SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ [ પ્રીવિજયપદ્વરિતરાજાએ સભામાં પૂછ્યું કે-“હાલમાં આપણા નગરને વિષે કઈ વસ્તુ સૌથી સેંઘી છે?” ત્યારે નિર્દય એવા ક્ષત્રિયે બોલ્યા કે-“હે મહારાજા ! હાલમાં માંસ સસ્તું છે. ”. આ પ્રમાણે સાંભળીને અભયકુમાર મંત્રી એ ચિંતવ્યું કે “આજે હું આ લેકની પરીક્ષા કરું કે જેથી કરીને આવું બોલે નહીં ” એમ વિચારી રાત્રીને વખતે અભયકુમાર સર્વ ક્ષત્રિયોને ઘેર પૃથક્ પૃથફ ગયે અને તેમને કહ્યું કે-“હે રાજપુત્ર ! આજે રાજાને મહા વ્યાધિ ઉત્પન્ન થયે છે વિવોએ ઘણું પ્રકારની ઔષધિઓ આપી પણ કાંઈ ફેર પડે નહિ, તેથી તેમણે કહ્યું છે કે “જે મનુષ્યના કલેજાનું માત્ર બે ટાંક જેટલું માંસ મળે તે રાજા જીવે તેમ છે, નહીં તે મરી જશે, માટે તમે તેના ગ્રાસમાંથી આજીવિકા કરનાર છે, તે શું એટલું કામ પણ નહીં કરે?” આ પ્રમાણે સાંભળી જેને ત્યાં પ્રથમ ગયો તે રાજપુત બોલ્યા કે-“હજાર મહાર લઈને મને તે છેડે, અને બીજે ઠેકાણે જાઓ.” ત્યારે અભયકુમારે તેટલું દ્રવ્ય લીધું અને બીજે સ્થળે જઈને ત્યાં પણ તે પ્રમાણે જ કહ્યું, ત્યારે તેણે પણ હજાર સોનામહોર આપી, પણ માંસ આપ્યું નહિ. એવી રીતે સર્વ સ્થળે ભમતાં ભમતાં આખી રાત્રી નિર્ગમન કરીને એક લાખ સોનામહેર એકઠી કરી. પછી પ્રાત:કાલે સભામાં આવી સર્વ ક્ષત્રિને તે દ્રવ્ય દેખાડીને અભયકુમાર બે કે-“હે ક્ષત્રિયો ! તમે બોલ્યા હતા કે હાલમાં માંસ સાથી સસ્તું છે, પરંતુ મને તે આટલા બધા દ્રવ્યથી પણ બે ટાંક માંસ મળ્યું નહિ ” તે સાંભળીને સર્વે ક્ષત્રિયે લજિજત થઈને મૌન રહ્યા ત્યારે અભયકુમાર બે કે-સર્વને પિતાને આત્મા વહાલું હોય છે. તમે માત્ર પારકા માંસના લુપી થઈને એવું અન્યથા વાકય બોલ્યા છે. કહ્યું છે કે अमेध्यमध्ये कीटस्य, सुरेन्द्रस्य सुरालये । સમાના નીવિવાલા, સને પ્રત્યુમાં સૂથો છે ? / - અર્થ:–“ વિષ્ટામાં રહેલા કીડાને અને સ્વર્ગમાં રહેલા સુરેન્દ્રને જીવવાની આકાંક્ષા સરખી જ છે, અને તે બનેને પ્રત્યુનો ભય પણ સરખે જ છે.” વળી ૧ दुर्योंनिमपि संप्राप्तः, पाणी मर्तु न वांछति । स्वादुवन्तो भवन्ति स्वस्वाहाराः कुक्षितावपि ॥१॥ અર્થ –“ હુઈ નિમાં જન્મેલે જંતુ પણ મરવાને ઈચ્છતે નથી; કેમકે ખરાબ પૃથ્વીમાં પણ પ્રાણીઓને પોતપોતાના આહાર સ્વાદવાળા જ લાગે છે.”૧ વળી જે મનુષ્ય હિંસા કરે છે તે અતિ દુઃખી થાય છે. જેમ गोपो बब्बूलशूलाग्रे, मोतकोत्यपातकात् । अष्टोत्तरशतं वारान् , शूलिकारोपणान्मृतः ॥१॥ અર્થ-એક ગોવાળે બાવળની શૂળ ઉપર જ પરોવી હતી, તે પાપથી તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005484
Book TitleDeshna Chintamani Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy