SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ અનુક્રમે શ્રી સંભવનાથ પ્રભુ વિગેરે શ્રી તીર્થકર ભગવંતની દેશને જણાવીશ. આ બીજા ભાગમાં કઈ બીના કઈ રીતે જણાવી છે? તેનું વર્ણન ટૂંકામાં આ પ્રમાણે જાણવું. અહીં શરૂઆતમાં મંગલાચરણ કરી પશ્ચાનુપૂવીના ક્રમે શ્રી અજિત પ્રભુના પાછલા ત્રીજા ભવથી શરૂઆત કરતાં જણાવ્યું છે કે–વર્તમાન વીશીના બીજા તીર્થંકર પ્રભુ શ્રી અજિતનાથને જીવ પાછલા ત્રીજા ભવે વિમલવાહન નામે જેનધમી રાજા હતા. એક વખત આકાશમાં વાદળાંની વિનશ્વરતા (ક્ષણવારમાં વિખરાઈ જવું) જોઈને તેમને વૈરાગ્ય ભાવના પ્રકટ થઈ. તે અવસરે તેમણે ભાવેલી ભાવનાનું યથાર્થ સ્વરૂપ જણાવતાં પહેલાં તેમની જન્મ નગરી, રાજ્યવસ્થા, ન્યાયથી રાજ્યનું પાલન, તથા ધાર્મિક જીવન વગેરેનું વર્ણન કર્યું છે. પછી વૈરાગ્ય વાસિત શ્રી વિમલવાહન રાજાને “ધન્ય પુરૂના મરશે જલદી ફળે છે” આ નીતિ વાકયાનુસારે “નગરીની બહાર બગીચામાં શ્રી અરિંદમ નામના આચાર્ય પધાર્યા છે” એમ જણાવી બગીચાને રક્ષક કર વધામણી આપે છે. તેને રાજી કરીને વિમલવાહન રાજા પ્રજાદિની સાથે આચાર્ય મહારાજને વાંદવા જાય છે. વિધિ પૂર્વક વંદનાદિ કરીને તે ઉચિત સ્થાને બેસે છે. અહીં આવેલા ભવ્ય જીને આચાર્ય મહારાજે. સંભળાવેલી દેશનાનું ટૂંક વર્ણન કરી રાજાએ આચાર્ય મહારાજને પૂછયું કે તમે ભરજુવાનીમાં શા કારણથી દીક્ષા લીધી? તેના જવાબમાં તેમણે દીક્ષા લેવાનું કારણ કહ્યું છે. આ બધી બીના સાંભળ્યા બાદ વિમલવાહન રાજાએ દીક્ષા લેવાની ઈચ્છા જણાવી, ગુરૂએ તેની અનુમોદના કરી જણાવ્યું કે તમારી વિનંતિને માન્ય રાખી તમે રાજ્યની વ્યવસ્થા કરીને ફરી અહીં આવશે, ત્યાં સુધી અમે અહીં રહીશું. પછી રાજાએ મંત્રીએને પિતાને વિચાર જણાવ્યું કે, હું કુંવરને રાજ્ય સેંપી દીક્ષા લેવા ચાહું છું, તેમણે રાજાના વિચારને અનુકૂલ ઉત્તર આપે. પછી ૧ રાજાએ જ્યારે પુત્રને બેલાવી રાજ્ય લેવાની આજ્ઞા ફરમાવી, ત્યારે વિનીત કુંવર પિતાજીને શું કહે છે? ૨ રાજા તેને જવાબ શો આપે છે? 3 અંતે રાજા કુંવરને રાજ્યાભિષેક કરી તે નવીન રાજાને કેવી હિત શિક્ષા આપે છે? ૪ પુત્ર પિતાનો દીક્ષા મહોત્સવ કેવો કરે છે? ૫ વિમલવાહનરાજા મહેલથી નીકળી ગુરૂની પાસે આવી કયા ક્રમે દીક્ષા ગ્રહણ કરે છે? આ પ્રશ્નોના સ્પષ્ટ ખુલાસા અહીં જણાવીને ગુરૂએ દીક્ષાની ક્રિયા પૂરી થયા બાદ અંતે આપેલી હિત શિક્ષા ગર્ભિત દેશનાનું, અને આઠ પ્રવચન માતા તથા બાવીશ પરીષહોનું સ્વરૂપ ટૂંકામાં જણાવ્યું છે. પછી રાજર્ષિ વિમલવાહને વશ સ્થાનક તપ આરાધી નિકાચિત કરેલા જિન નામ કર્મનું અને બીજી કરેલી તપસ્યાનું વર્ણન કરીને જણાવ્યું છે કે અંતે અનશન કરી તે મુનિ પાંચ અનુત્તર વિમાનમાંના પહેલા વિજય વિમાનમાં એકાવતારી મહદ્ધિક દેવ થયા. આને સાર એ છે કે મંગલાચરણ, પ્રભુને સમ્યકત્વ પામવાને ભવ, સુસીમાનગરીનું ને વિમલવાહન રાજાનું વર્ણન, તે રાજાને પ્રકટ થયેલી વૈરાગ્ય ભાવનાનું સ્વરૂપ, અરિદમ આચાર્યનું વર્ણન, રાજાએ કરેલ ગુરૂ વંદન, તેમણે આપેલી દેશના, રાજાને થયેલી તેની અસર, રાજાએ પૂછયું કે તમને વૈરાગ્ય શાથી થયે? આ પ્રશ્નને ગુરૂએ આપેલે ઉત્તર, તે પ્રસંગે જણાવેલી આરામ (બગીચા)ની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005484
Book TitleDeshna Chintamani Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy