SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ [ ઢોવિજ્યપધસૂરિકૃતકાયયોગ વડે જ બાદર મ ગને અને બાદર વચન યુગને રૂ. પછી સૂક્ષ્મ મનોગ અને સૂક્ષમ વાયેગમાં વર્તતા પ્રભુજી સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપતિ નામના શુક્લ યાનના ત્રીજા પાયાના ધ્યાનમાં રહીને બધા સૂક્ષ્મ ભેગોને પણ રૂંધીને શેલેશી અવસ્થાને પામ્યા. શૈલેશ એટલે મેરૂ પર્વત, તેના જેવી નિશ્ચલ નિષ્પકંપ દશા જ્યાં તે તે શિલીશી અવસ્થાનું નામ જ અગી કેવલી ગુણસ્થાનક જાણવું. આ શેલેશી અવસ્થા અથવા અયોગી કેવલી ગુણસ્થાનકને અ, ઈ, ઉં, , લ. એ પાંચ હQાક્ષરના ઉચ્ચારણ જેટલે અન્તર્મુહૂર્ત પ્રમાણુ કાળ છે. તેમાં રહીને પ્રભુ શું કરે છે તે આગલા લેકમાં જણાવે છે. ૪૦૫ પ્રભુનું નિર્વાણ તથા કોમારાદિ અવસ્થાનું કાલમાન બે લેકમાં જણાવે છે – અવશિષ્ટ કર્મ ક્ષય કરી નિર્વાણને જુગતિ બલે, પામતા ચારે અનંતા જ્યોતિમાં જ્યતિ ભલે, કૌમારમાં અડ દશપૂરવ લખ લક્ષ તેપન રાજ્યમાં પૂર્વ તિમ પૂર્વાગ વર્ષો બાર છદ્મસ્થત્વમાં, ૪૦૬ સ્પષ્ટ ર્થ:–તે વખતે એટલે કેગને રૂંધીને શિલેશી કરણમાં વર્તતા એટલે ચૌદમા અગી કેવલી નામના ગુણસ્થાનકમાં રહેલા પ્રભુજી અવશિષ્ટ કર્મ એટલે ચાર ઘાતી કર્મોને ખપાવતાં બાકી રહેલાં એવા નામ, ગોત્ર, વેદનીય અને આયુષ્ય નામના ચાર અઘાતી કર્મોને ક્ષય કરી રાજુ ગતિએ એટલે જે સ્થળે કાઉસગ્નમાં રહ્યા હતા તેની ખબર સીધી લાઈનમાં ઉપર રહેલ સિદ્ધશીલામાં એક જ સમયમાં પહોંચી ગયા. એટલે પ્રભુ શ્રી અજિતનાથ મેક્ષે ગયા. તે વખતે પ્રભુને ચાર અનંતા પ્રાપ્ત થયા તે આ પ્રમાણેનામ કર્મના ક્ષયથી અનંત અરૂપી ગુણ, શેત્રકમના ક્ષયથી અનંત અગુરુલઘુ ગુણ, વેદનીય કર્મના ક્ષયથી અનંત અવ્યાબાધ સુખ, અને આયુષ્ય કર્મના ક્ષયથી અનંત અક્ષય સ્થિતિ. આ પૂર્વે પ્રભુને તેરમા સગી ગુણઠાણે ૧ અનંત જ્ઞાન (કેવલજ્ઞાન) ૨ અનંત દર્શન, (કેવલ દર્શન) ૩ અનંત ચારિત્ર (ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર) અને ૪ અવ્યાબાધ સુખ એમ અનંત ચતુષ્ટય પ્રાપ્ત થએલ હોવાથી સિદ્ધમાં બધા મળીને આઠ ગુણ છે. હવે પ્રભુ કયી કયી અવસ્થામાં કેટલે કાળ રહ્યા તે જણાવે છે – પ્રભુ કુમાર અવસ્થામાં ૧૮ લાખ પૂર્વ સુધી રહ્યા, તેપન લાખ પૂર્વ તથા ઉપર એક પૂર્વાગ એટલે કાલ રાજ્યાવસ્થામાં રહ્યા. તથા છદ્મસ્થ પણુમાં એટલે દીક્ષા લીધા પછી કેવલ જ્ઞાન પામ્યા ત્યાં સુધી એટલે ૧૨ વર્ષો સુધી છદ્મસ્થપણે વિચર્યા. ૪૦૬ પૂર્વગ વર્ષો બાર હીણ લાખ પૂરવ કેવલે, sષભ મુક્તિ દિવસથી પચ્ચાશ લખ કોડ સાગરે આયુષ્ય હેતેર લાખ પૂરવ પૂર્ણ કરી અજિતપ્રભુ, નિર્વાણ પામ્યા સહસ મુનિ સહ કેવલે પ્રભુજી વિભુ. ૪૦૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005484
Book TitleDeshna Chintamani Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy