SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ 1 : બ્રાહ્મણને જોઈને કેમ રૂવે છે? મારી પાસે તેનું ખરેખરું કારણ કહે.” ત્યારે તેની માતાએ કહ્યું કે-“હે પુત્ર! તારા પિતાને સ્થાને રાજાએ આ બ્રાહ્મણને રાખે છે. અત્યારે જે આ સંપત્તિવાળો દેખાય છે, તેવાજ તારા પિતા પણ પ્રથમ હતા. તેથી આને જોઈ તારા પિતાનું મરણ થવાથી ખેદ થવાને લીધે હું રેઉં છું. તું અભણ હોવાથી આ તારા પિતાની લહમી પાપે છે.કપિલ બોલ્યો કે-“હે માતા ! મારા પિતાનું સ્થાન મને શી રીતે મળે?” તે બોલી કે “તું વિદ્યાભ્યાસ કર, તે પછી રાજા તને તારા પિતાને સ્થાને સ્થાપન કરશે.” તે બોલ્યો કે-“હે માતા ! હું તેની પાસે અભ્યાસ કરું?” ત્યારે તેણે કહ્યું કે-“આ નગરીમાં તે સર્વ તારા શ્રેષી છે, તેથી તું શ્રાવસ્તી નગરીએ જા. ત્યાં તારા પિતાને મિત્ર ઇંદ્રદત્ત નામને પંડિત બ્રાહ્મણ રહે છે. તે તેને સમગ્ર કળામાં નિપુણ કરશે.” તે સાંભળીને કપિલ શ્રાવસ્તી નગરીએ ગયો. ત્યાં ઇંદ્રદત્તના ચરણને નમીને તેણે નમ્રતાથી વિનંતિ કરી કે-“હે પૂજ્ય કાકા! મારી માતાએ મને તમારી પાસે મોકલ્યો છે, તેથી હું અભ્યાસ કરવા આવ્યો છું.” તે સાંભળી ઇદ્રદત્તે તેને પુત્રની જેમ ખોળામાં બેસાડી ખુશી ખબર પૂછયા. પછી તેને જમાડીને કહ્યું કે-“હું તને વિદ્યાભ્યાસ કરાવીશ, પણ તારા ભેજનને માટે શું થશે? કેમકે મારા ઘરની સ્થિતિ એવી નથી કે હું તને જમાડી શકું.” ત્યારે કપિલ બે કે-“હું ભિક્ષાવૃત્તિ કરીને નિર્વાહ ચલાવીશ.” ઈદ્રદત્ત કહ્યું કે-“હે વત્સ ! ભિક્ષા માટે ભમવાથી વિદ્યાભ્યાસ થઈ શકે નહી અને ભોજન વિના પણ અભ્યાસ બની શકે નહી; કેમકે ભજન વિના મૃદંગ પણ વાગતું નથી. માટે પ્રથમ ભેજન માટે વિચાર કરીએ.” એમ કહીને તે બાળકને લઈ ઇદ્રદત્ત શાલિભદ્ર નામના કેઈ શેઠને ઘેર ગયો. તેના ઘર પાસે ઉભું રહીને માટે સ્વરે ગાયત્રી મંત્ર બોલીને પોતે બ્રાહ્મણ છે એમ જણાવ્યું. એટલે શાલિભદ્ર શ્રેષ્ટીએ તેને બોલાવીને પૂછયું કે“હે બ્રાહ્મણ! તમારે શું જોઈએ છે? જે ઈચ્છા હોય તે માગો.” ઈંદ્રદત્ત કહ્યું કે“આ બ્રાહ્મણનો પુત્ર વિદ્યાનો અથ છે, તેને હંમેશાં આપ ભેજન આપે, એટલે એને હું ભણાવીશ. મારી પાસે ધન નથી, માટે હું આપની પાસે તેનું હંમેશનું ભોજન માંગું છું. ” આ પ્રમાણે સાંભળીને છીએ તેને હંમેશાં ભોજન કરાવવાનું અંગીકાર કર્યું. પછી તે દિવસથી કપિલ ઇદ્રદત્તની પાસે અભ્યાસ કરવા લાગ્યો, અને શાલિભદ્રને ઘેર જમવા જવા લાગ્યા. શાલિભદ્ર શેઠને ઘરે કપિલ જ્યારે જમવા બેસો, ત્યારે તેને પીરસવા એક દાસી આવતી, તેની સાથે હાસ્ય વિનોદ કરતાં અનુક્રમે તે દાસી ઉપર આસક્ત થયે અને દાસી પણ તેના પર આસક્ત થઈ. પછી તે બન્ને સ્ત્રી પુરુષની જેમ ક્રીડા કરવા લાગ્યા. “અહ! વિષયને ધિક્કાર છે! કેમકે વિષયમાં આસક્ત થયેલો પુરુષ કાંઈ પણ કૃત્યાકૃત્યને જાણતો નથી.હવે એ પ્રમાણે કીડા કરતાં તેમને કેટલાક દિવસે વ્યતીત થયા. એકદા ૧ મૃદંગ ઉપર આટે પલાળીને ચુંટાડે છે ત્યારે તે બરાબર અવાજ કરે છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy