SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના ચિંતામણિ ] મળ્યાં હતાં. તેમણે પ્રભુની પાસે બાર વ્રત અંગીકાર કર્યા હતાં. તેમાં પિતાની નિશ્રાના વીશ કરેડ સેનૈયા અને આઠ ગોકુલ રાખી તેમણે બાકીના (રેવતી પ્રમુખ તેર સ્ત્રીઓના) દ્રવ્યને ત્યાગ કર્યો હતો. રેવતી પિતાની શો ઉપર પ્રબળ ઈર્ષાભાવ રાખતી હતી, એથી તેણે પોતાની બાર શો પૈકી છને શસ્ત્રથી અને છને ઝેર દઈને મારી નાંખી, તે તમામ સ્ત્રીઓનું દ્રવ્ય પિતે સ્વાધીન કર્યું. અને પોતે એકલી બેગ ભેગવવા લાગી. આ તરફ તીવ્ર આસક્તિના પરિણામે તે માંસ મદિર ને પણ ઉપયોગ કરવા લાગી. એક દિવસ નગરીમાં અમારી ઘેષણ થઈ, આથી રેવતીને માંસ મળી શકયું નહિ. ત્યારે તેણીએ ખાનગી રીતે પોતાના પિયરના નેકરની પાસે મંગાવીને ખાવા માંડ્યું. - મહાશતક દેશવિરતિ ધર્મની આરાધના કરતા કરતા ચૌદ વર્ષ વીત્યા બાદ પિતાના વડિલ પુત્રને કુટુંબાદિને ભાર સંપીને પૌષધશાલામાં આવ્યા. ત્યાં વિધિપૂર્વક ધર્મધ્યાન કરી રહ્યા હતા તેવામાં મદેન્મત્ત રેવતીએ ધર્મથી ચલાયમાન કરવાને માટે અને ભેગ ભેગવવા માટે આકરે અનુકૂલ ઉપસર્ગ કર્યો, તે પણ તે લગાર પણ ધર્મધ્યાનથી ચલિત ન થયા. ત્યારે રેવતી થાકીને સ્વસ્થાને ચાલી ગઈ. તેમણે શ્રાવકની અગિયારે પ્રતિમા અને વિવિધ તપની આરાધના કરીને આનંદ શ્રાવકની માફક શરીરને શુષ્ક બનાવી દીધું. અવસરે શુભ ધ્યાનાદિ સાધના પ્રતાપે તેમને અવધિજ્ઞાન પ્રકટ થયું. આ જ્ઞાનથી તે લવણ સમુદ્રમાં પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમમાં એક એક હજાર જન પ્રમાણ ક્ષેત્રની બીના જાણવા લાગ્યા. બાકીની બીના આનંદ શ્રાવકની માફક જાણવી. એમને એક વખત રેવતીએ ફરીવાર ઉપસગ કર્યો, ત્યારે ક્રોધમાં આવીને તે અવધિજ્ઞાનીએ કહ્યું “હે રેવતી, શા માટે આ પ્રમાણે ચીકણું કર્મ બાંધે છે ? આવા પાપને લઈને જ તું સાત દિવસમાં અહીંથી મરીને પહેલી નરકમાં ઉપજીશ. પિતાના પતિનાં આ વચન સાંભળીને રેવતી ભય પામીને દુઃખે દિવસો કાઢવા લાગી, અને સાતમે દિવસે મરીને પહેલી નરકે ગઈ આ અરસામાં શ્રી મહાવીર પ્રભુ ત્યાં પધાર્યા. તેમણે મહાશતકને ઘેર શ્રીૌતમસ્વા. મીને મોકલીને કહેવરાવ્યું કે “હે શ્રાવક ! તમારે ક્રોધાદિની આલોચના લેવી જોઈએ.” મહાશતકે પોતાની ભૂલ કબૂલ કરી શ્રી ગૌતમસ્વામીની પાસે આલોચના લીધી. છેવટે તે એક માસની સંખના કરી સમાધિમરણ પામી સૌધર્મ દેવલોકના અરૂણાવતંસક વિમાનમાં દેવ થયા, ત્યાં ચાર પલ્યોપમ સુધી સુખ ભેગવી ત્યાંથી અવીને મહાવિદેહમાં સિદ્ધિપદ પામશે. ૯. મહાશ્રાવક નંદિનીપિતા શ્રાવસ્તી નગરીમાં નંદીની પિતા નામે એક ગાથાપતિ રહેતા હતા. તેમને અશ્વિની નામે સ્ત્રી હતી. તેમના કુલ અને દ્રવ્ય સંપત્તિની બીના આનંદ શ્રાવકની માફક જાણવી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy