SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજો ] અભયદાન વિષે. अभयं सर्वसत्वेभ्यो, यो ददाति दयापरः । तस्य देहाद्विमुक्तस्य, भयं नास्ति कुतश्चन ॥ १ ॥ અ:--જે દયાળુ મનુષ્ય સવ પ્રાણીઓને અભયદાન આપે છે તે મનુષ્ય દેહથી મુક્ત થાય, અર્થાત્ મૃત્યુ પામે ત્યારે પણ તેને કાઈથી ભય રહેતા નથી. ૧ અભયદાન ઉપર દૃષ્ટાંત. જયપુર નામના નગરમાં ધના નામના એક માળી રહેતા હતા. તેણે એદ્રી એવા પાંચ પારાનું દયાથી રક્ષણ કર્યું.... અનુક્રમે તે માળી મરીને કુલપુત્ર થયા. ખાલ્યાવસ્થામાં જ તેના માબાપ મરી ગયા, તેથી તે પરદેશ જવા નીકળ્યેા. રસ્તામાં રાત્રીના સમય થવાથી તે કાઇ અરણ્યમાં એક વટ વૃક્ષની નીચે રાત્રીવાસેા રહ્યો. તે વૃક્ષ ઉપર પાંચ યક્ષા રહેતા હતા. તેઓએ તેને દીઠા, એટલે જ્ઞાનવર્ડ “ આ આપણા પૂર્વ ભવના ઉપકારો છે. ” એમ આળખીને તેઓએ તેને કહ્યું કે “તને આજથી પાંચમે દિવસે રાજ્ય મળશે. ” એવું સાંભળીને તે કુલપુત્ર ખુશી થયા. પ્રાત:કાળે ત્યાંથી ચાલતાં તે પાંચમે દિવસે વારાણસી નગરીએ જઇ પહોંચ્યા. ત્યાંના નરપાળ નામના રાજા પુત્ર હિત મરણ પામ્યા હતા. તેનું રાજ્ય તેને મન્યું. પછી તે પ્રધાન ઉપર રાજ્યના ભાર આરોપણ કરીને સુખમાં જ મગ્ન રહેવા લાગ્યા. અન્યકા સીમાડાના રાજાએ તેનુ રાજ્ય ઉચ્છેદન કરવા માટે ચડી આવ્યા, ત્યારે પ્રધાને આવીને તેને દ્યૂતક્રીડા કરતાં અટકાવી તે વાત કરી અને વ્રત તજી દઈ લડાઈ કરવા માટે આવવા કહ્યું, પણ તેણે માન્યું નહિ, પછી તેની સ્ત્રીએ પણ રમતમાં પાસા નાંખતાં અટકવાનું કહ્યું, ત્યારે તે ખેલ્યા કે— ૧૧૩ स वटः पंच ते यक्षाः अक्षान् पातय कल्याणि અર્થ:--“હૈ કલ્યાણી! વટ વૃક્ષ પર રહેલા તે પાંચ યક્ષેાએ રાજ્ય આપ્યું છે, અને તેને લેવું હશે તેા લઇ લેશે, માટે હું સ્ત્રી! તું તારે પાસા નાંખ, જે થવાનું હશે તે થશે. ૧ આ પ્રમાણે કહ્યું, એટલે તે યક્ષેાએ તે શત્રુઓને ખાંધી લાવીને તેને પગે લગાડયા. તે જોઇને લાકો ઘણું આશ્ચર્ય પામ્યા. Jain Education International ददंति च हरंति च । यद्भाव्यं तद्भविष्यति ॥ १ ॥ એક દિવસ જ્ઞાની ગુરુને સમાગમ થવાથી રાજાએ પાતાના પૂર્વ ભવ પૂછ્યા. તેના ઉત્તરમાં ગુરુએ કહ્યું કે--“ પૂર્વ ભવમાં તે પાંચ પારાનું રક્ષણ કર્યું' હતું, તે પાંચ મરીને અનુક્રમે યક્ષા થયા છે; તેઓએ જ તારા રાજ્યનું રક્ષણ કર્યુ છે. ” તે સાંભળીને તે રાજાએ વાવ, કુવા, તલાવ વિગેરે જળાશયામાં ગળણીએ મુકાવી; અને સર્વત્ર અમારી ઘાષણા કરાવી. હવે જે પાપી મનુષ્યા માંસ ખાય છે તેના પ્રત્યે ઉપદેશ કરે છે કે—એકદા શ્રેણિક For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005484
Book TitleDeshna Chintamani Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy