SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીદશના ચિંતામણિ ભાગ બીજો ] પિતાના શરીરને ત્યાગ કરીને પાંચ અનુત્તર વિમાન પૈકી પ્રથમ વિજય નામના વિમા નમાં તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળા દેવપણે ઉપજીને દેવતાના સુખને પામ્યા. આ દેવતાઓનું એક હાથ પ્રમાણુનું શરીર હોય છે, શરીરને વર્ણ સફેદ હોય છે. આ વિમાનના દેવે મૂળ શરીરથી જુદું ઉત્તર ક્રિય શરીર બનાવતા નથી જે કે આ દેવ અહમિન્દ્ર છે એટલે પિતે કેઈના સેવક નથી અને ઘણી શક્તિવાળા હોય છે. પરંતુ પ્રયજન નહિ હેવાથી ઉત્તર ક્રિયની શક્તિ છતાં તેઓ ઉત્તર ક્રિય શરીર બનાવતા નથી. ૩૮ ૧૫, ૧૩, ૧૪, ૧૨, ૧૩. ૧૧, ૧૨, ૧૦, ૧૧, ૯, ૧૦, ૮, ૯, ૭, ૮, ૬, ૭, ૫, ૬, ૭, ૫, ૬, ૪, ૫, ૩, ૪, ૨, ૩, ૧, ૨, અને છેવટે એક ઉપવાસ કરી પારણું કરવું. (એ રીતે દરેક સંખ્યાના ઉપવાસના અંતે પારણું કરવું આ રીતે કુલ ઉપવાસના દિવસે ૪૯૭ તથા પારાના દિવસે ૬૧ મળી કુલ ૫૧૮ દિવસે એટલે ૧ વર્ષ, ૬ માસ અને ૧૮ દિવસે આ તપ પૂરો થાય છે.) (મતાંતરે આ તપ પણ ચાર પરિપાટીએ કરતાં ૬ વર્ષ ૨ મા અને ૧૨ દિવસે પૂરે થાય છે.) ઉઘાપનમાં મોટા સ્નાત્ર પૂર્વક પૂજા ભણાવીને ઉપવાસની સંખ્યા પ્રમાણે પુષ્પ, ફળ, મોદકાદિક નૈવેધ અર્પણ કરવું. સાધુને દાન દેવું. સંઘ પૂજા, સંધવાત્સલ્ય કરવું. આ તપનું ફળ ઉપશમ શ્રેણીની પ્રાપ્તિ રૂપ છે. આ મુનિ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. માણું વગેરે ની માફક “નમે અરિહંતાણું"નું. ૬ કનકાવલિ તપની ટુંક હકીકત તપસ્વીઓના હદયને શોભાવનાર હોવાથી આ કનકાવલિ નામે તપ કહેવાય છે. આ તપમાં પ્રથમ એક ઉપવાસ કરી પરિણું, છઠ્ઠ કરી પારણું, પછી અઠ્ઠમ કરી પારણું કરવું. આ એક કાલિકા કહેવાય છે. પછી ૮ ૭. કરવા તે દમિ કહેવાય છે. પછીથી એક ઉપવાસને પારણું બે ઉપવા ને પારણું એમ અનકમે વધતાં વધતાં સોળ ઉપવાસ પછી પારણું કરવું. એ પ્રમાણે હારની એક લતા (સર) પી થાય છે. ત્યાર પછી ચોત્રીસ % કરવાથી લતાની નીચે પહક પુરું થાય છે, પછી ૧૬ ઉપવાસ ને પારણું. ૧૫ ઉપવાસ ને પારણું એમ અનુક્રમે ઘટતાં ધટનાં છેવટે એક ઉપવાસ ને પારણું, આ હારની બીજી લતા જાણવી. ત્યાર પછી આઠ છઠ્ઠ કરવાથી બીજું દામ થાય છે. પછી અઠ્ઠમ કરી પારાશું પછી છ કરીને પારણું અને પછી એક ઉપવાસ કરી ૫ણું કરવાથી ઉપરની બીજી કાલિકા પૂરી થાય છે. અહીં ઉપવાસ, છ અઠ્ઠમ આવે છે તેનું પારણું કરીને બીજે જ દિવસે ઉપવાસાદિક કરવા. વચમાં આંતરૂં નથી. આ તપમાં પારણાંના કલ ૮૮ દિવસો અને ઉપવાસ ૩૮૪ થાય છે એટલે ૧ વણ ૩ માસ અને બાવીસ દિવસે તપ પૂરો થાય છે. (કો પ્રવચન સારોદ્ધારમાં ચાર ગણે તપ કરવાનું કહ્યું છે.) આ તપમાં પારણામાં પહેલી શ્રેણિમાં વિગઈ સાથે ઇચ્છિત ભજન, બીજી શ્રેણીમાં નીવી, ત્રીજી શ્રેણીમાં અલેપ દ્રવ્ય (ગણુ વાલ વગેરે) ચોથી શ્રેણીમાં અમિલ (પારણના સર્વે દિવસે એકાસણુનાજ જાણુવા.) ઉઘાપનમાં મોટી સ્નાત્ર વિધિ પૂર્વક અષ્ટ પ્રકારી પૂજા ભણાવવી. કંપવાસની સંખ્યા પ્રમાણે સુવર્ણ ટંકની માળા બનાવી પ્રભુના કંઠમાં નાંખવી. તથા છએ વિસઈના પકવાને, વિવિધ ફળો વગેરે મૂકવાં, સાધુઓને દાન દેવું. સંધ વાત્સલ્ય, સંધ પૂજા વગેરે કરવું. આ તપ કરવાથી સર્વ ભેગ તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ તપમાં મરણું “નો અરિહંતાણું” એ પદનું વીસ નવકારવાળી વડે ગવવું. સાથીયા વિગેરે બાર બાર કરવા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005484
Book TitleDeshna Chintamani Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy