SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ નાપિતામણિ] ભાવાર્થ-“વિવેકી શરાણે કરીને તેજસ્વી કરેલું અને ધતિ (સતેષ) ૫ તીક્ષણ ધારવાળું પરભાવ નિવૃત્તિ રૂપ જે સંયમરૂપી શસ્ત્ર તે જ્ઞાનાવરણાદિ કર્મરૂપી શત્રુને નાશ કરવાને જરૂર સમર્થ થાય છે.” આ જીવ અનાદિ કાળથી મિથ્યાત્વ, અસંયમ અને અજ્ઞાન વગેરે દેષોથી વીંટાયેલ હેવાથી સંસારમાં પરિભ્રમણ કરે છે. તેજ જીવ ત્રિલેકના વત્સલ એવા જિનેશ્વરે કહેલા શ્રેષ્ઠ આગમના તવરસનું પાન કરીને સ્વ–પરના વિવેકને પામીને પરભાવ અથવા વિભાવથી ખસીને પરમાત્મ સ્વરૂપને સાધક થાય છે. આ સંબંધમાં શ્રમણભદ્ર મુનિનું દષ્ટાંત ટૂંકામાં આ પ્રમાણે શ્રમણભદ્રની કથા. ચંપાનગરીમાં જિતશત્રુ રાજાને શ્રમણભદ્ર નામે પુત્ર હતું. તેણે એક દિવસ ધર્મશેષ નામના ગુરુ મહારાજ પાસે ધર્મોપદેશ સાંભળે કે– યથા યે કૃતં યુદ્ધ, સ્વામિન્યવોપચર્યને શુદ્ધાત્મ વિવેકેન, કર્મસ્કાર્જિતં તથા ૧ છે સ્પદાર્થ–“જેમ સુભટોએ કરેલા યુદ્ધને રાજાને વિષે ઉપચાર કરાય છે, એટલે યુદ્ધનું જય પરાજય રૂપી ફલ રાજામાં આરેપણ કરાય છે એટલે આ રાજા જી ને આ રજા હાર્યો એમ કહેવાય છે, તેમ અવિવેક અને અસંયમે કરીને બંધાયેલા કર્મઔધોના બંધને આરોપ પણ શુદ્ધ આત્માને વિષેજ કરાય છે.” ઈત્યાદિ ધર્મોપદેશ સાંભળીને કામગથી વિરક્ત થયેલા તે મહાત્માએ દીક્ષા ગ્રહણ કરી. ગુરુની કૃપાથી તે શ્રમણભદ્ર મુનિ શ્રતસાગરને પાર પામ્યા અને ગુરુની આજ્ઞાથી એકલવિહાર પ્રતિમા સ્વીકારી. તે મુનિ નીચી ભૂમિવાળા પ્રદેશમાં વિહાર કરતાં શરઋતુને સમયે કોઈ મોટા અરણ્યમાં રાત્રીને વિષે પ્રતિમા (કાયોત્સર્ગ, કાઉસ્સગ્ગને) ધારણ કરીને રહ્યા. ત્યાં સોયની જેવા તીક્ષણ મુખવાળા હજારે ડાંસો તે મુનિના કેમળ શરીર ઉપર લાગીને તેમનું લોહી પીવા લાગ્યા. ડંખવામાં તત્પર નિરંતર વળગી રહેલા તે ડાંસોને લીધે સોનાના રંગ જેવા તે મુનિ જાણે લોહના વર્ણ જેવા હોય તેમ શ્યામવર્ણ થઈ ગયા. તે ડાંસીના ડંખથી મુનિના શરીરમાં મહા વેદના થતી હતી તોપણ ક્ષમાધારી તે મુનિ તેને સહન કરતા હતા, અને તે ડાંસોને ઉડાડતા પણ નહોતા. ઉલટો તે એવો વિચાર કરતા હતા કે “આ વ્યથા મારે શી ગણત્રીમાં છે? આથી અનન્તગણી વેદના નરકમાં મેં અનન્તીવાર સહન કરી છે. કેમકે— પરમધામિકેત્યન્ના, મિજા ક્ષેત્રજાસ્તથા નારકાણું વ્યથા વસ્તુ, પાર્વતે જ્ઞાનિનાપિ ન ૫ ૧ છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy