SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિજયપાસરિકૃતઘણાં કર્મોની નિર્જરા થાય છે. તે મહાવ્રતો હંમેશાં કર્મશત્રુને જીતાવનારા હોવાથી વિજયવંત વર્તે છે. હે પ્રભુ! જે કે તમે નિર્મમ એટલે મમતા ભાવથી રહિત છે તે છતાં પણ આપ કઈ જાતની પૃહા એટલે બદલાની ઈચ્છા રાખ્યા વિના અન્ય પ્રાણીઓ ઉપર ભાવદયાદિ સ્વરૂપે અનહદ ઉપકાર કરનાર છે. વળી જે કે આપ નિગ્રંથ છો એટલે આપે બાહા અને અભ્યન્તર એમ બંને પ્રકારની ગ્રંથિને ત્યાગ કર્યો છે તે છતાં આપ મટી ઋદ્ધિવાળા છે. કહેવાનો સાર એ છે કે જે ધન ધાન્યાદિક પરિગ્રહ છે એ બાહ્ય ગ્રંથિ છે અને જે રાગ દ્વેષાદિક તે અભ્યન્તર ગ્રંથિ છે. તે બંનેનો તે તમે ત્યાગ કર્યો છે. છતાં તમારામાં ઉત્તમ જ્ઞાન દર્શન ચારિત્ર રૂપી મોટી ઋદ્ધિઓ રહેલી છે. ૧૦૩ સૌમ્ય તેજસ્વી છતાં ભવથી કરેલા ધીર છતાં, દેવને પણ પૂજ્ય છો પ્રભુ આપ નર રૂપે છતાં, આપ વિચરી મહીયેલે જગતારનારું પારણું, કરશે કરે ભવિ જીવના દર્શન જિનેશ્વર ! આપનું ૧૦૪ સ્પાર્થ – હે પ્રભુ! તમે મહા તેજસ્વી છતાં શાંતિને ધારણ કરનાર છે, તેમજ ધીરતાવાળા છો તે છતાં ભવથી ડર પામેલા છે. અહીં વિધાભાસ અલંકાર દ્વારા પ્રભુની સ્તુતિ કરી છે. વળી હે પ્રભુ! તમે મનુષ્ય છો તે છતાં દેવને પણ પૂજનીય છે. બીજા મનુષ્ય તે દેવને પૂજે છે, પરંતુ તમને તે તે દેવે પણ પૂજે છે. હે પ્રભુ! પૃથ્વી ઉપર વિચરીને આપ આસન્નસિદ્ધિક ભવ્ય જીવના હાથે જગતને તારનારું પારણું કરશે તે વખતે તે પારણું કરાવનારા અને બીજા પણ ભવ્ય છે નિર્મલ સમ્યકત્વાદિથી માંડીને મેક્ષ સુધીના પણ ઉત્તમ ફલે પામે છે. ૧૦૪ રેગને ઔષધ પર કરનાર બહુ ઉપકારને, અવિરતિ એવા મને પણ દેખતાં પ્રભુ! આપને, આત્મદષ્ટિ સતેજ બનતી તેમ પુદ્ગલરમણતા, ઘટતી એમ સુરશર્મને પણ તુચ્છ આજે માનતા. ૧૦૫ સ્પષ્ટાર્થ–જેમ ઔષધ(દવા) રોગી માણસને ઉપકાર કરનાર થાય છે એટલે ષડથી રેગીનો રેગ નાશ પામે છે તેવી રીતે આપનું દર્શન પણ ભવ્ય જીને બહુજ ઉપકારક નીવડે છે. હું અવિરિત છું (કારણકે દે હંમેશાં અવિરતિજ હોય છે) માટે રેગી જેવો છું, તે પણ આપના દર્શનના પ્રતાપે મારી આત્મદષ્ટિ તેજસ્વી બને છે. એટલે પુગલ રમણતા અથવા પૌગલિક વિષયને વિષે રાચનારો મારો જીવ આત્માના ગુણમાં રમણતા કરનારો થાય છે. અને અમે આ તમારા દર્શનથી થતા અપૂર્વ સુખની આગળ દેના સુખને પણ તુચ્છ એટલે હલકા માનીએ છીએ. ૧૦૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy