________________
ટેસનચિંતામણિ ]
અર્થ – હે ભવ્ય જન ! આ પ્રમાણે દેશનાનું માહામ્ય વિચારીને દેશનાને લક્ષ્ય પૂર્વક સાંભળે, સાંભળીને હદયમાં ઉતારે એટલે તેના સારને ગ્રહણ કરે, તથા તીર્થ પતિ એટલે જિનેશ્વર દેવે કહેલ માર્ગ આનંદપૂર્વક આચરે. જેથી પરિણમે છેડા ટાઈમમાં મુક્તિના સુખ મળે. હું પ્રથમ તીર્થકર શ્રી આદીશ્વર પ્રભુની દેશનાનું વર્ણન કરીશ. અને ત્યાર પછી અનુક્રમે સર્વે પ્રભુની દેશનાને કહીશ. ૨૫
પ્રભુનું ચવન કલ્યાણક જણાવે છે સર્વાર્થસિદ્ધ વિમાનમાં તેત્રીસ સાગર માનના,
દિવ્ય સુખને ભેગવે ક્રમસર સમયમાં આવનના જેઠ વદ ચોથે ચવે ચિન્હો ન પ્રકટે અવનના,
જિન નામ કેરા પુણ્ય જે આદિ દેવ જિનેશના. ૨૬ અર્થ–પાંચ પ્રકારના અનુત્તર વિમાનમાંના પાંચમા સર્વાર્થસિદ્ધ વિમાનને વિષે તેત્રીસ સાગરોપમ પ્રમાણ દેવતાઈ સુખને ભેળવીને અનુક્રમે અવનને ત્યાંથી નીકળવાને) સમય આવે કે જેઠ વદ ચોથને દિવસે પ્રભુ શ્રી આદિનાથનું યવન કલ્યાણક થયું. આ વખતે પ્રભુના તીર્થકર નામ કર્મના પુણ્યના સમૂહના પ્રતાપે પ્રભુ દેવ અવનના ચિહેને અનુભવ કરતા નથી. ૨૬
જન્મ લ્યાણકની બીના જણાવે છે – નયરી અયોધ્યા સ્વામિ નાભિ ભૂપ મરૂદેવા તણું,
કુક્ષિ છીપે દીપતા મોતી સમાં પ્રભુદેવની; માતા ચતુર્દશ સ્વપ્ન જેવે ફાગણ વદ આઠમ,
જન્મતાં સિંધર્મ હરિ ઉલ્લાસથી આવી નમે. ૨૭ અર્થ-દક્ષિણ ભરતાધના મધ્ય ખંડમાં આવેલી અયોધ્યા નગરીના નાભિ નામના રાજાની રાણી મરૂદેવાની કુક્ષિ રૂપી છીપમાં મેતી સમાન શોભતા પ્રભુની માતાએ (પ્રભુ ઉદરમાં આવ્યા ત્યારે) ચૌદ સ્વપ્ન જોયાં. ત્યાર પછી પૂર્ણ માસ થયે છતે ફાગણ વદ આઠમના દિવસે પ્રભુ જમ્યા તે વખતે સૌધર્મ ઈન્ડે આનંદથી આવી પ્રભુને નમસ્કાર કર્યો. પ્રભુ શ્રી આદીશ્વર ભગવંતના શરૂઆતના ત્રણ કલ્યાણકના ભવ્ય પ્રસંગથી પાવન થયેલી શ્રી અયોધ્યા નગરીની બીન જાણવાની કેને ઉત્કંઠા ન થાય ? તે ટુંકામાં આ પ્રમાણે જાણવી.
અવિચ્છિન્ન પ્રભાવશાલી, ત્રિકાલાબાધિત શ્રી જૈનેન્દ્રદર્શન દુનિયાનાં તમામ દર્શનેમાં અગ્રેસર છે, કારણ કે આત્માને નિર્મલ બનાવવા માટે સર્વાગ પૂર્ણ સાધને જૈનદર્શન સિવાય બીજા દર્શનેમાં દેખાતાં જ નથી. આ દર્શનથી જ જીવ, કર્મ વગેરેના અપૂર્વ તત્વજ્ઞાનને પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org