________________
[ શ્રી વિજ્યપધસૂરિકૃત
અજવાશ પામે જન્મ સમયે નારકી સુખ પામતા,
પ્રભુ ચંદ્ર કેરા ઉદયથી સંતાપ કેના ના જતા; આપ તીર્થ સ્થાપીને નિધિસમ અનુત્તર ધર્મને,
કરજો પ્રકાશિત સીસ નામી વંદના કરૂં આપને. ૩૦
અર્થ:-આપના જન્મ સમયે ત્રણે લોકમાં અજવાળું થાય છે અને નારકીના છ જેઓ અત્યંત દુઃખી છે તેઓ પણ તે વખતે સુખ પામે છે. જેમ ચંદ્રના ઉદયે શીતળતા થવાથી લોકોને તાપ દૂર થાય છે, તેમ આપ પ્રભુ રૂપી ચંદ્રને ઉદય થવાથી કેના સંતાપ નાશ ન પામે ? અથવા દરેકના સંતાપ નાશ પામે જ. આપ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપી તીર્થની એટલે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, નિધિ સમ એટલે ભંડાર સમાન અનુત્તર (શ્રેષ્ઠ) ધર્મને પ્રકાશિત કરજે. હે પ્રભુ! હું મારું મસ્તક નમાવી આપને પ્રણામ કરું છું. ૩૦
સંસાર સાગર પાર કણ ન પામશે? તુજ ચરણને,
પામી તરડ પસાય લેતું પણ લહીને નાવને અબ્ધિ કેરે પાર પામે નામ કેરા જાપને,
કરનાર ભવિજન પામતા નિત વિવિધ મંગલ માલને. ૩૧
અર્થ:–જેમ પાણીમાં ડૂબવાના સ્વભાવવાળું લેતું પણ વહાણને આશ્રય પામીને સમુદ્રના પારને પામે છે, તેમ તમારા ચરણ રૂપી વહાણને પામીને આ સંસાર સમુદ્રના પારને કેણુ પામશે નહિ? અથવા તમારા ચરણનું શરણ લેનારા ભવ્ય જન અવશ્ય આ સંસારને પારને પામે જ. વળી આપના નામ રૂપી મંત્રનો જાપ કરનાર ભવ્ય જને હંમેશાં જૂદા જૂદા પ્રકારની મંગલમાલ એટલે કલ્યાણની પરંપરાને પામે છે. ૩૧ ઉત્પન્ન હવે સુરતરૂ જિમ વૃક્ષહીન પ્રદેશમાં,
પ્રકટે પ્રવાહ નદી તણે જિમ ભાગ્યથી મરૂભૂમિમાં લેક કેરા પુણ્યથી તિમાં જન્મ હવે આપને, . . મુજ જન્મ માનું ધન્ય આજે સમય મિલિયો સ્તુતિ તP. ૩૨
અર્થ-જે સ્થાન વૃક્ષ રહિત છે અથવા જે સ્થળે વૃક્ષ પણ ઉગી શકતું નથી તેવા સ્થાનમાં કલ્પવૃક્ષની ઉત્પત્તિ થવા સમાન, તથા મરૂભૂમિ એટલે મારવાડમાં ભાગ્યના ઉદયથી નદીને પ્રવાહ પ્રગટ થાય તેની જેમ આ ભૂમિના મનુષ્યના પ્રબળ પુણ્યને ઉદય થયે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org