SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ = == ( શ્રી વિજયપઘસકૃિતભાવાર્થ–“નારકીઓની પરમધાર્મિક ઉત્પન્ન કરેલી, પરસ્પરની કરેલી તથા ક્ષેત્રથી ઉત્પન્ન થયેલી પીડાનું સંપૂર્ણ વર્ણન કરવાને જ્ઞાનીઓ પણ સમર્થ નથી.” વળી અન્યપુરિદં વાજજીવશ્વાન્ય શરીરતા જાનન્નપતિ કે દક્ષા કરેતિ મમતાં તની છે ર છે ભાવાર્થ_“આ શરીર જીવથી ભિન્ન છે, અને આ જીવ શરીરથી દે છે. એ પ્રમાણે જાણતા છતાં પણ કો ડાહ્યો માણસ શરીર પર મમતા કરે ?” દેહ એ પુદગલનો પિંડ છે, અને તે અનિત્ય છે. જીવ અમૂર્ત અને અચળ (નિત્ય) છે. તે જીવ અનન્ત જ્ઞાન, દર્શન અને ચારિત્ર ધર્મવાળો છે, ચિતન્ય સ્વરૂપ છે, સ્વ (પિતાના) પન કર્તા છે, સ્વ-રુપને ભક્તા છે, સ્વ-રુપમાંજ રમણ કરનાર છે, ભવભ્રમણથી શ્રાત થયેલે છે અને પૌદ્ગલિક પરભાવના કર્તવાદિ ધર્મોથી રહિત છે.” ઇત્યાદિ વિવેકને વિચારીને શુભ ભાવના ભાવતા છતા તે મુનિ તે આકરી પીડાને સહન કરતા હતા. તે ડાંસોથી તેમના શરીરનું સઘળું લેહી સૂકાઈ ગયું, તેથી તેજ રાત્રીએ તે મુનિ કાળ કરીને સ્વર્ગે ગયા. અને કાળક્રમે મોક્ષના સુખ પણ પામ્યા. “આ પ્રમાણે વિવેક ગુણને હૃદયમાં ધારણ કરવાથી શ્રમણભદ્ર મુનિ સ્વર્ગાદિના સુખને પામ્યા. તે જ પ્રમાણે બીજા પણ ભવ્ય છાએ આ વિવેક ગુણને ધારણ કરી જરૂર મેક્ષમાર્ગની આરાધના કરીને સિદ્ધિના સુખ મેળવવા જોઈએ. હવે ધર્મનું યથાર્થ રહસ્ય સમજવામાં, ને તે ધર્મને સાધીને કેવલજ્ઞાનને પ્રકટ કરવામાં અસાધારણ કારણે વિવેક જ છે તે બીના દષ્ટાંત સાથે ટૂંકામાં આ રીતે જાણવી. વિવેકવાન્નરઃ કતિ , ધર્મતત્ત્વ સ્વભાવતા શીઘ્ર વિજ્ઞાય ગ્રાતિ, કપિલે ગુરેટિવ છે સ્પષ્ટાર્થ –“કેઈક વિવેકી પુરૂષ સ્વભાવથી જ ધર્મનું તત્ત્વ જાણીને કપિલ નામના ગુરૂની જેમ તત્કાળ તેને ગ્રહણ કરે છે.” સ્વયં બુદ્ધ શ્રીકપિલ કેવલીની કથા. કૌશાંબી નામની નગરીમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને ચૌદ વિદ્યાને પારગામી કાશ્યપ નામને બ્રાહ્મણ પુરોહિત હતો. તેને યશા નામની પત્ની હતી, અને કપિલ નામે પુત્ર હતું. તે પુત્રની બાલ્યાવસ્થામાં જ તેને પિતા મરણ પામ્યો. એટલે કપિલને બાળક તથા અજ્ઞાની જાણીને રાજાએ તેના બાપને સ્થાને બીજા કઈ ગ્ય બ્રાહ્મણને પુરોહિત પદે સ્થાપન કર્યો. તે હમેશાં ઘોડા પર બેસી માથે છત્ર ધરાવી ઘણા સેવકે સહિત રાજદ્વારમાં જતો. ત્યારે તેને જોઈને કપિલની માતા રુદન કરતી હતી. એકદા પિતાની માતાને રેતી જોઈને કપિલે તેનું કારણ પૂછ્યું કે “હે માતા ! તું આ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy