું? સો કરોડ માગું ?” આ પ્રમાણે વિચાર કરતાં કરતાં તેને શુભ કર્મને ઉદય થવાથી આવી બુદ્ધિ ઉત્પન્ન થઈ કે – જહા લાહો તહાં લેહો, લાહા લેહ પવદ્રઈ દો માસા કણય કજં, કેડીઓ વિ ન નિફિય છે ૧ | ભાવાર્થ-જેમ જેમ લાભ થાય છે તેમ તેમ લોભ થાય છે. લાભથી લાભ વૃદ્ધિ પામે છે, કેમકે બે માસા સુવર્ણનું કામ હતું તે કરેડ સેનામહેરથી પણ પૂરું થયું નહી.” “અહા ! લોભરુપી સાગર દુધરે છે, તેને પૂર્ણ કરવાને કઈ પણ સમર્થ નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy