________________
૪૮’
[ શ્રી વિશ્વસૂરિકૃત
વધારો કરી રહ્યાં છે. આ નગરીને કોટની ઉપર મન્મત્ત સિહ યક્ષ છે કે જેની આગળ થઈને હાથીઓ હાલ પણ ચાલી શકતા નથી અને ચાલે તે જરૂર મરણને જ શરણ થાય છે. અન્ય દર્શનીઓ પણ અહીં યાત્રાર્થે આવે છે, કારણ કે ગોપ્રકરાદિ લૌકિક તીર્થો અહીં છે. અહીં આવનારને સાત તીર્થની યાત્રાને લાભ થાય છે. અહીંની સરયૂ નદીને ધધ પ્રવાહ ઠેઠ ગઢની ભીંત સુધી આવે છે.
મહાપ્રભાવક શ્રી સેરીસાતીર્થની બીના આ અયોધ્યાનગરીમાંથી નવ અંગેની ઉપર ટીકાઓ બનાવનારા શ્રીઅભયદેવસૂરીશ્વરજીની પરંપરામાં થયેલા શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ દિવ્ય શક્તિથી આકાશ માગે વિશાલ ચાર બિંબ મહાપ્રાચીન તીર્થભૂમિ શ્રીસેરીસા તીર્થમાં લાવ્યા તે બીના સંક્ષેપમાં આ પ્રમાણે છે
રામાનુગ્રામ વિચરતા તે પૂજ્ય આચાર્ય દેવ શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ, કે જેમણે ધરણેન્દ્ર પદ્માવતીની આરાધના કરી છે, તે સૂરિજી મહારાજ આ શ્રીસેરીસાનગરમાં ઉત્કટિક (ઉકરડા) જેવા સ્થાને કાઉસ્સગ ધ્યાને રહ્યા. એમ અનેકવાર આચાર્ય મહારાજને ત્યાં કાઉસ્સગ્ન કરતાં જોઈને શ્રાવકેએ ગુરુજીને પૂછ્યું કે હે ભગવંત! આમ વારંવાર આ જગ્યાએ કાઉસ્સગ્ન કરવાનું શું કારણ? ગુરૂએ ખુલાસો કર્યો કે અહીં પાષાણુની વિશાલ શિલા છે તેમાંથી મહાપ્રભાવશાલી શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમા થઈ શકે તેમ છે. આ કાર્ય પદ્માવતી દેવીની સહાયથી બની શકે તેમ છે. ગુરુજીના આ વચન સાંભળી શ્રાવકેએ કહ્યું કે જો એમ હોય તો કૃપા કરી આપશ્રી અઠ્ઠમ તપથી દેવીની આરાધના કરી. ગુરુજીએ શ્રાવકના કહેવાથી અઠ્ઠમની તપસ્યા કરવા પૂર્વક દેવીની આરાધના કરી. દેવીએ પ્રત્યક્ષ થઈ કહ્યું કે સોપારક નામના ગામમાં એક આંધળો સલાટ રહે છે, તે જે અહીં આવીને અટ્ટમને તપ કરી સૂર્ય આથમ્યા બાદ પ્રભુ શ્રી પાર્શ્વનાથની પ્રતિમાને ઘડવા માંડે, તે સૂર્ય ઉગ્યા પહેલાં તે સંપૂર્ણ બનાવી શકશે. દેવીએ કહેલી બીના ગુરુમહારાજે શ્રાવકને જણાવી. જેથી તેમણે તે સલાટને માણસ મોકલીને ત્યાંથી બોલાવ્યો. સલાટે આવીને પ્રતિમા ઘડવા માંડી. મસ્તક ઉપર ધરણેન્દ્રની ફણુના દેખાવવાળી પ્રતિમા ઘડતાં ઘડતાં છાતીના ભાગમાં મશ (મસો) પ્રકટ થયે. સલાટે તો સામાન્ય ડાઘ જાણીને તે વાતને ધ્યાનમાં ન લીધી. પ્રતિમા સંપૂર્ણ ઘડી રહ્યા બાદ જ્યારે સમારકામ (ઘર્ષણ) કરતાં એને લાગ્યું કે આ તે મશ છે ત્યારે તેને દૂર કરવા માટે હથિયાર ઠેર્યું તે તે મશના ભાગમાંથી લોહીની ધાર છૂટી. આ વાતની શ્રીગુરુ મહારાજને ખબર પડતાં તેમણે સલાટને ઠપકો આપતાં જણાવ્યું કે હથિયાર ઠોકવાની કંઈ પણ જરૂર ન હતી. જે આ મશકે તેમ ને તેમ રહેવા દીધે હોત તે આ પ્રતિમા મહા ચમત્કારી બનત. પછી ત્યાં અંગુઠો દબાવવાથી લોહી નીકળતું બંધ પડયું. આ પ્રતિમા તૈયાર થયા બાદ બીજી પણ વીશ પ્રતિમાઓ અહીં સ્થાપન કરાવી. ત્યારબાદ દેવતાઈ શક્તિથી (દેવ મારફત) ગગનમાળે રાત્રિએ બીજા ત્રણ બિંબ અયોધ્યાથી અહીં લાવવામાં આવ્યા, અને ચોથું બિંબ અહીં લાવતાં વચમાં ધારાસેનક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org