SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ હકીકત, રાજાએ કરેલી: ગુરૂની સ્તુતિનુ વર્ણન, તથા રાજાએ ગુરૂને જણાવેલી દીક્ષા લેવાની ભાવના, તેમાં ગુરૂની અનુમતિ, રાજાએ મ્હેલમાં આવીને મંત્રીઓને કહેલી દીક્ષાની બીના, તેમણે કરેલી અનુમાદના, રાજાએ આ વાત કુંવરને જણાવી રાજ્યને સંભાળવા કહ્યુ, તેમાં કુંવરે જણાવેલી નાખુશી, રાજા અને મત્રીએ કુંવરને રાજ્ય લેવા અને પિતાને દીક્ષાની અનુમતિ દેવા સમજાવે છે, અંતે થયેલા કુંવરનો રાજ્યાભિષેક, તે ટાઈમે વિમલવાહને નવીન રાજાને અને પ્રજાને આપેલી હિતશિક્ષા, કુંવરે કરેલા રાજાનો દીક્ષાભિષેક, વિમલવાહનને ગુરૂએ આપેલી દીક્ષા, તેના અંતે ગુરૂએ જણાવેલ ચારિત્રનુ ફળ તથા હિતશિક્ષા, અહીંથી નવીન રાજિષને લઇને શુરૂએ કરેલ વિહાર, વિમલવાહન રાજએિ જિન નામને નિકાચિત કરવા કરેલ વીશ સ્થાનક તપ તથા એકાલિ આદિ તપનું વર્ણન કરતાં ટીપણીમાં તે ૬એ તપનો વિધિ જણાવ્યા છે. પછી તે મુનિ ઘણા કાલ દીક્ષા પાળી અંતે અનશનાદિ વિધિપૂર્વક સમાધિ મરણે મરણ પામી વિજય વિમાનમાં એકાવતારી અનુત્તર દેવ થયા. આ સક્ષેપમાં જણાવેલા મુદ્દાએ અનુક્રમે અહી વિસ્તારથી સમજાવ્યા છે. પછી વિજય વિમાનના દેવાનુ સ્વરૂપ જણાવતાં (અજીતનાથ પ્રભુના જીવ) તે અનુત્તર દેવના દંડની ઉંચાઈ, વર્ણ, અવિધજ્ઞાન, શ્વાસેાચ્છાસ લેવાની, આહાર લેવાની રીત વગેરે બીના કહીને જણાવ્યું કે તે (તીર્થ કર ના જીવ) ને અંતકાલે ચ્યવનના ચિહ્નો પ્રકટ થતા નથી. એમાં જિન નામ કર્મનો પ્રભાવજ કારણ છે. અહીં ઉત્કૃષ્ટ આયુષ્ય પૂરૂ કરીને છેલ્લા મનુષ્ય ભવમાં વિજયા રાણીની કુક્ષિમાં તે આવ્યા, તે વખતે માતાએ જોયેલા ૧૪ સ્વપ્નાની, અને સૌધર્મેન્દ્રના આગમનની મીના કહીને ૬૪ ઇંદ્રોએ આવી કહેલ સ્વપ્નાનુ ફૂલ, અને સ્વપ્ન પાઠકાએ કહેલ સ્વપ્નાનું લ જણાવ્યું છે. પછી શ્રી અજિતનાથનો જન્મ, તે વખતની પરિસ્થિતિ અને દિકુમારીકાઓના કાર્યા, ઇંદ્રોએ કરેલ જન્મોત્સવ વર્ણવીને ચાર લૈકામાં અચ્યુતેન્દ્રે કરેલી પ્રભુની સ્તુતિ અને સૌધમેન્દ્રે કરેલી પ્રભુની સ્તુતિ ( પાંચ શ્લેાકેામાં) તથા મેરૂ ઉપર થયેલા જન્માભિષેકની સંપૂર્ણ ખીના જણાવતાં નદીશ્વર દ્વીપનું વર્ણન વિસ્તારથી કર્યું છે. આ અવસરે સગરચક્રીનો જન્મ, જિતશત્રુ રાજાએ કરેલ અનેનો જન્માત્સવ, અને નામ કરણાદિ તથા ત્રણ લૈકામાં ખંનેની આલ્યવયનું વર્ણન, એ શ્લેાકેામાં કલાભ્યાસ વગેરે, કહીને તે એની યુવાવસ્થાનુ` વર્ણન કરતાં પ્રભુશ્રી અજિતનાથના શરીરની ઉંચાઇ વગેરેનું સ્વરૂપ જણાવતાં ટીપણીમાં ૬ સંઘયણુ, ૬ સંસ્થાન અને ત્રણ અંશુલાનું વર્ણન ટૂંકામાં જણાવ્યું છે. પછી શ્રી અજિતકુમારના લગ્નનું વર્ણન, અને પિતાએ પુત્રને જણાવેલી ચારિત્ર લેવાની ભાવના, તેમાં પ્રભુની સ ંમતિ, તે વખતે જિતશત્રુ રાજાએ પુત્રને રાજા થવા કહ્યું, ત્યારે તેમણે કાકાને રાજા બનાવવા પિતાને કહ્યું, કાકાએ વડીલ બંધુની સાથે દીક્ષા લેવા જણાવેલી ઈચ્છા, સુમિત્ર વિજયને ભાવયતિરૂપે ગૃહસ્થપણામાં રહેવા પ્રભુએ અને જિતશત્રુ રાજાએ કરેલ આગ્રહ, લઘુમ એ વડીલના વચનનો કરેલ સ્વીકાર, શ્રી અજિતનાથનો રાજ્યાભિષેક, પ્રભુએ સગરને યુવરાજ ખનાવ્યો, પિતાનો દીક્ષા મહેાત્સવ કર્યો, રાજાએ આદિનાથપ્રભુના સ્થવિર મુનિની પાસે દીક્ષા લઇ આરાધી. તે અને વિજયા માતા પણ ચારિત્ર પાલી મોક્ષે ગયા. પ્રભુએ કરેલ પ્રજાપાલન વગેરે, તેમની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005484
Book TitleDeshna Chintamani Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy