________________
[ શ્રી વિજયપત્રસૂરિકૃત
અનુભવ મલી શકે છે. કર્મોનાં ક્ષપશમ, ઉપશમ, ક્ષય આદિ જેમ દ્રવ્ય, કાલ, ભાવ અને ભવદ્વારા થાય છે તેમ ક્ષેત્રના પ્રભાવે પણ થાય છે. માટે જ પરમ પૂજ્ય શ્રી શત્રુંજયાદિ તીર્થોની માફક કલ્યાણક ભૂમિઓ પણ અજ્ઞાન દશાથી બાંધેલાં કર્મોનો ક્ષયપશાદિ કરાવી શકે છે. તેવાં પવિત્ર સ્થલની સ્પર્શના મનની ઉપર સારામાં સારી અસર કરી શકે છે. નિર્યુક્તિકાર પરમ પૂજ્ય શ્રુતકેવલી “શ્રીભદ્રબાહુસ્વામી મહારાજે ફરમાવ્યું છે કે “મેક્ષરૂપી મહેલને પાયા સમાન શ્રી સમ્યગ્દર્શનાદિ અપૂર્વ લાભ મેળવવાની ઇચ્છાવાળા ભવ્ય જીએ તેવા પવિત્ર ક્ષેત્રની સ્પર્શના જરૂર કરવી જોઈએ.”
શ્રીઅયોધ્યાનગરી કલ્યાણક ભૂમિ તરીકે જૈન શાસ્ત્રોમાં ખૂબ પ્રસિદ્ધ છે. જુઓ પ્રાત:સમરણીય શ્રીકલ્પસૂત્ર, શ્રીજબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ આદિ સૂત્રમાં અને શ્રી ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્ર વગેરે ગ્રંથમાં અનેક પ્રસંગે અયોધ્યાને ઉલ્લેખ આવે છે. તેથી આ નગરીને ઈતિહાસ જાણવા માટે દરેક જિજ્ઞાસુને ઉત્કંઠા રહે એ સ્વાભાવિક છે. વાચકવર્ગ તેની બીના જાણીને વંદન પૂજાનાદિથી આત્માને નિર્મલ બનાવે એ આશયથી તીર્થકલ્પાદિ અનેક ગ્રંથોને આધારે શ્રીઅયાનગરીને ઈતિહાસ નીચે પ્રમાણે જણાવું છું. જેમાં વચમાં જૈનપુરી રાજનગર (અમદાવાદ) ની નજીક આવેલ શ્રી સેરીસા તીર્થની પણ ટૂંક બીના આવશે.
વર્તમાન ચોવીશીના પ્રથમ તીર્થંકર શ્રી આદીશ્વર પ્રભુના રાજ્યાભિષેકના પ્રસંગે યુગ લિઆઓએ કમલિનીના પાંદડાંઓના દડીઆ બનાવી તેમાં પાણું ભરી લાવી પ્રભુના ચરણકમલની ઉપર સ્થાપન કર્યું (ધાર કરી). સૌધર્મેન્દ્ર-યુગલિકની આ વિનય પ્રવૃત્તિ જોઈને કહ્યું કે-“આ સારા વિનીત (વિનયવાળા) પુરૂષ છે. ત્યારથી અધ્યાનગરી “વિનીતા” આ નામથી પ્રસિદ્ધિ પામી. બીજા ગ્રંથોમાં આ નગરીને કેશલા, સાકેતપુર, ઈક્વાકભૂમિ, રામપુરી વગેરે નામથી ઓળખાવી છે. સુગૃહીત નામધેય શ્રી આદિનાથ, શ્રી અજિતનાથ, શ્રી અભિનંદન સ્વામી, શ્રીસુમતિનાથ અને શ્રી અનંતનાથ, એમ પાંચે તીર્થકરોની
૧ પરમ પૂજ્ય યુગ પ્રધાન મહાપુરૂષ શ્રીભદ્રબાહુ સ્વામી મહારાજ એ યુગપ્રધાન પ્રભુશ્રી યશોભકસૂરીશ્વરજી મહારાજના પહેલા પટ્ટધર અને મહાશીલ વ્રતધારક કોશા વેશ્યાને પ્રતિબોધ પમાડનાર શ્રી સ્થૂલિભદ્ર મહારાજાના કાકા ગુરૂ થાય. તેમણે શ્રી આવશ્યક વિગેરે દશ સૂત્રની ઉપર નિયુક્તિ બનાવી છે. તથા શ્રી ઉપસર્ગહર સ્તોત્ર, સામુદ્રિક શાસ્ત્ર, ભદ્રબાહુ સંહિતા, તીર્થયાત્રા પ્રબંધ વિગેરે ગ્રંથા પણ બનાવ્યા છે. અને તે ચૌદ પૂર્વના જાણકાર તથા છ ઋતકેવલી ભગવંતેમાંના એક હતા. તેમણે ૪૬ મા વર્ષની શરૂઆતમાં સંયમ અંગીકાર કર્યું. દીક્ષાના દિવસથી માંડીને ૧૭ વર્ષ વીત્યા બાદ યુગપ્રધાન થયા. તથા ૧૫ વર્ષ સુધી યુગપ્રધાનપણે વિચર્યા. ૭૬ વર્ષ પ્રમાણ આયુષ્ય પૂરું કરી સ્વર્ગે પધાર્યો. શ્રીયશોભદ્રસૂરિની બીના ટુંકામાં આ પ્રમાણે-ગૃહસ્થપણું ૨૨ વર્ષ, દીક્ષા પર્યાય ૧૪ વર્ષ, યુગપ્રધાન પયોગ ૫૦ વર્ષ, સર્જાયુઃ ૮૬ વર્ષ, શ્રી મહાવીર નિર્વાણથી ૧૪૮ વર્ષ વીત્યા બાદ સ્વર્ગગમન | શ્રી યૂલિભદ્ર મહારાજની બીન ટૂંકામાં આ પ્રમાણે --
ગૃહસ્થ પર્યાય ૩૦ વર્ષ, વૃત પર્યાય ૨૪ વર્ષ, યુગપ્રધાન પર્યાય ૪૫ વર્ષ, સર્વાયુઃ ૯૯ વર્ષ, ' શ્રી મહાવીર નિર્વાણથી ૨૧૫ વર્ષ વીત્યા બાદ દેવલેકના સુખ પામ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org