________________
દેશનાચિંતામણિ ] ત્યારે આપ જેવાને જન્મ થયે છે. તથા મને આપની સ્તુતિ કરવાને સમય મળે માટે હું મારા જન્મને ધન્ય માનું છું. ૩૨ રાષભદેવ નામ રાખવાના કારણ જણાવે છે – માત મરૂદેવા વૃષભને પ્રથમ સ્વને દેખતા,
ઉરૂમાં રહેલા વૃષભ ચિહે ષભ પ્રભુ અતિ શોભતા; વ્રત ધુરાને વહન કરવા વૃષભ જિમ ત્રણ કારણે,
=ાષભ એવું નામ દેખે સપ્તતિશત સ્થાનને ૩૩ અર્થ –મરૂદેવા માતાએ પ્રથમ સ્વમમાં વૃષભ (બળદ) જે, વળી પ્રભુના ઉરૂમાં એટલે સાથળમાં રહેલા વૃષભના ચિન્હ (લંછન) થી પ્રભુશ્રી ઇષભદેવ ઘણા શોભે છે. જેમ બળદ ગાડીના ધુંસરાને વહે છે તેમ પ્રભુ પણ વ્રત રૂપી ધુરાને વહન કરવામાં વૃષભ સમાન છે. આ ત્રણ કારણથી પ્રભુનું બહષભદેવ એવું નામ પડયું. એમ શ્રી “સતિશત સ્થાન” પ્રકરણમાં કહ્યું છે. તેના કર્તા શ્રીમતિલક સૂરિમહારાજ છે. અને તેની ઉપર શ્રીદેવવિજયજી મહારાજે ટીકા પણ બનાવી છે. ૩૩ જન્મકલ્યાણકની બીના વિગેરે જણાવે છે– આરે જતાં ત્રીજે ઘણે તસ ભાગમાંહે અંતિમે,
ઇક્વાકુભૂષણ દેવ જગ્યા વાસવાદિકને ગમે; અર્ધી રાત્રી જન્મ ક્ષણ ધનું રાશિ જન્મ પ્રમાણિએ,
ઈગ સહસને આઠ લક્ષણ પ્રભુ તણા અવધારિએ. ૩૪ અર્થ --આ અવસર્પિણીના છ આરા છે, તેમાંના પહેલા બે આરા ગયા પછી ત્રીજા આરાને ઘણે કાળ ગયા પછી તેના છેલ્લા ભાગમાં (એટલે નેવ્યાસી પખવાડીઆ બાકી રહ્યા ત્યારે) ઈક્વાકુ વંશમાં ભૂષણ એટલે અલંકાર સમાન પ્રભુ ઋષભદેવને જન્મ થયો. જે ઈદ્ર વગેરે દેવને ઘણો આનંદકારી થયે. તે વખત અર્ધ રાત્રિને હિતે. તથા ધનુ નામની રાશિ તે વખતે ચાલતી હતી. તથા પ્રભુના એક હજાર ને આઠ લક્ષણે જાણવા. ૩૪ પ્રભુના શરીરને વર્ણ તથા શરીરનું પ્રમાણ જણાવે છે – દેહ કંચન વર્ણ ઉત્સધાંગુલે પણ સત્ય ઘણું,
એકસે ને વીસ આત્માગુલ પ્રમાણુ જિનેશનું શ્રેષ્ઠ કાશ્યપ ગગનભાનું પૂર્વ વીસ લાખ કુંવરતા,
દીપાવતા ત્રણ નાણુવંતા તે પછી રાજા થતા. ૩૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org