SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ મનસુખભાઈ ભગુભાઈ શેઠ લાલભાઈ દલપતભાઈ વિગેરે નરરત્નની પણ જન્મભૂમિ છે. એટલું જ નહિ પણ હજારે મહા પુરૂષેની ચરણરજથી પવિત્ર બનેલી આ ભૂમિ છે. એમ ઐતિહાસિક ગ્રંથેના તલસ્પર્શી અનુભવથી જાણી શકાય છે. તથા અહીંના શેઠ ધનાશાએ ન્યાયાચાર્ય શ્રી યશોવિજયજી મહારાજને કાશીના અભ્યાસકાલમાં શાસ્ત્રીને પગાર દેવાની બાબતમાં બે હજાર સેના હેર ખરચી હતી. ત્યા ન્યાયશાસ્ત્રને તથા તત્ત્વચિંતામણિ શાસ્ત્રને અભ્યાસ ત્રણ વર્ષ સુધી કરીને પંડિતની સભામાં એક વાદી સંન્યાસીને વાદમાં જી. આથી પ્રસન્ન થઈને પંડિત વગે ન્યા. યશોવિજયજી મહારાજને ન્યાયવિશારદ પદથી વિભૂષિત કર્યા. તે પછી આગ્રા શહેરમાં ચાર વર્ષ સુધી રહીને બાકીના તાર્કિક ગ્રંથનો અભ્યાસ કર્યો અને બનારસીદાસના શિષ્ય કુંવરજીને શાસ્ત્ર ચર્ચામાં હરાવ્યું. ત્યાર બાદ વિહાર કરીને અહીં રાજનગરની નગરીશાલામાં પધાર્યા અહીં મેબતખાન નામે સૂબો હતે, તેણે શ્રી યશોવિજયજીની વિદ્વતા સાંભળીને બહુ માનપૂર્વક સભામાં બોલાવ્યા. અહીં ઉપાઠ યશોવિજયજીએ ૧૮ અવધાન કર્યા. આવું બુદ્ધિચાતુર્ય જોઈને તે સૂબે ઘણે ખૂશી થયે, અને તેણે માનસહિત ઉપાયાયજીને સ્વસ્થાને પહોંચાડયા. આથી જિન શાસનની ઘણી પ્રભાવના થઈ. વિ. સં. ૧૭૧૮ માં અહીંના સંઘની વિનંતિથી અને શ્રીદેવસૂરિજી મહારાજની આજ્ઞાથી શ્રીવિજયપ્રભસૂરિજીએ શ્રીયશોવિજયજીને ઉપાધ્યાય પદથી વિભૂષિત કર્યા. આવા ઘણા મહાપુરૂના વિહારથી પવિત્ર બનેલી આ (રાજનગરની ) ભૂમિ છે, તેમજ ઘણુ મહાપુરૂષોએ પુષ્કલ ગ્રંથની રચના પણ અહીં કરી છે. એમ તે તે ગ્રંથના અંતિમ ભાગની પ્રશસ્તિ ઉપરથી જાણી શકાય છે. આ રાજનગરના ઝવેરીવાડે હેરીયા પિળના રહીશ (હાલ ઘીકાંટા સિવીલ ઇસ્પિતાલની સામે રહેતા) શેરદલાલ જેસં. ગભાઇ કાલીદાસનો જન્મ વિ. સં. ૧૯૨૦ ચૈત્ર વદ આઠમે થયું હતું. તેમના ધર્મિષ્ઠ પિતાશ્રીનું નામ શા. કાલીદાસ ભીખાભાઈ, અને માતુશ્રીનું નામ જેકે રબાઈ હતું. જેના ઘર્મના દઢ સંસ્કાર વાસિત કુટુંબમાં જન્મેલા છના ધર્મસંસ્કાર સ્વભાવે જ ઉંચ કેટના હોય છે, એ પ્રમાણે શેરદલાલ જેસીંગભાઈના પણ શરૂઆતથી જ ધર્મ સંસ્કાર તેવા જણાય છે, અને વિ. સં. ૧૫ર થી પરમ પૂજ્ય પરમોપકારી ગુરૂદેવ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સમાગમ વ્યાખ્યાન શ્રવણુદિ શુભ નિમિત્તોને લઈને તેમનામાં દેવ ગુરૂ ધર્મ પ્રત્યે તીવ્ર લાગણી અને પ્રભુપૂજા તીર્થયાત્રા સામાયિક પ્રતિક્રમણ પૌષધ દાન તપશ્ચર્યા વિગેરે ધર્મ ક્રિયાની આરાધના વિગેરે ગુણો વિશેષ પ્રમાણમાં દિન પ્રતિદિન વધતા જણાય છે, એગ્ય ઉંમરે વ્યવહારિકાદિ શિક્ષણ લીધા બાદ તેઓ શેર દલાલના ધંધામાં જોડાયા, પરિણામે દેવ ગુરૂ ધર્મના પસાયે આર્થિક સ્થિતિમાં પણ સારે વધારે કરી શક્યા. તેમનામાં રહેલા દાનાદિ ગુણને લઈને રાજનગરની અગ્રગણ્ય વ્યક્તિઓમાં તેઓ ગણવા લાયક છે, શેરદલાલ જેસીંગભાઈ પૂર્વે ૧૪ માસ ૬, દીક્ષા પર્યાય ૫૭ વર્ષ, કૃતિ-જયાનંદ કેવલી ચરિત્ર, ચૌમાસી દેવવંદન, જિનસ્તવન વીશી નવપદ પૂજા, ઉ૦ શ્રી યશે કત ૧૫૦-૫૦ ગાથાના સ્તવનને બાલા” વિગેરે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005484
Book TitleDeshna Chintamani Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy