SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ( શ્રી વિજયપઘસરિત જ્યારે ખીર વહોરીને પ્રાણ ધારણ એટલે પ્રાણેને ટકાવનારું એવું પારણું કર્યું, તે વખતે તે સ્થલે પ્રભુદેવના પ્રબલ પુણ્યના પ્રતાપે પાંચ દિવ્ય પ્રકટ થયા. એટલે એ સોનૈયાની વૃષ્ટિ, વસ્ત્રની વૃષ્ટિ વગેરે પાંચ વાનાં કર્યા. પ્રભુએ જે સ્થાનકે ઉભા રહીને પારણું કર્યું તે સ્થાનકે સુરેન્દ્રદત્ત રાજાએ એક પીઠ બનાવરાવ્યો એટલે એટલો બનાવ્યો. અને તેની ત્રણ કાલ એટલે સવારે બપોરે તથા સાંજે પૂજા કરવા લાગ્યા. તેથી તે રાજા તેજ ભવમાં મેક્ષ રૂપી મહેલમાં કાયમ રહેનારા થયા અથવા તે સુરેન્દ્રદત્ત રાજા તેજ ભવમાં મેક્ષે ગયા. ૧૦૮ પ્રભુના શરીરની ઉંચાઈ જણાવે છે – એકસો ને વીસ અંગુલની ઊંચાઈ જેહની, આત્માગુલે તિમ છન્ન અંગુલની ઉંચાઈ જેહની; પ્રમાણગુલથી કહી તે તીર્થપતિ સંભવ જિના, એકાગ્ર દૃષ્ટિ રાખતા ધરનાર મૌનવ્રતતણ. ૧૦૯ સ્પષ્ટાથ–પ્રભુની એક્સો ને વીસ ગુલ પ્રમાણ શરીરની ઉંચાઈ હતી. આ ઉંચાઈ આમાંગુલના માપથી સમજવી. ત્રણ પ્રકારના આંગુલ આગમને વિષે કહ્યા છે. ૧ ઉલ્લેધાંગુલ, ૨ આત્માંગુલ, ૩ પ્રમાણાંગુલ. તેમાં અનંતા પરમાણુને એક વ્યાવહારિક પરમાણુ થાય છે તે વ્યાવહારિક પરમાણુને આઠ આઠ ગુણ સાત વખત કરીએ ત્યારે એક ઉત્સધાંગુલ થાય છે. જે કાળે જે તીર્થકર હોય તેમનો જે આંગુલ તે તે કાળે આત્માગુલ કહેવાય છે. આ આમાંગુલ જુદા જુદા પ્રમાણુવાળો હોય છે. જે કાળે જે તીર્થકર હોય તે દરેક પ્રભુની ઉંચાઈ તેમના આત્માગુલ વડે ૧૨૦ આંગળ (જેટલી) હોય છે. ત્રીજું પ્રમાણાંગુલ ઉસેધાંગુલથી ચાર ગણું લાંબું ને અઢી ગણું પહોળું હોય છે. આ પ્રમાણાંગુલના માપથી પ્રભુના શરીરની ઉંચાઈ છન્નુ પ્રમાણુગલની કહેલી છે. માટે ૯૬ પ્રમાણાંગુલને ચારસોએ ગુણીએ ત્યારે ૩૮૪૦૦ ઉસેધાંગુલ આવે. ૯૬ આંગળનો એક ધનુષ્ય થાય છે, માટે તે સંખ્યાને (૩૮૦૦ને) ૯૬ વડે ભાગીએ ત્યારે ૪૦૦ ધનુષ્ય આવે છે. માટે ઉસેધાંગુલના માપથી પ્રભુના શરીરની ઉંચાઈ ચાર ધનુષ્ય પ્રમાણ હતી. આવી ઉંચાઈવાળા ત્રીજા તીર્થંકર શ્રી સંભવજિન એકાગ્રદષ્ટિ રાખતા એટલે એકાગ્રતાથી ધ્યાન કરતા હતા અને મૌનવ્રતને ધારણ કરતા હતા. કારણકે જ્યાં સુધી તીર્થકરેને કેવલજ્ઞાન ન થાય ત્યાં સુધી છઘસ્થ તીર્થકરે પ્રાયે મૌન જ ધારણ કરે છે. ૧૦૯ છદ્રસ્થપણામાં પ્રભુ કેવી રીતે વિચારતા હતા તે બે કલાકમાં જણાવે છે – સમિતિ ગુપ્તિ પ્રમુખ ગુણદધિ પ્રશમ નિધિ નિર્ભયપણે, છદ્મસ્થભાવે ચૌદ વર્ષો વિચરતા નગરાદિને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy