SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ C શિનાચિંતામણિ ] નાણું ચોથું પામતા ક્ષણવાર નારક સુખ લહે, દ્રિ જોડી હાથે સ્તવતા નાથ આગળ ઈમ કહે જ્ઞાન ચારે ધારતા ચઉ ભેદ ધર્મ બતાવતા, હે નાથ! જય પામો તમે સવિ જીવને સુખ આપતા. ૧૦૧ સ્પદાર્થ–પ્રભુ જે વખતે દીક્ષા લે છે તે વખતે તેમને ચોથું મનપર્યવ જ્ઞાન પ્રકટ થાય છે. પ્રભુ શ્રીસંભવનાથ મતિ શ્રત અને અવધિ એ ત્રણ જ્ઞાન સાથે લઈને જમ્યા હતા. અને જ્યારે દિક્ષા લે છે, ત્યારે ચોથું મન:પર્યવજ્ઞાન પામે છે. આ નિયમ બધા તીર્થંકરને સર જાણ. આ મન:પર્યવજ્ઞાનથી અઢી દ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીના મનના વિચાર જાણી શકાય છે. તે વખતે (દીક્ષા કલ્યાણકના પ્રસંગે)નારકીના જીવને પણ થોડી વાર સુખ ઉત્પન્ન થાય છે. આ પ્રભુનું ત્રીજું દીક્ષા કલ્યાણક જાણવું. તે વખતે ઈન્દ્ર મહારાજ પ્રભુની આગળ બે હાથ જોડીને આ પ્રમાણે સ્તુતિ કરે છે-“હે ચાર જ્ઞાનને ધારણ કરનારા પ્રભુ! આપ દાન, શીલ, તપ અને ભાવ એમ ચાર પ્રકારના ધર્મને બતાવનાર છે. હે સર્વ જીવોને સુખ આપનાર પ્રભુ! તમે વારંવાર જય પામો. ૧૦૧ આપ જંગમ તીર્થ જેવા વિચરશે વૈરાગ્યથી. જેહમાં તે ધન્ય ભારત ક્ષેત્ર ભમિ નિયમથી; પંકથી પ્રકટેલ પંકજ પંકથી લેપાય ના, તિમ ભવે વસતા છતાં પ્રભુ આપ લેપાઓજ ના. ૧૦૨ સ્પષ્ટાર્થ–હે વૈરાગ્યવાન પ્રભુ ! જંગમ તીર્થ સરખા આપ જે ભરત ભૂમિમાં વિચરશે તે ભરતભૂમિ નક્કી ધન્ય છે. જેવી રીતે કાદવમાંથી ઉત્પન્ન થએલું કમલ કાદવમાં લેપાતું નથી, પરંતુ કાદવથી અધ્ધર રહે છે તેવી રીતે હે પ્રભુ! તમે જે કે સંસાર (રૂપ કાદવ)માં રહેલા છે તે પણ તેના વડે આપ લેપતા નથી. કારણ કે સંસારમાં રહેલા પ્રભુની સઘળી પ્રવૃત્તિઓ રાગ દ્વેષ વિનાની હોય છે. જેમનામાં રાગ દ્વેષ હોય છે તેઓ સંસારમાં લેપાય છે. ૧૦૨ મહાવ્રત જે આપનું તે કર્મ રૂપી પર્ણને, છેદવાને ખ જેવું નિત લહે તે વિજયને છે આપ નિર્મમ તે છતાં નિસ્પૃહી કૃપાલુ આપ છો, છો આપ નિગ્રંથ તે છતાં ગુરૂ દ્ધિવાળા આપ છો. ૧૦૩ સ્પષ્ટાર્થઆપના ચાર મહાવ્રતો છે તે કર્મરૂપી પાંદડાને છેદવાને માટે ખs એટલે તરવાર જેવા છે. કહેવાનો ભાવાર્થ એ છે કે જેમ તરવાર વડે વૃક્ષનાં પાંદડાં છેદી શકાય છે તેવી રીતે આ મહાવ્રત રૂપી તરવાર વડે એટલે મહાવ્રતનું પાલન કરવાથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy