________________
( શ્રી વિજ્યપદ્ધતિજબૂસ્વામિ સૂરિશય્યભવ ચિલાતીપુત્ર એ,
ગોવિંદ વાચક દેશનાને સાંભળી કલ્યાણને; સાધતા વરમંત્ર જેવી જાણિએ જિનદેશના,
સમૃદ્ધિ પંડિતતા પ્રતિષ્ઠા પણ પમાડે દેશના. ૨૩ અર્થ–આ દેશનાને સાંભળીને શ્રી જંબુસ્વામી અને શયંભવસૂરિ તેમજ ચિલાતીપુત્ર તથા ગોવિંદ વાચક વિગેરે ભવ્ય જીએ પિતાના કલ્યાણને સાધ્યું એટલે ચારિત્ર ગ્રહણ કરીને સ્વર્ગના અથવા મોક્ષના સુખ મેળવ્યા. વળી શ્રી જિનરાજની દેશના ઉત્તમ મંત્ર જેવી જાણવી. તથા આ દેશની સમૃદ્ધિ એટલે એશ્વર્ય, પંડિતતા એટલે વિદ્વાનપણું તથા પ્રતિષ્ઠા એટલે માન આબરૂ પ્રાપ્ત કરાવે છે. ર૩
દેશનાથી થતા બીજા લાભ જણાવે છે – અમૃત રસાયણ દેશનાથી સાત ભય દૂરે ટલે,
અંધતા મુંગાપણું મતિમંદતા પણ ના મલે, સુલભ સુરતરૂ કામઘટ ચિંતામણિ ભવ સાગરે,
અત્યંત દુર્લભ દેશના ઈમ ભવ્ય જન ના વિસ્મરે. ૨૪ અર્થ -અમૃત તથા રસાયણ સરખી વીતરાગ પ્રભુની દેશના સાંભળવાથી સાત પ્રકારના ભય નાશ પામે છે. તથા આંધળાપણું, મુંગાપણું તથા મતિમંદતા એટલે બુદ્ધિનું જડપણું હોતું નથી. આ સંસાર રૂપી સમુદ્રમાં કલ્પવૃક્ષ, (માગીએ તે વસ્તુ આપનાર વૃક્ષ), કામઘટ (મનવાંછિત પૂરનાર ઘડે) તથા ચિંતામણિરત્ન તે સુલભ એટલે સહેલાઈથી મેળવાય તેવાં છે, (અથવા પ્રયત્ન કરવામાં આવે તે મેળવવા મુશ્કેલ જણાતા એવા કલ્પવૃક્ષાદિ પદાર્થો પણ મળી શકે છે, પરંતુ આ પ્રભુની દેશનાને સાંભળવાને શુભ અવસર ઘણે દુર્લભ છે એ વાત ભવ્ય જનેએ ભૂલવી નહિ. ૨૪
પ્રથમ જિનેશ્વરની દેશનાની શરૂઆત કરે છે– હે ભવ્ય જીવો! ઈમ વિચારી દેશનાને સાંભળો,
આ હૃદયે ઉતારી તીર્થપતિને માર્ગ હોંશે આચરે; સુખ મુક્તિ ના જેથી મળે આદીશ પ્રભુની દેશના,
હું વર્ણવું પહેલી કહીશ ઇમ સર્વ પ્રભુની દેશના. ૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org